________________
તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૧૧
અને શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા, (ઘાતિકર્મો રૂ૫) છઘસ્થપણાથી રહિત, (સ્વયં રાગદ્વેષને) જીતનારા, (ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ) જીતાવનારા, (ભવ સમુદ્રને) તરી જનારા, (અન્ય ભવ્ય પ્રાણીઓને) તારનારા, (સ્વયં તત્ત્વ) બોધ પામેલ, (બીજાને જીવાદિ તત્ત્વોનો) બોધ પમાડનારા, (બાહ્યઅત્યંતર પરિગ્રહ અથવા કર્મબંધનથી પોતે) મુક્ત થયેલ, (બીજા જીવોને) બંધનથી મુકાવનારા, (કેવળજ્ઞાન વડે) સઘળું જાણનારા, (કેવળદર્શન વડે) સઘળું જોનારા
–ઉપદ્રવ રહિત, અંતરહિત, અક્ષય, પીડારહિત, જ્યાં ગયા પછી ફરી પાછા ન ફરવું પડે તેવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા એવા, (કર્મરૂપી વૈરીના) ભયને જીતનારા એવા સર્વે જિનેશ્વરને મારા નમસ્કાર થાઓ. (આ રીતે સર્વ જિનોને અથવા આવા વિશિષ્ટ ગુણયુક્ત એવા સકલ અરિહંતોને નમસ્કાર કર્યા પછી સૌધર્મેન્દ્ર વીર પ્રભુને નમસ્કાર કરતા કહે છે કે
0 ઉક્ત સ્તવનાને શક્રસ્તવ, પ્રણિપાત સૂત્ર કે “નમુહૂર્ણ” કહે છે. શક્રસ્તવ–ભગ3; નાયા. ૫; જબૂ. ૨૨૭, આવ.ચૂ. ૧–પૃ. ૨૩૮; કલ્પ. ૧૪;
શ્રમણ ભગવાનું મહાવીરને નમસ્કાર થાઓ. (કે જે ભગવંત મહાવીર) (પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની) આદિને કરનારા છે, (આ ચોવીસીમાં ભરત ક્ષેત્રના) છેલ્લા તીર્થકર છે. (ઋષભ આદિ ત્રેવીસ) પૂર્વ તીર્થકરો જેનો નિર્દેશ કરેલો છે – યાવતુ– (સિદ્ધિગતિ નામક સ્થાનને) સંપ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે (તેવા શ્રમણ ભગવંત મહાવીરને) અહીં – સ્વર્ગમાં રહેલ એવો હું – સૌધર્મેન્દ્ર શક્ર ત્યાં – દેવાનંદાની કુક્ષિમાં રહેલા એવા ભગવંતને વંદના કરું છું ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા એવા મને (તેમના) જ્ઞાન વડે જુઓ.
– આ પ્રમાણે ભાવના ભાવિને તે શક શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન–નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને ઉત્તમ સિંહાસન પર, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો ત્યાર પછી દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા એવા તે શક્રેન્દ્રને આવા સ્વરૂપનો (તેના) આત્મામાં થયેલો ચિંતનસ્વરૂપ, અભિલાષારૂપ અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો
ખરેખર ભૂતકાળમાં આવું ક્યારેય થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં પણ એવું થશે નહીં કે, અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંત્યકુળમાં, પ્રાંત (અધમ) કુળમાં, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં, કૃપણ કુળમાં, ભિલુક કુળમાં કે બ્રાહ્મણ કુળમાં આવ્યા હોય, આવવાના હોય કે આવે અર્થાત્ કદિ' જમ્યા નથી, જન્મતા નથી કે જન્મશે પણ નહીં.
નિશ્ચયથી અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો ઉગ્ર કુળમાં, ભોગ કુળમાં, રાજન્ય કુળમાં, ઇક્વાકુ કુળમાં, ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળમાં તથા બીજા પણ તેવા પ્રકારના ઉત્તમ જાતિ અને કુળવાળા વંશોમાં આવ્યા હતા–આવે છે અને આવશે અર્થાત્ જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે. (ભઋષભ દેવે ચાર પ્રકારના કુળો સ્થાપેલા :- (૧) આરક્ષક પણે અર્થાત્ રાજ્ય વ્યવસ્થા માટે સ્થાપેલા રક્ષક દળ રૂપે એવું ઉગ્ર કુળ(૨) ગુરુ સ્થાનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org