SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આગમ કથાનુયોગ-૧ ગોત્રકર્મ ભગવંતે સ્થળ સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું.) ૦ ભ૦મહાવીરનાં ભાવો :(આવશ્યક નિર્યુક્તિ-૧૪૬ થી ૧૪૯, ૪૩૭ થી ૪૫૭; આવશ્યક ભાષ્ય-૧, ૨, ૪૭, ૪૮; આવશ્યક ચૂર્ણિ–૧–પૃ ૧૨૮, ૧૮૨, ૨૧૧, ૧૨, ૨૧૯, ૨૨૮ થી ૨૩૬, કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ) ભવ ગણના : ૧. સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ ભવ ગણના થાય છે. અન્યથા જીવ તો અનાદિ અનંતકાળનો છે. તેનો કોઈ પ્રથમ ભવ હોઈ જ ન શકે. માટે અહીં પણ નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત થયું ત્યાંથી ભવગણના કરાઈ છે. ૨. સત્તાવીસ ભવ એ પણ સ્થળ ગણના છે. વચ્ચે અનેક લુક ભવોનો ઉલ્લેખ આ ગણનામાં થયો નથી. જેમકે આવશ્યક નિર્યુક્તિ૪૪૦માં લખે છે કે, નારક દેવ આદિ કેટલાંક ભવો કરીને– કેટલોક કાળ સંસાર ભ્રમણ કરીને પછી... એ રીતે ભવ ગણના દેખાડી. ૩. સત્તાવીસ ભવોની ગણનાના ક્રમમાં પણ કિંચિત્ ભેદ જોવા મળેલ છે. જેમકે સમવાયાંગ સૂત્ર–૨૧૩ વૃત્તિમાં દેવાનંદાના ગર્ભમાં ૨૬મો, ત્રિશલા માતાના ગર્ભમાં ર૭મો ભવ ગણ્ય છે. ** (૧) નયસાર–પહેલો ભવ : પશ્ચિમ મહાવિદેહમાં મહાવપ્રવિજય ક્ષેત્રના પુરપ્રતિષ્ઠાન નામના એક ગામમાં ભમહાવીરના જીવ તે સમયે નયસાર નામના ગ્રામચિંતક (ગ્રામપતિ) હતા. તે ત્યાંની નગરીના રાજાની આજ્ઞાથી ગાડાંઓ લઈને લાકડાં લેવા માટે મહા–અટવીમાં પહોંચ્યા. ભોજન તૈયાર થઈ ગયું. ત્યારે તેને વિચાર થયો કે, આ સમયે કોઈ અતિથિ આવી જાય તો સારું. આ તરફ સાર્થની સાથે જતા સાધુઓ માર્ગ ભૂલી ગયા હતા. માર્ગથી અજાણ્યા અને દિમૂઢ થઈ ગયેલા તે સાધુઓ અટવીના રસ્તે ચાલતા, મધ્યાહ્ન કાળે ભૂખ અને તરસથી પીડાતા એવા (નયસારના) ગાડાંઓનો પડાવ હતો ત્યાં આવ્યા. - નયસાર તેમને જોઈને અત્યંત સંવેગમય બન્યા અને બોલ્યા કે, અરે ! આ તપસ્વી મુનિઓનો મને અત્યારે આ અટવીમાં સમાગમ થયો. અનુકંપા ભાવથી તેણે વિપુલ પ્રમાણમાં અશન-પાન આદિ વહોરાવ્યા–આપ્યા. પછી સાધુ ભગવંતો પાસે જઈને કહ્યું કે, પધારો; હું આપને રસ્તો બતાવું. એમ કહી તે સાધુઓની આગળ ચાલ્યા. ત્યારે તે સાધુઓ પણ તેની પાછળ ચાલ્યા. (માર્ગમાં ચાલતા સાધુઓએ તેને યોગ્ય જીવ જાણી) એક ધર્મકથા લબ્ધિસંપન્ન સાધુએ ત્યાર પછી તેને ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મકથા પૂર્ણ થયા પછી તે સમકિત પામ્યા. ત્યાર પછી નયસાર પોતાને ગામ પાછા આવ્યા. પછી તે અવિરતિ સમ્યગૃષ્ટિ નયસાર કાળક્રમે મૃત્યુ પામ્યા. | ( કલ્પસૂત્ર-૧ત્ની વૃત્તિમાં કિંચિત્ શાબ્દિક ફેરફાર છે. ઉક્ત પહેલો ભવ આવશ્યક નિર્યુક્તિ ૧૪૬ની વૃત્તિ, આવશ્યક ભાષ્ય ૧, ૨, આવશ્યક ચૂર્ણિ ૧–પૃ.૧૨૮ના આધારે અહીં નોંધેલ છે.) (૨) પ્રથમ દેવલોક – ભવ બીજો : - ભ૦મહાવીરનો જીવ બીજે ભવે સૌધર્મકલ્પ એક પલ્યોપમની સ્થિતિ વાળા મહર્તિક દેવ થયા. (૩) મરીચિ–ભવ ત્રીજો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy