SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૧ હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે. કલ્યાણકર, ઉપદ્રવડર, ધન્ય, મંગલરૂપ અને શોભાયુક્ત સ્વપ્નોને જોયા છે. આરોગ્ય, સંતોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને મંગળને કરનારા એવા સ્વપ્નો હે દેવાનુપ્રિયા ! તે જોયા છે. (તનું વિશેષ ફળ એ છે કે) હે દેવાનુપ્રિયા ! તને અર્થ–લાભ, ભોગ-લાભ, પુત્ર–લાભ અને સુખ-લાભ થશે. હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તું પ્રતિપૂર્ણ નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થયા પછી સુકોમલ હાથપગવાળા, પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળા, શુભ # લક્ષણ–શુભ ફ ચિલ્ડ-ઉત્તમ ગુણયુક્ત, માન–ઉન્માન પ્રમાણથી યુક્ત, પ્રતિપૂર્ણ અને સવાંગ સુંદર શરીરવાળા, ચંદ્રની જેવા સૌમ્ય, મનોહર, પ્રિયદર્શન (-સોહામણા), સુંદર રૂપવાળા અને દેવકુમાર સદેશ પત્રને જન્મ આપીશ. ( કલ્પસૂત્ર વૃત્તિ આદિમાં જણાવે છે કે, તીર્થકર ચક્રવર્તી આદિના શરીર ઉપર ૧,૦૦૮ શુભ લક્ષણો હોય છે. બળદેવ-વાસુદેવના શરીર પર ૧૦૮ લસણ અને અન્ય પ્રતિભા સંપન્ન જીવો બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. આ બત્રીસ લક્ષણોનો બે ભિન્ન-ભિન્ન પ્રકારે ઉલ્લેખ મળે છે– (૧) છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, સૂપ, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક કરાતા લક્ષ્મી, માળા અને મોર એ બત્રીસ લક્ષણો પુન્યવાનું મનુષ્યને હોય છે. . (૨) જેના નખ, પગના તળીયા, હથેળી, જીભ, હોઠ, તાળવું અને આંખના ખૂણા એ સાત લાલ વર્ણના હોય, કાંખ, હૃદય, ગરદન, નાક, નખ અને મુખ એ છ ઉન્નત હોય, દાંત, ત્વચા, કેશ, આંગળીના ટેરવા અને નખ એ પાંચે પાતળાં હોય, આંખો, હદય, નાક, હડપચી અને ભુજા એ પાંચ લાંબા હોય, કપાળ, છાતી અને મુખ એ ત્રણ વિશાળ હોય, ડોક–જાંઘ અને પુરુષ ચિન્હ એ ત્રણ લઘુ હોય તથા જેના સત્વ–સ્વર અને નાભિ એ ત્રણે ગંભીર હોય તો તે પુરુષ બત્રીસ લક્ષણ યુક્ત જાણવો. આ જ રીતે ત્યાં વ્યંજન, ગુણ, માન, ઉન્માન, પ્રમાણ આદિ પણ વ્યાખ્યાયિત કરાયા છે – જુઓ કલ્પસૂત્ર-૯ની વૃત્તિ) (હે દેવાનુપ્રિયા ! વળી) તે પુત્ર જ્યારે બાળભાવથી મુક્ત થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે પછી જ્યારે યૌવન અવસ્થાને પામશે ત્યારે વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદ, પાંચમો ઇતિહાસ, છઠું નિઘંટુશાસ્ત્ર એ દરેકનો સાંગોપાંગ તથા રહસ્ય સહિત જ્ઞાતા થશે. વળી ચારે વેદોને સ્મરણ કરનાર, તે વેદોનો પારગામી, અશુદ્ધિ પાઠાદિનો વારક તેમજ વેદોનો ધારક થશે. તે છ અંગનો જ્ઞાતા, ષષ્ટિ તંત્ર વિશારદ, સાંખ્યગણિત, આચાર શાસ્ત્ર, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્તિ, જ્યોતિષચક્ર, બ્રાહ્મણ સંબંધિ અનેક શાસ્ત્ર અને પરિવ્રાજકના શાસ્ત્રોમાં નિપુણ થશે. તેથી હે દેવાનુપ્રિયા ! તેં આરોગ્ય, સંતોષ, દીર્ધ આયુષ્ય, મંગલ અને કલ્યાણને કરનારા સ્વપ્નો જોયા છે. એવું કહીને (ઋષભદત્ત બ્રાહ્મણ) વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યો. ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત પાસેથી આ સ્વપ્ન ફળ સાંભળીને, હૃદયમાં અવધારીને હર્ષિત તથા સંતુષ્ટ થઈ યાવત્ પ્રકૃદ્ધિત હૃદયવાળી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ કરી ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! આપે સ્વપ્નોનો જે અર્થ કહ્યો છે તે સર્વથા સત્ય છે, યથાસ્થિત છે, સંદેહરહિત છે, ઇચ્છિત છે, પ્રતિચ્છિત છે. જે પ્રમાણે તમે કહો છો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy