________________
તીર્થંકર ચરિત્રભ-મહાવીર–કથા
૨૦૭
તે જાણતા નથી.
– વર્તમાન સ્વામી (ભ,મહાવીર)ની વક્તવ્યતા જણાવવા આવશ્યક નિર્યુક્તિકાર તેર તારોને નિર્યુક્તિ–૪૫૮માં નોંધે છે – સ્વપ્ન, અપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, જાતિસ્મરણ, ભેષણ, વિવાહ, અપત્ય, દાન, સંબોધ અને નિષ્ક્રમણ. ૦ સ્વપ્ન દર્શન અને ફળ કથન :
જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે અવતર્યા, તે રાત્રિએ દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં કંઈક ઊંઘતી કંઈક જાગતી અર્થાત્ અર્ધ નિદ્રાવસ્થામાં હતી, તે સમયે (હવે પછી તેનું વર્ણન કરાશે) એવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને હરનારા, ધનના હેતુ, મંગલને કરનારા અને શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. તે (સ્વપ્ન) આ પ્રમાણે છે
૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી (અભિષેક કરાતા લક્ષ્મી દેવી, પ. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯, કુંભ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન અથવા ભવન, ૧૩. રત્નરાશિ અને ૧૪. નિર્ધમ અગ્રિ. (આવશ્યક ભાષ્ય – ૪૬ તથા કલ્પસૂત્ર–વૃત્તિમાં જણાવે છે કે જે તીર્થકરનો જીવ દેવલોકમાંથી આવે તેની માતા દેવ વિમાનને અને જે તીર્થકરનો જીવ (અધોલોક–) નરકમાંથી આવે તેમની માતા ભવનને બારમાં સ્વપ્નમાં જુએ છે.)
તે સમયે તે દેવાનંદા બ્રાહ્મણી આવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલકારી અને શોભા સહિત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. હર્ષિત અને સંતુષ્ટ થઈ, ચિત્તમાં આનંદિત થઈ, પ્રીતિયુક્ત મનવાળી થઈ. પરમ શોભન મનવાળી અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી થઈ. મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ તેણીની રોમરાજી વિકસિત થઈ તેણી સ્વપ્નાઓનું સ્મરણ કરવા લાગી. પછી શય્યામાંથી ઉઠી, ત્વરા, ચપળતા, સ્કૂલના અને વિલંબ એ ચારેથી રહિત અને રાજહંસ જેવી ગતિએ ચાલતી તેણી જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે. .
– આવીને ઋષભ દત્ત બ્રાહ્મણને “જય અને વિજય થાઓ” (એવા શબ્દોથી) વધાવે છે. પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને સુખપૂર્વક ઉત્તમ આસને બેઠેલી એવી તેણી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! હું આજે શય્યામાં કંઈક ઉંઘતી, કંઈક જાગતી અર્થાત્ અલ્પ નિદ્રામાં હતી ત્યારે આવા પ્રકારના પ્રશસ્ત યાવતું શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જઈને જાગી. તે આ પ્રમાણે હાથી – યાવત્ – નિર્ધમ અગ્નિ.
હે દેવાનુપ્રિય ! આ પ્રશસ્ત – યાવત્ – ચૌદ મહાસ્વપ્નોનું મને કલ્યાણકારી એવું શું ફળ અને વૃત્તિ વિશેષ થશે? ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની આ વાત સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેનું હૃદય હર્ષના વશથી ઉલ્લસિત થયું. મેઘધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ તેની રોમરાજી વિકસ્વર થઈ. સ્વપ્નાઓના ફળનું અવધારણ કરી, તેના અર્થની વિચારણા કરવા લાગ્યો. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક પતિપૂર્વક, બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વપ્નાઓનાં અર્થનું અવધારણ કરી, અર્થનિર્ણય કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org