SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા (૨) “સંહરણ થઈ રહેલ છે.' તે પણ જાણતા હતા. જો કે કલ્પસૂત્રની પૃથ્વીચંદ્ર કૃતુ ટીપ્પણમાં તો “તિજ્ઞાળોવાણ સાહરિગ્રિસ્લામિ જ્ઞાતિ વ્યવનવવું જ્ઞેયમ્ એમ લખ્યું જ છે.) (કલ્પસૂત્ર–૩૧–વૃત્તિગત સ્પષ્ટીકરણ : અહીં કોઈ શંકા કરે કે, સંહરણ કાળ તો અસંખ્ય સમયનો છે તો આવી અસંખ્ય સમયવાળી ક્રિયા પ્રભુ કેમ ન જાણે ? સંહરણ ક્રિયાકાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉ છું એમ પ્રભુ જાણે તો ખરા જ. પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશળતાને જણાવનારું છે. હરિણેગમેષી દેવે તે ગર્ભનું એવી કુશળતાથી સંહરણ કર્યું કે, જેથી પ્રભુને લેશ માત્ર પણ પીડા થઈ નહીં. તેથી પ્રભુએ જાણવા છતાં પણ જાણ્યું જ નથી તેમ કહેવાયું અર્થાત્ આ “વ્યવહાર સત્ય' રૂપ વાક્ય છે. બાકી તો ઉભય પાઠભેદનો નિર્ણય બહુશ્રુતો જ કરી શકે) ૦ દેવાનંદાની સ્થિતિ : ૨૩૫ જે રાત્રે શ્રમણ ભગવાન્ મહાવીર જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી અર્થાત્ અનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે, તેના ઉદાર, કલ્યાણકારી, ઉપદ્રવહર, ધન્ય, મંગળરૂપ અને શોભા સહિત (હવે કહેવાશે તેવા) ચૌદ મહા સ્વપ્નોને ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે. એવું સ્વપ્ન જોઈને તે જાગી. તે ચૌદ મહાસ્વપ્નો હાથી, વૃષભ ઇત્યાદિ હતા. ૦ ત્રિશલાનું શયનગૃહ અને સ્વપ્નદર્શન : જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા તે રાત્રિએ તે ત્રિશલા ક્ષત્રિયાણી ભવ્ય (શયનમંદિર) વાસગૃહમાં નિદ્રા લઈ રહ્યા હતા. * તે વાસગૃહનો અંદરનો ભાગ ચિત્રો વડે સુશોભિત હતો. બહારનો ભાગ ચૂના વડે ધોળાયેલો હતો. ઘસીને તે ચીકણો, સુંવાળો તથા ચમકદાર બનાવેલો હતો. ઉપરનો ભાગ પણ વિવિધ પ્રકારના ચિત્રો વડે ચિતરેલ હતો. મણિરત્નોની ઝગમગાટ કરતી જ્યોતિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. તેનું તળીયું પણ દેદીપ્યમાન હતું. ત્યાંનો ભૂમિભાગ સમતલ અને સુવિભક્ત હતો. તેમજ પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલો હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિ રચના વડે મનોહર લાગતો હતો. તેના પર પંચવર્ણી સરસ સુગંધિત ફૂલો ત્યાં વિખેરાયેલા પડ્યા હતા. Badide તે વાસગૃહ કાલગુરુ, ઉત્તમ કુંદરુ, લોબાન અને દશાંગાદિ ધૂપના જ્વલનથી મહેકતો હતો. તેની સુગંધ ચારે તરફ ફેલાઈ રહી હતી. તે સર્વે વડે તે રમણીય બન્યો હતો. ઉત્તમ ગંધવાળા સુગંધી ચૂર્ણોની સુગંધવાળો હતો. સુગંધી દ્રવ્યોની બનેલી ગુટિકા તુલ્ય સુગંધિત હતો. આવા શ્રેષ્ઠ વાસગૃહ—શયનમંદિરમાં ત્રિશલાક્ષત્રિયાણી સૂતા હતા. તે શય્યા પણ અવર્ણનીય તથા અતિશય પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય તેવી હતી. તે આ પ્રમાણે :- શરીર પ્રમાણ દીર્ઘ (ગાદલાવાળી), જેની બંને બાજુએ એટલે કે, મસ્તક અને પગ રાખવાને સ્થાને તકીયા ગોઠવેલા હતા. તે તકીયાને કારણે બન્ને બાજુએ ઊંચી અને મધ્યના ભાગમાં ગંભીર (નીચી) હતી. ગંગાનદીના તટની રેતી સમાન તે - Jain Education International For Private & Personal Use Only --- www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy