________________
૨૩૪.
આગમ કથાનુયોગ-૧
બિલકુલ કષ્ટ ન પહોંચે તે રીતે સુખપૂર્વક પોતાના દિપ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવે છે અને જે તે ત્રિશલાક્ષત્રિયાણીનો ગર્ભ હતો તે ગર્ભને જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કશિમાં ગર્ભપણે સંક્રમાવે છે.
એ રીતે ગર્ભનું સંકરણ કરીને (તે દેવ) જે દિશાથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો જાય છે. (તે હરિભેગમેષી દેવ) ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, વેગયુક્ત, બીજી સઘળી ગતિને જીતનારી, ઉપર તરફ જતી, શીઘ, દેવોને યોગ્ય એવી દેવગતિ વડે તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રની ઠીક મધ્યમાંથી થઈને લાખ યોજન પ્રમાણવાળી ગતિથી દોડતો— દોડતો જ્યાં સૌધર્મ દેવલોક છે, સૌધર્માવલંસક વિમાન છે અને શક્ર નામના સિંહાસન ઉપર દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠો છે ત્યાં આવે છે. આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની આજ્ઞા શીઘ્ર સમર્પિત કરે છે. એટલે કે, આજ્ઞાનુસાર કાર્ય થયાનું નિવેદન કરે છે. ૦ ગર્ભ સંહરણ–દિન :
તે વખતે જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અને પોતાની તથા શક્રની અનુકંપાથી તે દેવે તેનો જિતાચાર અર્થાત્ પરંપરાનુસાર આચાર સમજીને આ સંકરણ કર્યું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જે તે વર્ષાકાળનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે કે, આસો માસના કૃષ્ણ પક્ષની તેરશની રાત્રિએ અર્થાત્ આસો વદ–તેરશ (ગુજરાતી ભાદરવા વદ-૧૩)ની રાત્રિએ (દેવાનંદાના ગર્ભમાં આવ્યાને) વ્યાશી રાત્રિ-દિવસ ગયા બાદ અને ચાશીમાં દિવસની મધ્ય રાત્રિએ પ્રભુ ઉપર ભક્તિવાળા હરિભેગમેષી દેવે શક્રના વચનથી આજ્ઞા પામીને બ્રાહ્મણ કુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુલિમાંથી ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં જ્ઞાતકુળના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુલિમાં મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે પ્રભુને કષ્ટ ન પહોંચે તે રીતે સુખપૂર્વક (ત્રિશલા માતાની) કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવ્યા.
( ભગવતી સૂત્ર–૨૨૭માં પણ ગર્ભ સંવરણ સંબંધે પ્રશ્નોત્તરમાં નોંધ્યું છે કે, તે હરિણગમેલી દેવ પોતાના હાથથી ગર્ભનો સ્પર્શ કરી-કરીને, તે ગર્ભને જરાપણ પીડાં ન પહોચે તે રીતે તે ગર્ભને યોનિ દ્વારા બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખી દે છે. તે હરિáગમેલી દેવ, સ્ત્રીના ગર્ભને નખાગ દ્વારા અથવા છિદ્ર દ્વારા ગર્ભાશયમાં રાખવો કે ગર્ભાશયથી કાઢવામાં સમર્થ હોય છે. તે દેવ તે ગર્ભને કિંચિત માત્ર પણ પીડા પહોંચાડતો નથી. હાં તે ગર્ભનો વિચ્છેદ કરે છે. પછી તેને ઘણો જ સૂક્ષ્મ કરીને ઉદરમાં મૂકી દે છે અથવા બહાર કાઢે છે અર્થાત્ સંકરણ કરે છે.)
હે આયુષ્યમાન્ શ્રમણો! શ્રમણ ભગવાન્ મહાવીરનું જ્યારે દેવાનંદાની કુલિમાંથી ત્રિશલા માતાની કૃષિમાં ગર્ભ સંહરણ થયું ત્યારે પ્રભુ મતિ–શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું સંતરણ થશે” એ પ્રમાણે તે જાણતા હતા. “સંહરણ થઈ રહેલ છે' તે જાણતા ન હતા. “સંહરણ થઈ ગયું છે.' તે જાણતા હતા.*
( ઉક્ત પાઠ કલ્પસૂત્ર-૩૧નો છે. આચારાંગ સૂત્ર-૫૧૦માં વૃત્તિમાં પણ આ પ્રમાણે પાઠ છે. પણ આચારાંગ–મૂળસૂત્રમાં ભિન્ન ભિન્ન પ્રતિઓ જોતા બે પ્રકારના પાઠ મળે છે –
(૧) “સંહરણ થઈ રહેલ છે" તે જાણતા ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org