SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ૦ આશ્ચર્ય ૬- ચંદ્ર સૂર્યનું મૂળ વિમાને આવવું : કૌશાંબી નગરીમાં ભગવંત શ્રી મહાવીરને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર પોતાના શાશ્વત—મૂળ વિમાનો સહિત ઉપસ્થિત થયા તે આશ્ચર્ય. આગમ કથાનુયોગ-૧ ( આ પ્રસંગ આવશ્યક નિયુક્તિ ગાથા ૫૧૭ મુજબ ભગવંત મહાવીર છદ્મસ્થ હતા ત્યારે તેમના વિચરણ દરમિયાન કૌશાંબીમાં બન્યો. જ્યારે ઠાણાંગ સૂત્ર−૧૦૦૨ની વૃત્તિ મુજબ “સમવસરણ ભૂમિ મધ્યે'' બન્યો હોવાનું જણાવે છે.) ૦ આશ્ચર્ય—૭-હરિવંશ કુળની ઉત્પત્તિ : કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની પત્ની વનમાળાને જોઈ. તેને અત્યંત રૂપવતી જાણી અંતઃપુરમાં બેસાડી દીધી. તેથી વીરક શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો કે જેને જુએ તેને ‘વનમાલા— વનમાલા' કહીને બોલાવવા લાગયો. ગાંડો વીરક એક વખત રાજમહેલ નીચે આવ્યો. ત્યારે ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજા અને વનમાળાએ તેને જોયો. તે વખતે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, “આપણે આ અનુચિત કામ કર્યું'' આપણી વિષય લાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા ? આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાના યોગે તેઓ ઉપર વિજળી પડવાથી તેઓ બંને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક થયા. પછી વીરક પણ કાળક્રમે ડાહ્યો થઈ ગયો. વૈરાગ્યભાવથી તાપસ થયો. તપ કરી, મૃત્યુ બાદ વ્યંતર દેવ થયો. ત્યાં વિભંગજ્ઞાન વડે પેલા યુગલિકને જોઈ ચિંતવવા લાગ્યો કે, અરેરે ! આ બંને (રાજા અને વનમાલાના જીવ) મારા પૂર્વભવના વૈરી યુગલીયાનું સુખ ભોગવી રહ્યા છે. વળી પાછાં મરીને દેવલોકે અનુપમ સુખ ભોગવશે. મારા બૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય ? તેથી આ બંનેને દુર્ગતિમાં પાડું, જેથી દુઃખ પામે. એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિ વડે તે બંનેના શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધા–ટુંકાવી દીધાં. આ ભરતક્ષેત્રમાં લાવીને રાજ્ય આપી, સાત વ્યસનો શીખવાડ્યા. તે બંનેના ‘હરિ' અને ‘હરિણી' એવા નામ પ્રસિદ્ધ કરીને, તેમને માંસમદિરાદિમાં આસક્ત કરી તે વ્યંતર ચાલ્યો ગયો. તે બંને વ્યસન સેવનથી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે ઉત્પન્ન થયા તેઓ હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલિકનું આ ક્ષેત્રમાં આવવું, તેઓના આયુષ્ય અને શરીરનો સંક્ષેપ થવો તથા યુગલિકોનું નરકે જવું એ સર્વે આશ્ચર્યરૂપ જાણવું. ૦ આશ્ચર્ય–૮–ચમરેન્દ્રનો ઉત્પાત : અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું ઊંચે જવું તે પૂરણ નામનો તાપસ મૃત્યુ પામીને ચમરેન્દ્ર થયો અવધિજ્ઞાનથી તેણે પોતાની ઉપર સૌધર્મકલ્પમાં સૌધર્મેન્દ્રને જોયો. ઇર્ષ્યાથી ધમધમતા એવા તેણે ગુસ્સે થઈ પહેલા ભગવંત મહાવીરનું શરણું લીધું. પછી ભયંકર રૂપ કરી લાખ યોજન પ્રમાણે શરીર કર્યું. હાથમાં પરિધ નામનું હથિયાર લઈ ચારે તરફ ઘુમાવતો, આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઊંચે ગયો. સૌધર્માવતંસકની વેદિકામાં પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy