________________
૨૨૦
આગમ કથાનુયોગ-૧
આવ.ચૂ ૧-૫૧૨૮, ૧૮૨, ૨૧૧, ૨૧૨, ૨૧૯, ૨૨૯, કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ
આવ.ભા. ૩૭, ૪૪ની વૃત્તિ; આવ.મલય.પૃ. ૨૪૭; (૪) બ્રહ્મદેવલોકભવ ચોથો :—
ભ૰મહાવીનો જીવ મરીચિનો ભવ પૂરો કરીને બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા.
(૫) કૌશિક બ્રાહ્મણ—પાંચમો ભવ :–
બ્રહ્મ દેવલોકથી ચ્યવીને તે કોલાક સંનિવેશમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. (વિષયમાં આસક્ત, દ્રવ્યોપાર્જનમાં તત્પર અને હિંસાદિકમાં ક્રુર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘો કાળ ગૃહસ્થાવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામ્યો કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ)
~~~ ત્યાર પછી તિર્યંચનારક—દેવના ભવો રૂપી સંસાર ચક્રમાં ઘણો કાળ ભમ્યા. અર્થાત્ સંસારમાં કેટલોક કાળ ભમ્યા. તે ભવો સ્થૂળ ભવોની ગણનામાં લેવાયા નથી આવ.નિ. ૪૪૦ની રૃ., આવ.યૂ.૧-પૃ. ૨૨૯; કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ. (૬) પુષ્યમિત્ર બ્રાહ્મણ—છઠ્ઠો ભવ :
ભ૰મહાવીરનો જીવ છટ્ઠા ભવે સ્થૂણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયા. પરિવ્રાજક દર્શનની દીક્ષા લીધી અર્થાત્ અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા.
(૭) સૌધર્મ દેવલોક—સાતમો ભવ :
• ત્યાંથી સૌધર્મકલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
(૮) અગ્નિદ્યોત બ્રાહ્મણ—આઠમો ભવ :—
ત્યાંથી ચ્યવીને ભ૰મહાવીરનો જીવ આઠમા ભવમાં ચૈત્ય સંનિવેશમાં સાઈઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા.
(૯) ઇશાન દેવલોક—નવમો ભવ :
ત્યાંથી ઇશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
(૧૦) અગ્નિભૂતિ બ્રાહ્મણ—દશમો ભવ :
ભ૰મહાવીરનો જીવ ઇશાનકલ્પથી ચ્યવીને મંદર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૧૧) સનત્કુમાર દેવલોક—અગિયારમો ભવ :
ત્યાંથી સનત્કુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
(૧૨) ભારદ્વાજ બ્રાહ્મણબારમો ભવ :–
ભ૰મહાવીરનો જીવ દેવલોકથી ચ્યવીને બારમા ભવે શ્વેતાંબી નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી–પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૧૩) માહેન્દ્ર દેવલોક—તેરમો ભવ :–
ત્યાંથી માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org