________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૨૪૫
----
--
-
નિવેદન કરો.
ત્યાર પછી તે કૌટુંબિક પુરષો સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું. ત્યારે હર્ષિતસંતુષ્ટ યાવત્ પ્રફૂલ્લિત હૃદયવાળા થયા. બે હાથ જોડી યાવતું મસ્તકે અંજલિ જોડીને જેવી આપની આજ્ઞા” એમ કહી સિદ્ધાર્થ રાજાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી નીકળે છે. નીકળીને બહારના સભામંડપ પાસે આવે છે. પછી બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી યાવત્ સિંહાસન સ્થાપન કરે છે. સ્થાપીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી, બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પૂર્વે કહેલી આજ્ઞાનુસાર કાર્ય થઈ ગયાનું નિવેદન છે.* ( ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજાને સ્વપ્નનું ફળ પૂછે છે ત્યાંથી આરંભીને અહીં સુધીનું વર્ણન ભગવતીજી સૂત્ર–૫૧૮માં પણ આ રીતે જ જોવામાં આવે છે માત્ર ત્યાં રાણી પ્રભાવતી છે – રાજા બલ છે.)
ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાલ સમયે જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે; હરણોના કોમળ નેત્રો ખુલવા લાગે છે અને ઉજ્વળ પ્રભાત થાય છે. પછી લાલ અશોકના પ્રભાપુંજ સમાન રક્તવર્ણી સૂર્ય ઉગે છે. તે સૂર્ય કેસુડાનાં પુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની લાલાશ, બપોરીયાના પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, કોપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રો, જાસૂદના પુષ્પોનો ઢગલો, હિંગલોકનો ઢગલો એ સર્વના લાલ રંગના પદાર્થ સમાન લાલ રંગવાળો તથા એ સર્વ પદાર્થ કરતા વિશેષ કાંતિવાળો, મોટા મોટા જળાશયોમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજારો કિરણોવાળો, રાત્રિનું નિવારણ કરી દિવસને કરનારો, તેજ વડે દેદીપ્યમાન એવો સૂર્ય ઉગ્યો. ઉદય પામતા સૂર્યના કુંકુમવર્ણા તાપ વડે મનુષ્ય લોક પણ કુંકુમ વર્ણો થઈ ગયો અર્થાત્ સૂર્યોદય થયો ત્યારે સિદ્ધાર્થ રાજા શય્યા પરથી ઉઠે છે.
સિદ્ધાર્થ રાજા શય્યામાંથી ઉઠીને પાદપીઠ પર પગ મૂકી નીચે ઉતરે છે. નીચે ઉતરીને જ્યાં કસરત શાળા છે ત્યાં આવે છે. પછી કસરત શાળામાં પ્રવેશ કરે છે. ત્યાં અનેક પ્રકારના વ્યાયામ (–કસરત)ને યોગ્ય – મુગર આદિને ફેરવવા, વલ્સન, કુદવું, ઉઠ–બેસ કરવી, વ્યામર્દન, પરસ્પર ભુજા વગેરે અંગોને મરડવા, મલ્લયુદ્ધ, કુસ્તી કરવી વગેરે વિવિધ જાતની કસરત (વ્યાયામ) કરવાથી જ્યારે તેઓને શ્રમ લાગ્યો, સમગ્ર અંગોપાંગમાં થાક લાગ્યો ત્યારે તે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરુષો પાસે શરીરે પુષ્ટિકારક તેલ વગેરે ચોપડાવી મર્દન કરાવ્યું.
તે તેલ – ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે સો વખત પકાવેલું અથવા સો સોનામહોરના વ્યયથી પકાવાયેલું એવું શતપાક તેલ, એ જ પ્રકારે સહસ્ત્રપાક તેલ કે જે હજાર વખત પકાવાયેલું અથવા હજાર સોના મહોરના ખર્ચ વડે પકાવાયેલું હોય એવું હતું. એવા પ્રકારના સુગંધિત તેલ વડે મર્દન કરાવ્યું. તે તેલ રસ રુધિર વગેરે ધાતુઓની પુષ્ટિ કરનાર, સુધાને પ્રદીપ્ત કરનાર, કામની વૃદ્ધિ કરનાર, માંસને પુષ્ટ કરનાર, બળ અને તેજને વધારનાર, સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનાર એવા પ્રકારનું તેલ હતું.
સિદ્ધાર્થ રાજાએ ઉક્ત પ્રકારના તેલથી અળંગન–મર્દન કરાવ્યું. પછી તે તેલચમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org