________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૨૧
-૦- મહેન્દ્ર દેવલોકથી વી કેટલોક કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું (તેની ગણના કરાઈ નથી) – આવ.નિ. ૪૪૩ + વૃ, આવ.પૂ.૧–પૃ.૨૩૦, કલ્પ.સુ. ૧૯–4. (૧૪) સ્થાવર બ્રાહ્મણ-ચૌદમો ભવ :
ભમહાવીરનો જીવ ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી–પરિવ્રાજક થઈને મૃત્યુ પામ્યા. (૧૫) બ્રહ્મ દેવલોક-પંદરમો ભવ :
- ત્યાંથી બ્રહ્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
–૦- બ્રહ્મલોકથી ચવીને તેણે ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું. (તેની ગણના કરાઈ નથી) આવ.નિ. ૪૪૩ + વૃ, આવ યૂ.૧–પૃ. ૨૩૦; કલ્પ.સ્. ૧ત્ની વૃ. (૧૬) વિશ્વભૂતિ-સોળમો ભવ :
ભમહાવીરનો જીવ સોળમાં ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખભૂતિના પુત્ર વિશ્વભૂતિ ક્ષત્રિય થયા. તેની માતાનું નામ ધારિણી હતું. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખનંદી હતું. વિશ્વભૂતિનું આયુષ્ય એક કરોડ વર્ષ હતું. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં સ્વચ્છંદપણે ક્રીડા કરતા સુખપૂર્વક વિચારી રહ્યા હતા. વિશાખાનંદીના માતા–મહારાણીની દાસીઓ તે ઉદ્યાનમાં પુષ્પ–પત્ર આદિ લેવા માટે આવી. વિશ્વભૂતિને ત્યાં ક્રીડા કરતાં જોઈને તેમને ઇર્ષ્યા જન્મી.
તે દાસીઓએ આવીને રાજરાણીને કહ્યું, મહારાણી ! સાચું સુખ તો વિશ્વભૂતિકુમાર ભોગવે છે. વિશાખનંદી રાજકુમાર હોવા છતાં પણ તેને વિશ્વભૂતિ જેવું સુખ ક્યાં છે ? કહેવામાં તો આપ ભલે આપનું રાજ્ય કહો. પણ સાચું રાજ્ય તો વિશ્વભૂતિનું છે. આ પ્રમાણે તે કુમાર વિલાસ કરે છે તો આપણે રાજ્ય કે બળનો શો અર્થ છે? જો વિશાખનંદી આવા ભોગ ન ભોગવે તો શો અર્થ છે ? રાણી તે દાસીઓ પાસેથી આ વાત સાંભળી ઇર્ષ્યાવાળી બની. તેણી રોષથી કોપ ભવનમાં ચાલી ગઈ. જો હજી રાજાની હયાતિ છે ત્યાં આ સ્થિતિ છે, તો જ્યારે રાજાનું મૃત્યુ થશે, ત્યારે અહીં અમારું શું થશે ?
ત્યારે રાજા વિશ્વનંદી ત્યાં રાણી પાસે કોપભવનમાં આવ્યા. તેણીએ પ્રસાદ (ભોજન) ગ્રહણ ન કર્યું. તેણીએ કહ્યું, તમારા હોવા છતાં અમારે આ રાજ્ય શા કામનું? પછી ત્યાં જવા માટે મંત્રીને આજ્ઞા કરી, મંત્રી ગયા, તો પણ તેણી માની નહીં. ત્યારે મંત્રીએ કહ્યું, હે રાજન્ ! તમે રાણીના વચનને અવગણો નહીં. રાજાએ પૂછયું કે, “શો ઉપાય કરવો ?' અમારી કુળ પરંપરાની મર્યાદા છે કે જ્યાં સુધી પ્રથમ પુરુષ અંતઃપુર સહિત ઉદ્યાનમાં હોય ત્યાં સુધી બીજો પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. ત્યારે વસંતઋતુ આવી. છેવટે મંત્રીએ ઉપાય શોધ્યો.
અજાણ્યા માણસ પાસે રાજાને બનાવટી સંદેશો પહોંચાડ્યો. રાજાએ યુદ્ધની ઉદઘોષણા કરી. યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ. વિશ્વભૂતિને તે સૂચના મળતાં જ તે ઉદ્યાનમાંથી નીકળીને રાજા પાસે પહોંચ્યા. રાજાને અટકાવી તે જાતે જ યુદ્ધ માટે ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org