________________
તીર્થકર ચરિત્ર–ભ-મહાવીર–કથા
૨૦૯
સત્ય જ છે. એ રીતે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરીને ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધિ શ્રેષ્ઠ સુખોનો ઉપભોગ કરતી વિચરવા લાગી. ૦ શક્રનું સ્વરૂપ અને શકે કરેલી વિચારણા :
-(સુધર્માસભામાં બેઠેલા સૌધર્મેન્દ્ર-શુક્રનું સ્વરૂપ જણાવતા કલ્પસૂત્ર સૂત્ર–૧૪ તથા આવશ્યક ચૂર્ણિકાર નિર્યુક્તિ–૪૫૮ માં જણાવેલ બીજા તારની ચૂર્ણિના આરંભે પૃષ્ઠ ૨૩૭ થી – આ પ્રમાણે વિશેષણ યુક્ત શક્રનું સ્વરૂપ જણાવે છે)
તે કાળે, તે સમયે શક્ર નામના સિંહાસન પર બેસનારો, દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા, હાથમાં વજને ધારણ કરનારો, દૈત્યના નગરોનો નાશ કરનાર, સો વખત સુધી શ્રાવકની પાંચમી પ્રતિમા (–અભિગ્રહ વિશેષને) ધારણ કરનાર, પાંચસો મંત્રીની આંખો વડે જોનાર (–સ્વર્ગના રાજ્યની વ્યવસ્થા ચલાવનાર, મહામેઘને વશમાં રાખનાર, પાક નામના દૈત્યને શિક્ષા કરનાર, દક્ષિણાર્ધ ભરતનો અધિપતિ, ઐરાવણ હાથી રૂપ વાહનવાળો, દેવોને આનંદ આપનાર, બત્રીસ લાખ વિમાનનો અધિપતિ, રજ રહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, માળા અને મુગટ પહેરેલો, નવાં જ ઘડાયેલા સુંદર, ચંચળ, આશ્ચર્યકારી અને કંપાયમાન થતા એવા સુવર્ણના કુંડલ યુગલની પ્રભાથી પ્રદીપ્ત ગાલવાળો, મહાદ્ધિ અને ઘુતિને ધારણ કરનાર, મહાબળવાનું, મહાયશસ્વી, મોટા માહાન્યવાળો, મહાસુખી, દેદીપ્યમાનું શરીરવાળો, પગ સુધી લાંબી માળાને ધારણ કરનારો એવો (સૌધર્મેન્દ્ર–શક્ર) સૌધર્મ નામના દેવલોકમાં સૌધર્માવલંસક વિમાનમાં સુધર્માસભામાં શક્ર નામના સિંહાસન પર બેઠેલો હતો.
( શક્રનું એક વિશેષણ ‘શતક' છે. શતક્રતુ અર્થાત શ્રાવકની પાંચમી પ્રતિમાને ૧૦૦ વખત સુધી વહન કરનાર, જેમાં કાર્તિક શ્રેષ્ઠીનું કથાનક છે. આ કથા ભગવતી, આવશ્યક ચૂર્ણિ, કલ્પસૂત્ર વૃત્તિ આદિમાં આવે છે. આ કથા શ્રમણ વિભાગમાં “કાર્તિક શમણ" માં જોઈ લેવી)
(ઉક્ત વિશેષણવાળા સૌધર્મ-ઇન્દ્રની ઋદ્ધિ અને પ્રવૃત્તિને જણાવતા કહે છે કે)
તે ઇન્દ્ર ત્યાં (સૌધર્મકલ્પમાં) બત્રીસ લાખ વિમાનોનું, (ઇન્દ્ર તુલ્ય શક્તિ, આયુષ્ય અને ઋદ્ધિવાળા) ૮૪,૦૦૦ સામાનિક દેવોનું, (પૂજ્ય સ્થાનીય અને મંત્રીતુલ્ય) તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવોનું, (સોમ, યમ, વરૂણ અને કુબેર) ચાર લોકપાલોનું, (પ્રત્યેકની સોળ-સોળ હજાર) દેવીઓના પરિવાર સહિત એવી (પઘા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી એ) આઠ અગ્રમહિષીઓનું, (બાહ્ય, મધ્યમ અને અત્યંતર એ) ત્રણ પર્ષદાઓનું, (હાથી, ઘોડા, રથ, સુભટ, વૃષભ, નાટકીયા અને ગંધર્વ) એ સાત સૈન્યનું, સાત સેનાપતિઓનું, ચારે દિશામાં રહેલા ૮૪,૦૦૦-૮૪,૦૦૦ આત્મરક્ષક (અર્થાત્ ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક) દેવોનું અને સૌધર્મકલ્પ રહેલા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય કરતો એવા ઇન્દ્ર ત્યાં રહ્યો છે.
ઉક્ત સઘળાં પરિવારમાં તેનું અધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, પોષકત્વ, મહત્તરત્વ આદિ રહેલું છે. તેના નિયુક્ત દેવો દ્વારા પોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞા કરાવતો, પોતે પણ આજ્ઞા કરતો, નિરંતરપણે ઉચ્ચ પ્રકારના નાટક, ગીત, વીણા વાદન, હસ્તતાલ, અન્ય વાજિત્રનાદ, મેઘ ગંભીર ધ્વનિવાળા મૃદંગ, શ્રેષ્ઠ ધ્વનિ કરતા પડધમ – ૧/૧૪
For Private & Personal use only . www.jainelibrary.org
Jain Ednicationinternational