________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૧૯
અભિવાદન કર્યું. પછી ભરત મહારાજા અયોધ્યા નગરીમાં ગયા.
ત્યારે ભરત ચક્રવર્તીના તે વચન સાંભળીને મરીચિ અતિ હર્ષિત થયા. ત્રણ વખત પગ ઉપર હાથને પછાડીને નાચતા એવા બોલવા લાગ્યા કે, “હું પહેલો વાસુદેવ થઈશ, હું મૂકી નગરીમાં ચક્રવર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર થઈશ.” મને આવા પર્યાપ્ત લાભો પ્રાપ્ત થયા છે. હું વાસુદેવોમાં પહેલો વાસુદેવ થઈશ, મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છે. મારા દાદા તીર્થકરોમાં પ્રથમ તીર્થંકર છે. ખરેખર ! મારું કુળ કેટલું ઉત્તમ છે ? આ રીતે મરીચિએ જાતિનો મદ કરીને નીચ ગોત્રકર્મ બાંધ્યું. (કેમકે જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુતનો મદ કરવાથી જેનો જેનો મદ કરે તે-તે તેને હીન મળે છે અર્થાત્ તેની તેની હાનિ થાય છે.)
તે પૂર્વવર્ણિત મરીચિ ભગવંત ઋષભદેવના નિર્વાણ બાદ સાધુઓ સાથે વિચરતા હતા. લોકો પૂછે ત્યારે જિનપ્રણિત ધર્મની જ પ્રરૂપણા કરતા હતા. જે મનુષ્યો ધર્મ પામે તેને સાધુઓને જ શિષ્યરૂપે સોંપતા હતા. એક વખત તેનું સ્વાથ્ય બગડ્યું. પણ મરીચિ અવિરતિ હોવાથી કોઈ સાધુએ તેની સેવા કરી નહીં. ત્યારે તે વિચારવા લાગ્યા કે, આ સાધુઓ મારી સેવા કરતા નથી. કેમકે તેઓ તો નિષ્ઠિતાર્યા છે અર્થાત્ પોતાના શરીરની પણ મૂચ્છ ન રાખનારા કૃતકૃત્ય થયેલા સંયમી મુનિઓ છે. તેઓ અસંયતની સેવા કઈ રીતે કરે ? મારે પણ તેમ કરાવવું યોગ્ય નથી. તેથી હવે કોઈકને દીક્ષા આપી શિષ્ય બનાવીશ.
પછી મરીચિ અનુક્રમે નિરોગી થયા. તે વખતે કપિલ નામનો રાજપુત્ર ધર્મ શ્રવણની ઈચ્છાથી તેની પાસે આવ્યો. મરીચિએ તેને સાધુધર્મ–મુનિમાર્ગ સમજાવ્યો. કપિલે તેને સામો પ્રશ્ન કર્યો કે, જો આ (સાધુપણું) જ માર્ગ છે તો તમે સ્વયં તેનું કેમ પાલન કરતા નથી ? મરીચિએ તેને જણાવ્યું કે હું પાપી છું તેને પાલન કરવાને સમર્થ નથી વગેરે પૂર્વવત્ જણાવ્યું કર્મના ઉદયથી મુનિમાર્ગથી પરાક્મુખ બનેલા કપિલે ફરી પૂછયું કે, શું તમારા દર્શનમાં ધર્મ છે જ નહીં? ત્યારે મરીચિએ વિચાર્યું કે, ખરેખર ! આ ભારેકર્મી જીવ છે . તેથી તીર્થંકર પ્રરૂપેલ ધર્મને તે અંગીકાર કરતો નથી.
– આ મારે માટે જ શિષ્ય કરવા યોગ્ય છે. એમ વિચારીને કહ્યું કે, હે કપિલ ! અહીં પણ તે જ છે કે જે જિનધર્મમાં છે અર્થાત્ જિનેશ્વર પ્રરૂપિત માર્ગમાં ધર્મ છે, તેમ મારા માર્ગ પણ ધર્મ છે. કપિલે પણ એ વાત સાંભળીને તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ આ દુર્વચન વડે સંસારની અભિવૃદ્ધિ કરી. એક દુર્ભાપતિ વચન વડે મરીચિ દુઃખ સાગરને પ્રાપ્ત થયા. તેણે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ભ્રમણ વધાર્યું.
એ રીતે દુર્ભાષિત વચન વડે સંસાર ભ્રમણ અને પૂર્વોક્ત જાતિમદ વડે નીચગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, તે દુર્ભાષિત વચન અને જાતિમદની આલોચના કર્યા વિના જ આયુષ્ય પૂર્ણ કર્યું.
(મરીચિના ભવના આગમ સંદર્ભ )
આવ.નિ. ૧૪૮, ૧૪૯, ૩૪૭, ૧૪૮, ૩૫૦ થી ૩૬૧, ૩૬૭, ૪૨૨ થી ૪૩૨, ૪૩૭ થી ૪૪૦ તેમજ આ નિર્યુક્તિની વૃત્તિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org