SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૧ ગાયનના રસમાં તલ્લીન બનેલા શવ્યાપાલકે ગાયન બંધ ન કરાવ્યું. તેથી વાસુદેવ થોડી વારમાં જાગી ગયા. સંગીત–ગાન ચાલ જોઈને દ્વારપાળ પર ક્રોધિત થયેલા વાસુદેવે તેને ધમકાવ્યો, દુષ્ટ ! શું મારી આજ્ઞા કરતા પણ તને ગાયન વધુ પ્રિય છે ? તો હવે તેનું ફળ પણ ભોગવ. એમ કહીને તેમણે શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી દીધો. આ કૃત્યથી પ્રભુના જીવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. એ રીતે મહારંભ–મહાપરિગ્રહમાં આસક્ત બનીને અનેક દુષ્કર્મો કર્યા. ચોર્યાશી લાખ વર્ષ સુધી અર્ધ ભારતની રાજલક્ષ્મી ભોગવી મૃત્યુ પામ્યા. પૂર્વના ભવે મથુરામાં ગાયના નિમિત્તે તેણે નિયાણ કરેલ. સર્વે વાસુદેવો (કેશવો) નિયાણા કરેલા જ હોય છે. નિયાણાના પ્રતાપે તેઓ નિત્ય અધોગામી અર્થાત્ નરકગામી જ થાય છે. તેના ભાઈ અચલ બળદેવ કે જે પૂર્વ ભવે વિશ્વનંદના જીવ હતા અને તેણે પણ આર્યસંભૂત સ્થવર પાસે દીક્ષા ગ્રહણ કરેલી. પણ સર્વે રામ અર્થાત્ બળદેવો નિયાણારહિત હોય છે અને તેઓ નિત્ય ઉર્ધ્વગામી અર્થાત્ સ્વર્ગ કે મોક્ષે જનારા હોય છે. તેમ અચલ બળદેવ દીક્ષા લઈને બ્રહ્મદેવલોકે ગયા. ( ભ મહાવીરના પૂર્વભવરૂપે તેમજ ત્રિપૃષ્ઠ–વાસુદેવ, અચલ બળદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ માટે વર્તમાનકાલીન આગમમાં આટલી માહિતી અમોને પ્રાપ્ત થઈ છે. ફક્ત વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવનું ચરિત્ર જાણવાની જિજ્ઞાસાવાળાએ વિરોષ માહિતી ત્રિષષ્ઠિ શલાકા, કે ચઉપ્પન મહાપુરુષ આદિ ચરિત્ર ગ્રંથોથી જાણવી. આગમ કથાનુયોગમાં પ્રાપ્ત માહિતી અત્રે જણાવી દીધેલ છે.) ૦ ત્રિપૃષ્ઠના ભવના આગમ સંદર્ભ :આવ.નિ. ૪૦ર થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૪૭, ૪૪૮ + વૃ. આવા નિ ૪૪પની . આવ.ભા.૪૦ થી ૪3 આવ.પૂ.૧–પૃ. ૨૩ર થી ર૩૫; આવમ.પૂ. ૨૫૦; કલ્પસૂત્ર–૧૯ની . સમ. ૧૫૯, ૧૬૩, ૩ર૧ થી ૩૨૬, ૩૨૮ થી ૩૪ર; (૧૯) સાતમી નરક-ઓગણીસમો ભવ : ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું ૩૩ સાગરોપમ આયુષ્ય હતું. (૨૦) સિંહ–વીસમો ભવ : ભમહાવીરનો જીવ વીસમા ભવે સિંહ થયા. (૨૧) ચોથી નરક–એકવીસમો ભવ : ત્યાંથી મૃત્યુ પામીને ચોથી નરકે ગયા. –૦- ચોથી નરકથી નીકળીને કેટલાંક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. (તેની ગણના કરાઈ નથી.) – આવ. નિ. ૪૪૮ + વૃ. આવ.ચૂં.૧–પૃ. ૨૩૫, કલ્પ.સૂ.૧૦–વૃ. # બાવીશમાં ભવથી ત્રણ પ્રકારે ભવગણના જોવામાં આવે છે. ૧. લોક પ્રસિદ્ધ ૨૭–ભવની ગણના : લ્પસૂત્ર–૧૯ત્ની વૃત્તિ મુજબ ૨૨મે ભવે મનુષ્ય થયા. (આ અભિપ્રાય ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, પર્વ–૧૦, સર્ગ–૧, શ્લોક-૧૮૩નો પણ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy