SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ એવા મંત્રી સમાન સ્થાપેલા તે ભોગકુળ, (૩) મિત્ર સ્થાને સ્થાપેલા–નિકટવર્તી એ રાજન્ય કુળ અને પ્રજારૂપે સ્થાપેલા અન્ય રાજકુલિન માણસો તે ક્ષત્રિય કુળ. તે સિવાય ઋષભદેવના કુળમાં જન્મેલા તે ઇક્ષ્વાકુ કુળ. હરિવર્ષ ક્ષેત્રથી લાવેલા યુગલિકના વંશજ તે હરિવંશ કુળ ઇત્યાદિ. ૨૧૨ વિશુદ્ધ જાતિ તે મોશાળ પક્ષ અને વિશુદ્ધ પિતૃપક્ષ તે વિશુદ્ધ કુળ) ૦ દશ આશ્ચર્ય : (સૌધર્મેન્દ્ર શક્ર વિચારે છે કે) લોકમાં અચ્છેરા એટલે આશ્ચર્યરૂપ એવી ઘટના ભવિતવ્યતાના યોગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ બને છે. આવી વિસ્મયકારી અને અદ્ભુત ઘટનાઓ (માં મુખ્યત્વે) દશ ઘટનાનો ઉલ્લેખ (સ્થાનાંગ સૂત્ર ૧,૦૦૧ થી ૧,૦૦૩; કલ્પસૂત્ર−૧૯ની વૃત્તિ આદિમાં) આવે છે. ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત્ પર્ષદા, કૃષ્ણનું અપરકંકા ગમન, ચંદ્ર—સૂર્યનું મૂળ વિમાને અવતરણ, હરિવંશ કુલની ઉત્પત્તિ, ચમરેન્દ્ર ઉત્પાત, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું એક સમયે સિદ્ધ થવું અને અસંયતોની પૂજા. ૦ આશ્ચર્ય-૧-ઉપસર્ગ :- શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકરોનો એવો અતિશય હોય છે કે તે જ્યાં રહે ત્યાં આસપાસ ૧૦૦ યોજન સુધી કોઈપણ જાતનો વૈરભાવ, મરકી, રોગ કે દુર્ભિક્ષ વગેરેનો ઉપદ્રવ થતો નથી. પણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી પણ આ રીતે ઉપસર્ગ થયો તે આશ્ચર્ય. ભગવંત મહાવીરે જ્યારે ગોશાળાને સમભાવપણે યથાસ્વરૂપ એટલે કે, ગોશાળાનું પોતાનું સાચું સ્વરૂપ સમજાવ્યું ત્યારે તે ગોશાળો અત્યંત ક્રોધિત થયો અને ભગવંત ઉપર તેજોલેશ્યા છોડી. તે તેજોલેશ્યાના તાપથી ભગવંતને છ મહિના સુધી લોહી ખંડવા (–પિત્તજ્વર અને રક્ત અતિસાર) થઈ ગયો હતો. તીર્થંકર ભગવંતને કેવળજ્ઞાન પછી જે આ ઉપસર્ગ થયો તે પ્રથમ અચ્છેરરૂપ ઘટના હતી. ( અહીં ગોશાળાનું વિસ્તૃત કથાનક જે ભગવતી સૂત્ર–૬૩૯ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯માં આવે છે, જેમાં સૂત્ર ૬૪૫થી ઉક્ત ઉપસર્ગની વાતનો સંબંધ છે. તેનો સારાંશ કલ્પસૂત્ર વૃત્તિકારે પણ લીધો છે. આ કથા “ગોશાલક”ના કથાનકમાં અતિ વિસ્તારથી અમે શ્રમણ કથાનક અંતર્ગત્ નિહ્નવ કથા પછીના અધ્યયનમાં આપી છે. ત્યાંથી જોવી.) ૦ આશ્ચર્ય ૨-ગર્ભહરણ : ઉત્તમ પુરુષોના ગર્ભનું હરણ અર્થાત્ ગર્ભને એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકવાની ઘટના બનતી નથી. જ્યારે શ્રમણ ભગવંત મહાવીરના ગર્ભનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીનું કુક્ષિમાં સંક્રમણ થયું તે આશ્ચર્ય. ( ગર્ભ સંહરણ પ્રસંગ આ જ કથાનકમાં આગળ કહેવાશે, તેથી અત્રે તેનો વિસ્તાર કરેલ નથી. આ ઘટનાનું વર્ણન કે નોંધ – આચારાંગ સૂત્ર–૫૧૦, સ્થાનાંગ સૂત્ર-૪૪૯, સમવાયાંગ સૂત્ર–૧૬૧, ૧૬૨; આવશ્યક નિર્યુક્તિ-૪૫૮, આવશ્યક ભાષ્ય-૪૮, ૫૩; આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૩૯, ૨૪૦; કલ્પસૂત્ર–વૃત્તિ—સૂત્ર ૧૯ થી ૩૦ આદિમાં નોંધાયેલ છે.) ૦ આશ્ચર્ય–૩–સ્રી તીર્થંકર : એવો નિયમ છે કે તીર્થંકરો પુરુષો જ હોય છે. પુરુષસિંહ, પુરુષવર આદિ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy