________________
- ૨૧૦.
આગમ કથાનુયોગ-૧
એ બધાંના મધુર શબ્દોને શ્રવણ કરતો દેવસંબંધિ વિશિષ્ટ ભોગ–ઉપભોગ આદિને ભોગવતો તે ઇન્દ્ર ત્યાં રહેલો છે.
તે સૌધર્મેન્દ્ર આ સંપૂર્ણ જંબૂઢીપ નામના દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે જોતા-જોતા ત્યાં રહેલ હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જંબૂલીપ નામક દ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતના બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોપાલ ગોત્રના ઋષભદત્ત નામક બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે. જોઈને તે ઇન્દ્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદ પામ્યો. હર્ષિત–પરમાનંદિત થયો. પ્રીતિયુક્ત મનવાળો અને પરમ શોભન મનવાળો થયો. હર્ષના વશથી વિકસિત હૃદયવાળો, મેઘધારાથી સિંચિત કદંબવૃક્ષના સુગંધી પુષ્પતુલ્ય ઉલ્લસિત રોમરાજી વાળો, વિકસિત ઉત્તમ કમળની જેમ પ્રફૂલ્લિત મુખ અને નેત્રવાળો થયો. શ્રેષ્ઠ કડાં, બેરખા, બાજુબંધ, મુગટ, કુંડળ આદિ ચલાયમાન થયા. જેનું હૃદય હારથી સુશોભિત હતું. લંબાયમાન મોતીનું ઝુંબનક અને ચલાયમાન આભુષણો ધારણ કર્યા હતા.
–આવો ઇન્દ્ર આદર, ઉત્સુકતા, શરીરની ચપળતા સહિત પોતાના સિંહાસનેથી ઉક્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. પછી – ઉત્તમ એવા વૈર્ય રિષ્ટ, અંજનક આદિ રત્નોથી યુક્ત, કુશળ કારીગરોથી નિર્મિત હોય તેવી, દેદીપ્યમાન મણિ અને રત્નોથી જડેલી પાદુકાઓને ઉતારે છે. ઉતારીને એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ કરે છે. પછી અંજલિપૂર્વક બે હાથ જોડી, તીર્થકરની સન્મુખ સાત, આઠ પગલાં ચાલીને પોતાનો ડાબો ઢીંચણ ઊંચો રાખે છે, પછી જમણા ઢીંચણને ભૂમિતલ પર લગાડી પોતાના મસ્તકને ત્રણ વખત પૃથ્વીતલ પર મૂકે છે (- નમસ્કાર કરે છે). પછી શરીરને કિંચિત્ નમાવી, કંકણ અને બહેરખાંથી ખંભિત થયેલી પોતાની ભૂજાને સંકોચે છે. પછી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો
અરિહંત–ભગવંતોને મારા નમસ્કાર થાઓ. (અરિહંત ભગવંતોના ગુણ યુક્ત વિશેષણોપૂર્વક ભક્તિથી સ્તવના કરતા અરિહંતનું સ્વરૂપ જણાવતા કહે છે) ધર્મની આદિના કરનારા, ધર્મ–તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળેજ સમ્યક્ બોધને પામનાર, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોક (સર્વ જીવોના) હિતને કરનારા, લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોત કરનારા, અભયને દેનારા, શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુને દેનારા, મોક્ષમાર્ગ (ના ઉપદેશને) દેનારા, શરણદાતા, (સર્વથા મૃત્યુનો અભાવ તે જીવન–એવા) જીવનને દેનારા, સખ્યત્વને આપનારા, (ચારિત્ર) ધર્મના દાતા, ધર્મના દેશના દાતા, ધર્મના નાયક, ધર્મ (રૂપી રથના) સારથી, (ધર્મરૂપી ચક્ર વડે ચાર ગતિનો અંત કરનારા હોવાથી) ધર્મચક્રવર્તી
( મેઘકુમારની કથા–“ધર્મસાથી” વિશેષણ અંતર્ગતુ આ કથા કલ્પસૂત્ર વૃત્તિમાં જોવા મળે છે. જે શ્રમણ વિભાગમાં જોવી.)
–ભવરૂપી સમુદ્રમાં ડીપ સમાન, (અનર્થોનો નાશ કરી) રક્ષણ કરનારા, (કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને) શરણરૂપ, (દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશ્રય લે તેવી) ગતિ અર્થાત્ આશ્રયરૂપ, (સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓ માટે) આધારરૂપ, અસ્મલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org