________________
૨૨૪
આગમ કથાનુયોગ-૧
રાજા પ્રજાપતિ તે વખતે અંતઃપુરમાં ગીત-સંગીત આદિનો આનંદ માણી રહ્યા હતા. તે જ સમયે દૂતે પ્રવેશ કર્યો. અચાનક આવેલા દૂતને જોઈને રાજા ઊભા થઈ ગયા. ગીત–સંગીત સ્થગિત થઈ ગયા. બંને કુમારો ત્રિપૃષ્ઠ અને અચલને તે ન ગમ્યું. તેઓએ પૂછયું કે, આ કોણ છે ? રાજાએ જણાવ્યું કે, તે અશ્વગ્રીવ રાજાનો દૂત છે. તે કુમારોએ અનુચરોને કહ્યું કે, આ દૂત જાય ત્યારે અમને જણાવજો. રાજાએ તે દૂતનો સત્કાર કરી વિદાય આપી.
અનુચરો દ્વારા જ્યારે બંને કુમારોને આ સમાચાર મળ્યા. ત્યારે તે બંનેએ જઈને માર્ગમાં અડધેથી પકડી તે દૂતને ખૂબ માર માર્યો. તે દૂતના સહાયકો દિશા–વિદિશામાં ભાગી છૂટ્યા. જ્યારે પ્રજાપતિ રાજાએ આ વાત જાણી ત્યારે તે ચિંતાતુર બની ગયા. દૂતને પાછો બોલાવી બમણું–ત્રણગણું ઇનામ આપીને કહ્યું કે, મારા પુત્રોની આ ભૂલ અશ્વગ્રીવ રાજાને ન કહેશો. દૂતે તો આ વાત સ્વીકારી પણ તેના સાથીઓ જે પહેલા પહોંચી ગયા હતા. તેણે બધો વૃતાંત અશ્વગ્રીવ રાજાને કહી દીધો.
ત્યારે અશ્વગ્રીવ રાજા અતિ ક્રોધિત થઈ ગયો. તેણે બંને રાજકુમારોને મરાવી નાંખવાનો નિશ્ચય કર્યો. અશ્વગ્રીવે શાલિપાચની ખેતી કરાવડાવી. પોતાના બીજા દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. દૂતે આદેશ સંભળાવ્યો કે, ખેતરમાં એક કુર સિંહે ઉપદ્રવ મચાવ્યો છે. ત્યાં રખેવાળોને મારી નાંખ્યા છે. તેથી તમે જઈને શાલિક્ષેત્રની રક્ષા કરો. પ્રજાપતિ રાજાએ પુત્રોને બોલાવીને ઠપકો આપ્યો કે, “તમે દૂતની સાથે દુર્વ્યવહાર કરી અકાળે મૃત્યુને આમંત્રણ આપ્યું છે. તેથી મારો વારો ન હોવા છતાં રાજાએ આ આજ્ઞા કરી છે.
- ત્યાર પછી પ્રજાપતિ રાજા ત્યાં જવા માટે તૈયાર થયા. ત્યારે બંને પુત્રોએ તેને રોકીને કહ્યું કે, અમે બે જઈશું. તે બંનેને રોકવા છતાં ધરાર ગયા. ત્યાં જઈને ખેતરના રક્ષકોને પૂછયું, બીજા રાજાઓ આ ખેતરની રક્ષા કઈ રીતે કરે છે ? ખેતર રક્ષકોએ જણાવ્યું કે, હાથી, ઘોડા, રથ અને પુરુષોની એવી ચતુરંગિણી સેનાનો પડાવ નાંખી અહીં રહે છે. કેટલા સમય સુધી ? શાલિ ધાન્ય પાકે ત્યાં સુધી. ત્રિપૃષ્ઠએ પૂછયું, તે દુર સિંહ કયાં રહે છે ? મને તે સ્થાન બતાવો. તેઓએ કહ્યું કે, આ ગુફામાં રહે છે.
ત્યારે રથ પર આરૂઢ થઈને કુમારે તે ગુફામાં પ્રવેશ કર્યો. લોકોએ બંને તરફ નાદ કરી સિંહને જગાડ્યો. પછી તેઓ નીકળી ગયા. ત્રિપૃષ્ઠ વિચાર્યું કે, આ સિંહ પગે ચાલે છે અને હું રથમાં બેઠો છું. વળી તેના શસ્ત્રો તેના દાંત અને નખ છે. હું તલવાર અને ખગ સહિત છું. આ રીતે તેના પર આક્રમણ કરવું ઉચિત નથી. તેથી તે રથમાંથી નીચે ઉતરી ગયા અને શસ્ત્રોનો પણ ત્યાગ કર્યો. સિંહને તે જોઈને ક્રોધ ચડ્યો. એક તો આ રથમાં એકલો ગુફામાં આવ્યો છે. બીજું તે જમીન પર ઉતર્યો છે. ત્રીજું શસ્ત્રો નીચે મૂકી દીધા છે. “હવે તેને એક ઝપાટામાં હું ચીરી નાખું” એમ વિચારી સિંહે મહાગર્જના કરી.
ત્રિપૃષ્ઠ એક હાથે તેનું ઉપરનું જડબું અને બીજા હાથે નીચેનું જડબું પકડીને જરી પુરાણા વસ્ત્રને ચીરતો હોય તેમ સિંહના બે ફાડચા કરી નાંખ્યા. (કેમકે તેણે પૂર્વે વિશ્વભૂતિના ભવમાં અતિશય બળવાનું થવાનું નિયાણું કરેલ હતું.) ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org