________________
તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૪૧
તેમાં જળચર જીવોનો સમૂહ વ્યાપ્ત હતો. મત્સ્યાદિ તેનાં જળનું પાન કરી રહ્યા હતા. તે સરોવર ઘણું મોટું હતું, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, લાલ કમળો, મોટા કમળો, શ્વેત કમળો એ રીતે વિવિધ જાતિનાં કમળોના વિશાળ અને ફેલાઈ રહેલા કાંતિઓના સમૂહ વડે શોભી રહ્યું હતું. તેના રૂપની શોભા રમણીય હતી.
- પ્રમુદિત એવા ભમરા અને મદોન્મત મધુકરી તે કમળો પર બેસીને તેનું રસપાન કરી રહ્યા હતા. તે સરોવર ઉપર મધુર કલરવ કરનારા કલહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે વિવિધ પક્ષીઓના યુગલોનો સમૂહ જળક્રીડા કરી રહેલ હતો. તેમાં કમલિની દળ ઉપર રહેલાં જળકણો સૂર્યના કિરણો પડવાથી મોતીની જેમ ચમકી રહ્યા હતા. અર્થાત્ કમલિનીઓના પાંદડા નીલરત્ન જેવા શોભતા હતા અને જલબિંદુ મોતી જેવા ચમકતા હતા. તેથી પઘસરોવર આશ્ચર્યકારી લાગતું હતું. હૃદય અને નેત્રોને પરમ શાંતિદાયક, સરોવરોને વિશે પૂજનીય અને કમળોથી રમણીય એવું પuસરોવર ત્રિશલા ક્ષત્રિયાણી દશમાં સ્વપ્નમાં જુએ છે. ૦ અગિયારમું સ્વપ્ન – ક્ષીર સમુદ્ર :
ત્યારપછી અગિયારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણી ક્ષીરસમુદ્રને જુએ છે. તે ક્ષીરસમુદ્રનો મધ્યભાગ ચંદ્રકિરણોના સમૂહ સટશ શોભાયમાન અને અત્યંત ઉજ્વળ હતો. તેમાં ચારે દિશાના માર્ગોમાં પાણીનો સમૂહ અતિશય વધતો હતો. અર્થાત્ અગાધ જળપ્રવાહવાળો હતો. તેની લહેરો ચંચળ અને ઉછળતી હતી. તેના વડે સમુદ્રનું પાણી વારંવાર એકઠું થઈને જુદું પડતું હતું. તેના પ્રગટ તરંગો સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલ અને તેથી જ ચપળ બનેલ હતા. તેના મોજા (તરંગ વિશેષ) આમતેમ નાચી રહ્યા હતા. તેની સ્વચ્છ અને ઉછાળા મારતી ઉર્મિઓ ભયભ્રાંત થઈ હોય તેમ અતિશય ક્ષોભ પામતી ચારે બાજુએ અથડાતી હતી. તેને લીધે તે અત્યંત શોભતો હતો.
આ રીતે તરંગ–મોજા (ભંગ) અને ઉર્મિઓ (પાણીના લોઢ)ની સાથેના સંબંધથી તે સમુદ્ર કાંઠા તરફ દોડતો અને કાંઠેથી પાછો ફરતો હોય તેવો – દેદીપ્યમાન અને જોનારાને પ્રીતિ ઉપજાવનારો લાગતો હતો. તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિંગલ મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલક વગેરે જુદી જુદી જાતના જળચર જીવો પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતા હતાં ત્યારે તેની ચારે બાજુ કપૂર જેવાં ઉજ્વળ ફીણ ફેલાતા હતા. મહાનદીઓનો પ્રવાહ તેમાં જોશભેર દોડી આવવાથી તેમાં ગંગાવર્તિ નામના આવર્ત ઉત્પન્ન થતા હતા. તે આવર્ત-ઘૂમરીમાં વ્યાકુળ થતું અને આવર્તમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળવાનો અવકાશ નહીં હોવાથી ઊંચે ઉછાળા મારતું અને પાછું તે જ ઘૂમરીમાં પડતું અને તેથી જ ચક્રાકાર ભમી રહેલ ચપળ પાણી જેમાં રહેલું છે એવા પ્રકારના ક્ષીર સમુદ્રને શરદઋતુના ચંદ્રમાં જેવા સૌમ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી અગિયારમાં સ્વપ્નમાં જુએ છે. ૦ બારમું સ્વપ્ન – વિમાન :
ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી બારમા સ્વપ્નમાં વિમાન જુએ છે. તે વિમાન નવા ઉગેલા સૂર્યના બિંબ માફક કાંતિવાળું અને દેદીપ્યમાન હતું. તેમાં ઉત્તમ જાતિના સુવર્ણ
Jain
International
For Private & Personal Use Only
www.jainelibrary.org