________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા
૨૩૧
(૨) આવશ્યક નિર્યુક્તિ–૪૫૦, ૪પ૭ + વૃત્તિ મુજબ ર૬મા ભવે ભમહાવીર, આવશ્યક
ચૂર્ણિ ૧-૫. ૨૩૬ મુજબ ૨૬મા ભવે ભ૦ મહાવીર. (૩) સમવાય સૂત્ર ૨૧૩ની વૃત્તિ મુજબ ૨૬મા ભવે દેવાનંદાના ગર્ભમાં.
પ્રાણત દેવલોકના પુષ્પોત્તર વિમાનથી વીશ સાગરોપમનું પૂર્ણાયુ ભોગવી ત્યાંથી ચ્યવીને બ્રાહ્મણ કુંડગ્રામ નગરે કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. કેમકે મરીચિના ભવમાં કુળમદ કરીને નીચગોત્રકર્મ બાંધેલ હતું. તે કિંચિત્ ભોગવવાનું બાકી હતું. તે નીચગોત્ર કર્મના ઉદયથી તે જીવ આવા નિમ્નકુળમાં આવ્યો.
૦–૦ સત્તાવીશ ભાવસંબંધિ અંતિમ ખુલાસો ૧. કલ્પસૂત્ર વૃત્તિ, ચરિત્ર ગ્રંથ, વ્યવહાર પ્રસિદ્ધિ મુજબ ૨૭ ભવ પુરા થયા. ૨. આવશ્યક નિર્યુક્તિ અને ચૂણિને આધારે ૨૬ ભવ છે. કેમકે ત્યાં બાવીશમાં ભવે મનુષ્યપણું
પામ્યાનો કોઈ સ્વતંત્ર નિર્દેશ નથી. પરંતુ બાવીશમો ભવ પ્રિયમિત્ર ચક્રવર્તીનો કહ્યો છે. ૩. સમવાય સૂત્ર ૨૧૩ની અભયદેવસૂરિ કૃતુ વૃત્તિ ૨૭ ભવ જણાવે છે તે
આ પ્રમાણે છે :- (૧) ભગવંત પોલિ નામે રાજપુત્ર થયા... પછી (૨) બીજો ભવ સહસ્ત્રાર કલ્પ સર્વાર્થ વિમાને દેવ થયા. પછી (૩) નંદન નામે રાજપુત્ર થયા પછી (૪) દશમા દેવલોકે... દેવ થયા પછી (૫) .... દેવાનંદાની કુતિમાં ઉત્પન્ન થયા. પછી (૬) ચાશીમે દિવસે.... ત્રિશલા રાણીની કૃષિમાં ઇન્દ્રના વચનથી પરિણેગમેલી દેવ વડે સંતરાઈને તીર્થકરપણે જન્મ્યા. ૩રું મવશ્રણ વિના नान्यद्भवग्रहणं षष्ठं श्रूयते भगवतइत्येव षष्ठभवग्रहणतया व्याख्यातं यस्माच्च भवग्रहणादिदं Tઇ વચ્ચેતક્ષાત્ પદમેતે સુદૂધ્યતે તીર્થર-મવગ્રહત્િ છે પોતિમવગ્રહને રૂતિ ! આ રીતે પોટ્ટિલ (પ્રિય મિત્રચક્રી)ના ભવથી બાવીસમાં ભવ ગણના પ્રમાણે ૨૭મો ભવ અલગ ગણ્યો છે. ત્યાં બાવીશમો અંક એવું ભલે જણાવેલ નથી પણ દેવાનંદાના ગર્ભમાં પાંચમો અને ત્રિશલારાણીની કુતિથી તીર્થકરપણે છઠો એમ બંને અલગ ભવોનું સ્પષ્ટ વિધાન છે. અલબત સમવાયાંગ વૃત્તિ સિવાય આ વાત
ક્યાંય જોવા મળી નથી. તે વખતના સમર્થ વૃત્તિકાર હરિભદ્રસૂરિ કે મલયગિરિજીએ પણ વાત ક્યાંય નોંધી નથી. ચૂર્ણિકારે પણ નોધી નથી. ચરિત્રગ્રંથકારોએ પણ નોધી નથી, તો સામે પક્ષે સમવાય સૂત્ર-ર૧૩ની વૃત્તિમાં અભયદેવ સૂરિજી તો “જ'કાર પૂર્વક આ વાતનો નિર્દેશ કરે છે અને અન્ય કોઈ સ્પષ્ટીકરણ આપતા જ નથી.
સત્ય શું ? તે બહુશ્રુતો જાણે.
દેવાનંદાના ગર્ભ અને ત્રિશલારાણીના ગર્ભને અલગ અલગ ભવરૂપે ગણવાની વાત કેમ નોંધી છે? તે પણ બહુકૃતો જ કહી શકે. કેમકે કલ્પસૂત્ર અને આચારાંગસૂત્રમાં જે નવ માસ સાત દિવસની ગર્ભસ્થિતિ જણાવી તે – તો દેવાનંદાની કુલિથી જ દિનગણના પ્રમાણે છે. ૦ શક્રેન્દ્રની વિચારણા – (ચાલુ) –
(સૌધર્મેન્દ્ર શક્ર વિચારતા હતા કે ઉક્ત પ્રકારે નીચ ગોત્રકર્મના ઉદયથી શ્રી વીર પ્રભુનો જીવ નીચ કુળમાં આવ્યો. –૪–૪– પછી દશ આશ્ચર્યો અને ભગવંત મહાવીરના ભવોનો પ્રસંગ મુજબ ઉલ્લેખ કર્યો –૪–૪– સૌધર્મેન્દ્ર આગળ વિચારે છે)
નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થવાથી (કદાચ) અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણકુળ કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હતા–આવે છે કે આવશે. કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા હતા–થાય છે કે થશે. પરંતુ તેઓ કદાપિ ત્યાં જન્મ્યા નથી – જન્મતા નથી અને જન્મશે પણ નહીં. (જ્યારે) આ શ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org