________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૧૩
કદાપિ સ્ત્રી તીર્થંકર ન બને. પણ આ અવસર્પિણી કાળમાં મિથિલા નગરીના કુંભરાજાની મલ્લિ નામે પુત્રી આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં ૧૯ત્માં તીર્થકર થયા તે આશ્ચર્ય.
( આ ઘટના ભ૦મલિના કથાનકમાં વિસ્તારથી આવેલી છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરેલ નથી. આ કથા નાયાધમ્મકહા સૂત્ર–૭૬માં પણ આવે છે.) ૦ આશ્ચર્ય-૪-અભાવિત પર્ષદા :
અભાવિતુ પર્ષદા અર્થાત્ તીર્થંકરની દેશના નિષ્ફળ જવી તે. તીર્થકરની (પ્રથમ) દેશના ક્યારેય નિષ્ફળ ન જાય, પરંતુ આ અવસર્પિણીમાં શ્રી વીર ભગવંત જૈભિકાગ્રામનગર બહાર કેવળજ્ઞાન પામ્યા બાદ દેવ રચિત સમવસરણમાં પ્રથમ દેશના આપી છતાં કોઈને વિરતિના પરિણામ થયા નહીં. (સ્થાનાંગ સૂત્ર-૧,૦૦૨ની વૃત્તિમાં પણ લખે છે કે,) ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને અનેક મનુષ્યો, દેવો, તિર્યચવિશેષ આવ્યા. તેઓને સ્વ–સ્વભાષામાં પરિણમતી અતિ મનોહર અને સુંદર ધ્વનિયુક્ત ધર્મકથા પણ થઈ તો પણ ત્યાં કોઈએ વિરતિ ગ્રહણ ન કરી, આવું પૂર્વના તીર્થકરોમાં બન્યું ન હતું. પણ ભ૦મહાવીરમાં બન્યું. (આવશ્યક નિર્યુક્તિ-૨૬૫માં પણ લખ્યું કે,) ત્રેવીસ તીર્થકરોને પ્રથમ સમવસરણમાં તીર્થ સ્થાપના થઈ પણ ભ મહાવીરને બીજા સમોવસરણમાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ સ્થાપના થઈ (આવશ્યક નિર્યુક્તિ–૫૪૦માં પણ એ જ ઉલ્લેખ છે) તે આશ્ચર્ય. ૦ આશ્ચર્ય-પ-કૃષણનું અપરકંકાગમન :
દ્રોપદી માટે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આવી રીતે – એક દિવસ પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે નારદને અસંયત જાણીને અભ્યત્થાન – “ઊભા થઈ સામે જવું” આદિ આદર સત્કાર કર્યો નહીં. તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે, “મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીના રાજા પોત્તર સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ હતો. તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું.
પડ્યોત્તર રાજાએ પોતાના મિત્રદેવની મદદથી દ્રૌપદીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ પોતાનું સતીપણું જાળવી રાખ્યું. પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જણાવી. નારદના મુખેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. કૃષ્ણ લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કરી. તેમની મદદથી સમુદ્રમાં માર્ગ મળ્યો. કૃષ્ણ પાંડવો સહિત અપરકંકા પહોંચ્યા. કૃષ્ણ નરસિંહનું રૂપ કરી પક્વોત્તર રાજાને જીત્યો. પાછાં ફરતાં કૃષ્ણએ શંખનાદ કર્યો. તે સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું. ત્યાં વિચરતા તે ક્ષેત્રના ભ મુનિસુવ્રતને પૂછતાં કપિલ વાસુદેવને કૃષ્ણ વાસુદેવના આગમનની જાણ થઈ. તેણે પણ પોતાનો શંખનાદ કર્યો.
આ રીતે કૃષ્ણનું પોતાની સીમાથી બહાર જવું તે આશ્ચર્ય.
(નોંધ :- આ કથા દ્રૌપદી-શ્રમણી કથાનકમાં વિસ્તારથી આવે છે. ઘટનાનું વર્ણન નાયાધમકહામાં સૂત્ર ૧૭૪ થી ૧૭૭માં લંબાણથી મળે છે અને સ્થાનાંગ સૂત્ર-૧,૦૦૦ની વૃત્તિમાં સંક્ષેપથી પણ મળે છે. ઉક્ત વર્ણન કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિના આધારે લખેલ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org