________________
તીર્થકર ચરિત્ર–ભરુપાર્શ્વ–કથા
૨૦૧
– નીચે ઉતરીને પોતાની મેળે જ આભુષણ-માળાદિ અલંકારો ઉતાર્યા. ઉતારીને પોતાના હાથે જ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો. નિર્જળ અઠમ તપ કર્યો હતો. તેવા અહેતુ પાર્શ્વનાથે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને ૩૦૦ પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અણગારપણાને પામ્યા અર્થાત્ તેમણે દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી પાર્શ્વનાથ અને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. કોપટક નગરના ધન્ય ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી - ભિક્ષાદાન કર્યું. અહેતુ પાર્શ્વનાથે આર્ય-અનાર્ય બંને પ્રકારની ભૂમિમાં વિચરણ કરેલું. તેઓએ છઘસ્થાવસ્થા દરમિયાન સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. ૦ ભ૦પાર્શ્વનાથની છદ્મસ્થાવસ્થા અને ઉપસર્ગ :
પુરુષાદાનીય અહેતુ પાર્શ્વ દીક્ષા લીધા પછી વ્યાસી દિવસ સુધી નિત્ય કાયા શુશ્રુષાના ત્યાગપૂર્વક કાયાને વોસિરાવી દીધી, શરીરના મમત્વનો ત્યાગ કર્યો હતો, ત્યારે દેવ–મનુષ્ય કે તિર્યંચોએ જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા તે સર્વે ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધરહિતપણે ખમ્યા, દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતાપૂર્વક સહન કર્યા.
(ઉપસર્ગનો એક ખાસ પ્રસંગ કલ્પસૂત્ર વૃત્તિમાં નોંધાયો છે–) અ પાર્શ્વનાથે દીક્ષા લઈ વિચરણ શરૂ કર્યું. કોઈ વખતે કોઈ તાપસના આશ્રમમાં પધાર્યા. ત્યાં રાત્રિએ કૂવાની નજીકમાં વટવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિત થયા. કમઠ તાપસ કે જે મરીને મેઘમાલી દેવ થયો હતો. તેણે પોતાના જ્ઞાનથી પ્રભુને ધ્યાન મગ્ન જોયા. તે દેવ પૂર્વભવનું વેર યાદ કરીને પ્રભુને ઉપસર્ગ કરવા આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જુદાં રૂપ વિકુર્તીને ભગવંતને ઘણાં ઉપસર્ગ કર્યા છતાં ધ્યાનમાં લીન રહેલાં પ્રભુ જરા પણ વિચલિત થયા નહીં
પ્રભુની દૃઢતા જોઈને મેઘમાલી વધારે ક્રોધિત થયો. તેણે આકાશમાં કાળ રાત્રિ જેવો ભયંકર મેઘ વિફર્યો. ચારે દિશામાં વિજળીઓ થવા લાગી. ઘોર ગર્જના થવા લાગી. મુશળધાર મેઘ વરસવા લાગ્યો. સમગ્ર પૃથ્વી ત્યાં જળમય બની ગઈ, વૃક્ષો તણાવા લાગ્યા. ક્ષણવારમાં તો પાણી વધતા–વધતા પ્રભુના ઘુંટણથી, કમરથી આગળ વધી કંઠ સુધી પહોંચી ગયું. પછી પ્રભુની નાસિકા સુધી પહોંચી ગયું, તો પણ ધ્યાનમગ્ન પ્રભુ ચલિત થયા નહીં.
આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાન વડે જોયું કે, પરમોપકારી ભગવંતને મેઘમાળી ઘોર ઉપસર્ગ કરી રહ્યો છે. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણી સાથે પ્રભુ પાસે આવ્યા. ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર બનાવી ઉપસર્ગનું નિવારણ કર્યું. ધ્યાનમગ્ર સમદર્શી ભગવાન ન તો ભક્તિ કરનાર ધરણેન્દ્ર પર તુષ્ટ થયા કે ન તો ઉપસર્ગ કરનાર મેઘમાલી પર રુષ્ટ થયા. બંને પરત્વે સમભાવલીન પ્રભુને તુલ્ય મનોવૃત્તિ રહી.
ધરણેન્દ્રના આક્રોશ વચનો અને ફીટકારથી ભયભીત બનેલા મેઘમાલી દેવે તત્કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org