________________
૨૪૪
આગમ કથાનુયોગ-૧
સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ વધારનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળના આધાર સમાન, કુળની વિવૃદ્ધિ કરનાર એવા પુત્રને જન્મ આપશો. તે પુત્રના હાથ–પગ સુકોમલ હશે. તેના શરીરની પાંચ ઇન્દ્રિયો સારા લક્ષણ યુક્ત અને પરિપૂર્ણ હશે. (છત્ર–ચામર આદિના) લક્ષણ ગુણયુક્ત અને (મસતલ વિગેરેના) વ્યંજન ગુણયુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ તથા સવાંગ સુંદર શરીરવાળા, ચંદ્ર સમાન સૌખ્ય આકૃતિવાળા, મનોહર, પ્રિયદર્શી અને સુંદર રૂપવાળા પુત્રને તમે જન્મ આપશો.
તે પુત્ર બાળભાવથી ઉન્મુક્ત થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી કાળક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (દાનદેવામાં અને અંગીકાર કરેલ કાર્યનો નિર્વાહ કરવામાં) શૂર થશે, વીર–પરાક્રમી થશે, તેની પાસે વિપુલ બળ–વાહન (સેના) હશે અને રાજ્યનો અધિપતિ–રાજા થશે. તેથી હે દેવાનુપ્રિયા ! તમે પ્રશસ્ત સ્વપ્નો જોયા છે – યાવત્ – મંગલને કરનારા સ્વપ્નો જોયા છે. એ રીતે સિદ્ધાર્થરાજા બે વાર-ત્રણ વાર તેની અનુમોદના કરવા લાગ્યા.
ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની પાસે આ અર્થ સાંભળીને, હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ યાવત્ વિકસિત હૃદયવાળી થઈ, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ રીતે બોલ્યા, હે સ્વામી ! તે એમ જ છે, જેવું આપે કહ્યું તેવું જ છે, આપનું કથન સત્ય છે, સંદેહરહિત છે, તે મેં ઇચ્છેલું છે, મેં આપનું વચન ગ્રહણ કરેલું છે. જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે.
– ત્યાર પછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી રચિત ભદ્રાસનથી ઉઠે છે. ઉઠીને ત્વરા રહિત, ચપળતા રહિત, સ્કૂલના રહિત, વિલંબ રહિત રાજહંસ સદશ ગતિ વડે જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવે છે, આવીને આ પ્રમાણે બોલે છે (વિચારે છે) – મેં ઉત્તમ, પ્રધાન, મંગળરૂપ એવા મહાસ્વપ્નોને જોયા છે. તે સ્વપ્નો બીજા ખરાબ સ્વપ્નોથી નિષ્ફળ ન જાય તે માટે મારે હવે સૂવું ન જોઈએ. એમ વિચારી ત્રિશલા ક્ષત્રિયાણી દેવ અને ગુરુજનના સંબંધવાળી પ્રશસ્ત, મંગલ કરનારી અને મનોહર ધાર્મિક કથાઓ વડે સ્વપ્નાઓનું રક્ષણ કરવા માટે વિશેષે–વિશેષે જાગૃત થઈને રહેવા લાગ્યા. ૦ સ્વપ્નાંતર દિવસે સિદ્ધાર્થ રાજાની દિનચર્યા :
- ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે બહારના સભામંડપને સારી રીતે સાફ કરી, સુગંધી પાણી છંટાવી, લીંપણ કરાવો, યોગ્ય સ્થાને પંચવર્ણ પુષ્પ સમૂહો ગોઠવી સુશોભિત કરો. કલાગુર, ઉત્તમ કિંઠુ, લોબાન અને જ્વલિત ધૂપથી મધમધિત અને સુગંધથી રમણીય બનાવો. ઉત્તમ ગંધવાળા સુગંધી ચૂર્ણો તથા સુગંધી દ્રવ્યોની બનેલી ગુટિકા સમાન અતિશય સુગંધીયુક્ત એવો સભામંડપ તમે જાતે કરો, બીજા પાસે કરાવો. એમ કરીને ત્યાં એક સિંહાસન સ્થાપન કરાવો. કર્યા પછી મારી આજ્ઞાપાલન થયાનું મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org