________________
૨૪૨
આગમ કથાનુયોગ-૧
અને ઊંચા પ્રકારના મહામણિઓના સમૂહ વડે જડાયેલા ૧૦૦૮ સ્તંભો હતા કે, જે પોતાના અલૌકિક પ્રકાશથી આકાશ-મંડળને આલોકિત કરી રહ્યા હતા. તેમાં સુવર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છ લટકતા હતા. તે કારણે તે વિમાન અતિ તેજસ્વી લાગતું હતું. તેમાં દિવ્ય માળાઓ પણ લટકતી રહી હતી. તેમાં વરૂ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂ૩મૃગ, શરભ, ચમરી ગાય તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથી, વનલતા, પઘલતા વગેરેના વિવિધ ચિત્રો ચિતરેલા હતા.
તેમાં ગંધર્વોના મધુર સ્વરે ગવાતા ગીતો અને વગાડાતા વાજિંત્રોનો પૂર્ણનાદ સંભળાઈ રહ્યો હતો. જળથી ભરેલા ઘટાટોપ બનેલા અને વિસ્તારવાળા મેઘની ગર્જના સદશ દેવદુંદુભિના મોટા શબ્દ–અવાજ તેમાં થઈ રહેલ હતો, તેના કારણે સકળ જીવલોકને તે શબ્દાયમાન – વ્યાપ્ત કરતું હોય તેમ લાગતું હતું. કાળાગુરુ, શ્રેષ્ઠ કુંદક, તુરષ્ક તથા બળી રહેલા ધૂપથી તથા બીજા પણ સુગંધી દ્રવ્યો વડે તે વિમાન મહેંકી રહ્યું હતું. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધને લીધે તે મનોહર દેખાતું હતું. તે વિમાનમાં નિરંતર પ્રકાશ રહેતો હતો. તે શ્વેત અને ઉજ્વળ પ્રભાવાળું હતું. ઉત્તમ દેવતા વડે શોભી રહ્યું હતું. સદા શાતાવંદનીય કર્મના ઉપભોગથી યુક્ત, અન્ય વિમાનો કરતા ઉત્તમ અને શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે.
( ભગવતી સૂત્ર–૫૧ની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં અહીં એક સ્પષ્ટીકરણ છે કે, બારમાં સ્વપ્ન માટે વિનામવM શબ્દ વપરાયો છે તેનો અર્થ :- (૧) વિમાન અને ભવન એક જ છે. વિમાન આકારનું ભવને તે વિમાનભવન અથવા (૨) જો તીર્થકર દેવલોકથી ઍવીને આવે તો તેમની માતા વિમાન જુએ છે અને જો નરકમાંથી તે જીવ આવે તો માતા ભવન જુએ છે.) ૦ તેરમું સ્વપ્ન – રત્નનો રાશિ :
ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી તેરમાં સ્વપ્નમાં રત્નનો રાશિ જુએ છે. તે રત્નનો ઢગલો ભૂમિ ઉપર રાખેલ હતો. તેમાં પુલક, વજ, ઇન્દ્રનીલ, શાસક, કર્કતન, લોહિતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિય, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રત્નો હતા. તે રત્નો વડે આકાશમંડલને અંત સુધી શોભાવતો હતો. તે રત્નોનો રાશિ મેરૂ પર્વત સદશ ઊંચો હતો. આવા પ્રકારના રત્નસમૂહને તે ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ ચૌદમું સ્વપ્ન – નિર્ધમ અગ્નિ :
તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમા સ્વપ્નમાં (અશ્ચિ)શિખા – નિર્ધમ અગ્રિને જુએ છે. તે અગ્નિની શિખા વિસ્તારવાળી અર્થાતુ ઉપરની તરફ ઉઠી રહી હતી. તે ઉજ્વલ ઘી અને પીળા મધ વડે સિંચાતી, ધૂમાડા રહિત, ધગધગતી અને જાજ્વલ્યમાન એવી બળી રહેલી હતી. તે વાલા વડે અગ્નિ ઉત્પલ અને મનોહર લાગતો હતો. તે અગ્નિજ્વાલા તરતમ યોગયુક્ત અર્થાત્ એકબીજાની અપેક્ષાએ નાની–મોટી અને પરસ્પર મિશ્રિત લાગતી હતી. એકબીજા સાથે સ્પર્ધા કરતી અગ્રિમાં પ્રવેશી રહી હોય તેમ લાગતી હતી. તેમાંની ઊંચી જ્વાલા એટલી ઊંચી ઉઠતી હતી કે તે આકાશને પકડવાની તૈયારી કરતી હોય તેવી લાગતી હતી. તેના અતિશય વેગને કારણે અગ્નિશિખા ઘણી ચંચળ લાગતી હતી. એવા પ્રકારના નિર્ધમ અગ્રિને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org