________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર-કથા
૨૪ ૩
આવા પ્રકારના શુભ, સૌમ્ય, દર્શન માત્રથી પ્રીતિને ઉપજાવનારા અને સુરૂપ સ્વપ્નોને નિદ્રામાં જોઈને કમળ જેવા નેત્રોવાળી અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી. જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાની કુક્ષિમાં આવે છે. તે રાત્રિએ સર્વે તીર્થકરમાતાઓ આ ચૌદ સ્વપ્નોને જુએ છે. ૦ સ્વપ્નદર્શન પછીનો ત્રિશલા અને સિદ્ધાર્થ સાથેનો સંવાદ :
ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આવા સ્વરૂપના પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે હર્ષિત થયા, સંતુષ્ટ થયા – યાવત્ – હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થયા. તેના રોમરોમ મેઘની ધારાથી સિંચિત કદંબના પુષ્પની જેમ પુલકિત થઈ ગયા. તે સ્વપ્નાનું સ્મરણ કરવા લાગ્યા. પછી શય્યાથી ઉક્યા. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યા. ત્વરારહિત, ચપળતારહિત, સ્કૂલનારહિત અને વિલંબરહિતપણે રાજહંસ જેવી ગતિ વડે જ્યાં સિદ્ધાર્થક્ષત્રિયની શય્યા છે. જ્યાં સિદ્ધાર્થક્ષત્રિય ત્યાં આવે છે
– આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળકારી, શોભાયુક્ત, હદયને રૂચિકર, હૃદયને આલ્હાદકારી, મિત, મધુર અને મંજુલ એવા પ્રકારની વાણી વડે બોલતા–બોલતા સિદ્ધાર્થ રાજાને જગાડે છે. ત્યાર પછી તે ત્રિશલાક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર બેસે છે. બેસીને શ્રમને દૂર કરીને, ક્ષોભરહિત થઈ સુખપૂંક આસન પર બેઠેલી એવી ત્રિશલા રાણી સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારની ઇષ્ટ – યાવતું – મંજુલ વાણી વડે આ પ્રમાણે કહે છે–
હે સ્વામી ! ખરેખર હું આજે પૂર્વવર્ણિત રમણીય શય્યામાં સૂતેલી હતી ત્યારે – થાવત્ – ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. તો હે સ્વામી ! આ પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોનું કલ્યાણકારી શું ફળવિશેષ અને વૃત્તિવિશેષ થશે ? ત્યારે તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણીની પાસે આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ – યાવત્ – હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળો થયો. તેની રોમરાજી મેઘધારાથી સિંચિત્ કદંબના પુષ્પની જેમ વિકસ્વર થઈ. તે સ્વપ્નનાઓને મનમાં ધારે છે. ધારીને અર્થની વિચારણા કરે છે. અર્થ વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાન વડે તે સ્વપ્નાઓના અર્થનો નિર્ણય કરે છે. પછી ત્રિશલા-ક્ષત્રિયાણીને તેવા પ્રકારની ઇષ્ટ – યાવત્ – મંગલ, મિત, મધુર અને શોભાયુક્ત વાણી વડે આ પ્રમાણે કહે છે
હે દેવાનુપ્રિયા ! તમે પ્રશસ્ત સ્વપ્ન જોયા છે, કલ્યાણરૂપ સ્વપ્ન જોયા છે, શિવરૂપ—ઉપદ્રવને હરનારા, ધન્ય-ધનનાં હેતુરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત સ્વપ્નોને જોયા છે. આરોગ્ય, સંતોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાંછિત ફલને દેનારા સ્વપ્નો જોયા છે. હે દેવાનુપ્રિય તમે જોયેલા સ્વપ્નોથી તમને અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે.
હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તમે નવ માસ સારી રીતે પરિપૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ ગયા બાદ આપણા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org