________________
તીર્થંકર ચરિત્ર–ભ પાર્શ્વ કથા
આ ઉપરાંત ગણધરના નામમાં પણ ભેદ છે. કલ્પસૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગ પ્રથમ ગણધરનું નામ “શુંભ'’ જણાવે છે. તિર્થોંગારિતમાં તથા પ્રવચન સારોદ્વારમાં પ્રથમ ગણધરનું નામ “આદિત્ર' છે. સમવાયાંગ સૂત્ર–૩૦૬માં પ્રથમ ગણધરનું નામ “દિત્ર' કહ્યું છે. કલ્પસૂત્રમાં પણ સૂત્ર−૧૬૦ પ્રથમ ગણધરનું નામ શુંભ લખે છે, પછી સૂત્ર-૧૬૧માં મુખ્ય શિષ્યનું નામ આર્યદિત્ર જ નોંધે છે. કથાગ્રંથોમાં પણ નામોમાં આ ભિન્નતા જોવા મળી છે.
૦ ભ૰પાર્શ્વની શ્રમણ આદિ સંપદા :–
પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વને આર્યદિત્ર વગેરે ૧૬,૦૦૦ શ્રમણોની, પુષ્પચૂલા વગેરે ૩૮,૦૦૦ શ્રમણીઓની, સુવ્રત વગેરે ૧,૬૪,૦૦૦ શ્રાવકોની અને સુનંદા વગેરે ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પુરુષાદાનીય અર્હત પાર્થના શિષ્યોમાં ૧,૪૦૦ અવધિજ્ઞાની, ૬૦૦ ઋજુમતિ મન:પર્યવજ્ઞાની, ૭૫૦ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞની માફક સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા ૩૫૦ ચૌદપૂર્વી, ૧,૦૦૦ કેવળજ્ઞાની, ૧,૧૦૦ વૈક્રિય લબ્ધિધરો, ૬૦૦ વાદીમુનિ અને અનુત્તર વિમાને ઉત્પન્ન થનારા ૧,૨૦૦ મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વના ૧,૦૦૦ શ્રમણો અને ૨,૦૦૦ શ્રમણીઓ મોક્ષે ગયા. તેમને સર્વ દુઃખોનો અંત કરનારની ભૂમિકા બે પ્રકારની હતી. એક યુગ અંતકૃત્ ભૂમિ અર્થાત્ પાટ પરંપરા. પાર્શ્વપ્રભુથી ચોથા યુગપુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. બીજી પર્યાયાંતકૃત્ ભૂમિ–અર્હત્ પાર્શ્વના કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષ બાદ કોઈ કેવલીએ મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત્ મોક્ષ માર્ગનો પ્રારંભ થયો.
૨૦૩
ભ૰પાર્શ્વનું નિર્વાણ :
તે કાળે, તે સમયે પુરુષાદાનીય અતુ પાર્શ્વ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. ૭૦ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. જેમાં ૮૩ અહોરાત્ર (બીજા મતે ૮૪ અહોરાત્ર) છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. તે સિવાયનો કાળ કેવલી પર્યાય રૂપે વ્યતીત કર્યો. ૧૦૦ વર્ષનું પૂર્ણ આયુ પાલન કર્યું. પછી વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયું ત્યારે
—આ અવસર્પિણી કાળમાં દુષમ—સુષમ આરાનો ઘણો સમય વ્યતીત થયો ત્યારે જે વર્ષાઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ અર્થાત્ શ્રાવણ સુદ–આઠમને દિવસે સમ્મેત શિખર પર્વત પર પોતાના સહિત ચોત્રીશ પુરુષો સાથે નિર્જળ એવા માસિક ભક્ત અનશન કરેલ એવા પ્રભુ પૂર્વાહ્ન સમયે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પોતાના બંને હાથ લાંબા કર્યા હોય એવા (કાયોત્સર્ગ પ્રકારની) ધ્યાનમુદ્રામાં રહીને નિર્વાણ પામ્યા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા.
--
- પાર્શ્વનાથના નિર્વાણ બાદ ૨૫૦ વર્ષનો કાળ વીત્યો ત્યારે ચોવીસમાં તીર્થંકર વર્ધમાન (મહાવીર સ્વામી) થયા. પાર્શ્વ અરિષ્ટનેમિ પછી ૮૩,૭૫૦ વર્ષે થયા હતા.
પુરુષાદાનીય શબ્દનો અર્થ :
101
ભ૰પાર્શ્વનાથ માટે અનેક સ્થળે પુરુષાદાનીય વિશેષણ પ્રયોજાયું છે. સૂયગડાંગ, સમવાયાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન, કલ્પસૂત્ર આદિના વૃત્તિકારે પણ તેની વ્યાખ્યા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org