SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૦૫ (૨૪) ભ,મહાવીર કથાનક – (વિસ્તૃત ચરિત્ર) (ચરિત્રનો મુખ્ય આધાર :- આચારાંગ, ભગવતી, ઉવવાઈ કલ્પસૂત્ર, આવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિઆવશ્યક નિર્યુક્તિ–વૃત્તિ). ૦ ભગવંત મહાવીરના કથાનકની વિશેષતા અને મર્યાદા : - અહીં ઉત્તમ પુરુષ ચરિત્રોમાં અમે તીર્થકર ચરિત્રોમાં જે કંઈ રજૂ કર્યું છે તેનો આધાર આગમ સૂત્રો અને તેની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. - ભ, મહાવીરનું ચરિત્ર આગમોમાં પણ અનેક સ્થાને છે અને “મહાવીર ચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ચઉપ્પન મહાપુરુષ ચરિયું આદિ ગ્રંથોમાં પણ છે. - આગમોમાં અનેક સ્થાનોએ પડેલી વિભિન્ન અને વિવિધ માહિતીને સંકલિત રૂપે સંગૃહિત કરવાના મહત્તમ પ્રયાસ છતાં કિંચિત્ – કંઈક છૂટી ગયું હોય તે પુરો સંભવ છે. – કથાનક ગ્રંથો એ અમારું આ “કથાનુયોગ"નું કાર્યક્ષેત્ર ન હોવાથી સાહિત્યિક વર્ણનો કે કેટલીક પૂરક માહિતી અહીં ન પણ હોયજેમકે “ત્રિષષ્ટિપુરુષ ચઢિમાં આવતી ધર્મદેશના કે “મહાવીર ચરિય”માં આવતા કોઈક ઉપસર્ગો - આગમ–પંચાંગી અમારા આ “કથાનુયોગ"નો મૂળ સ્ત્રોત હોવાથી કેટલીક વિશેષતાઓ અને મતભેદો પણ જોવા મળશે. જે પૂર્ણતયા નવીનતા યુક્ત પણ લાગે. ૦ ભૂમિકા : આ અવસર્પિણીમાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોવીસમાં અને અંતિમ તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામી થયા. જેમનું જન્મદત્ત નામ “વર્તમાન' હતું. તેઓ પૂર્વના મનુષ્યભવમાં નંદન નામે માંડલિક રાજા હતા. નંદન રાજાએ પછી દીક્ષા લીધી. તે ભવે તીર્થકર નામકર્મ બાંધ્યું. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પ દેવતા થયા. ભ૦પાર્શ્વના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે ભમહાવીર થયા. ઐરાવત ક્ષેત્રમાં તે કાળે વારિષેણ નામે તીર્થકર થયેલા. ૦ કલ્યાણક નક્ષત્ર : તે કાળે અને તે સમયે એટલે કે આ અવસર્પિણીના ચોથા આરાને અંતે શ્રમણ ભગવંત મહાવીરને હસ્તોત્તર અર્થાત્ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં પાંચ ઘટના બની. ( હસ્તોત્તર – આચારાંગ–૫૩૬; સ્થાનાંગ સૂત્ર–૪૪૯ની વૃત્તિ, આચારાંગ પૂર્ણિ પૃ. ૫૩૫ કલ્પસૂત્ર ચૂર્ણિ સૂ.૧–પૃ.૧૦૨ અને કલ્પસૂત્ર ટીપ્પણક – આ પૃથ્વીચંદ્ર સૂ. રમાં હસ્તોત્તરનો અર્થ ઉત્તરા ફાલ્ગની કર્યો છે – જેની પછી હસ્ત નક્ષત્ર આવે છે તે – અથવા હસ્તનક્ષત્ર જેની નિકટ છે તે – નક્ષત્રોની ગણનામાં ઉત્તરાફાલ્વની નક્ષત્ર પછી હસ્ત નક્ષત્ર આવે છે તેથી “ડસ્તોત્તર” શબ્દનો અર્થ અહીં અને હવે પછી આ કથાનકમાં સર્વત્ર “ઉત્તરાફાલ્ગની” કરેલ છે.) ૧. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ભગવાન્ (પ્રાણત દેવલોકથી) ટ્યુત થયા, ટ્યુત થઈને ગર્ભમાં ઉત્પન્ન થયા. ૨. ઉત્તરાફાગુની નક્ષત્રમાં (દેવાનંદાના) ગર્ભમાંથી (ત્રિશલાના) ગર્ભમાં મૂકાયા. ૩. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં જન્મ્યા. ૪. ઉત્તરાફાગુની નક્ષત્રમાં મુંડ થઈને - ગૃહવાસ છોડી અણગારપણાને પામ્યા અર્થાત્ ભ મહાવીરે દીક્ષા લીધી અને ૫. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ભમહાવીરને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy