________________
૨૦૦
આગમ કથાનુગ-૧
તાપસ કમઠના આ વિવેકશૂન્ય ક્રિયાકાંડને જોઈને પાર્થકુમારે કહ્યું, હે તપસ્વી ! તમે આ અજ્ઞાન તપ શા માટે કરો છો ? દયા વિનાના વૃથા કલેશકારક કષ્ટ શા માટે કરો છો ? શું પંચેન્દ્રિય જીવનો વધ કરી તમે તમારું કલ્યાણ ચાહો છો ? તે સાંભળી ક્રોધિત થયેલ કમઠ તાપસે કહ્યું કે, હે રાજકુમાર ! તમે ધર્મના રહસ્યને જાણતા નથી. રાજપુત્રો હાથી-ઘોડા ખેલાવી જાણે. ધર્મના રહસ્યને અમે તપસ્વી જ જાણીએ.
કમઠના આવા વચનો સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નોકરને કહીને અગ્નિકુંડમાંથી બળતા કાષ્ઠને બહાર કઢાવ્યું. તેને કુહાડા વડે જયણાપૂર્વક ફડાવ્યું. તેમાંથી તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ તુરંત જ બહાર નીકળ્યો. પાર્થ પ્રભુની આજ્ઞાથી નોકરે તેને નવકાર મંત્ર સંભળાવ્યો. તે સાંભળ્યા બાદ સર્પ તે જ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી અહો જ્ઞાની ! અહો જ્ઞાની ! એ પ્રમાણે સ્તુતિ કરાતા પ્રભુ પોતાના મહેલે પાછા પધાર્યા.
લોકો કમઠ તાપસને તિરસ્કારવા લાગ્યા–ધિક્કારવા લાગ્યા. પછી તાપસ કમઠ લોકો દ્વારા હેલના પામી, ભગવંત પાર્શ્વ પરત્વે દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો. ત્યાંથી મૃત્યુ પામી ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાળી નામે – દેવ થયો. અહંતુ પાર્શ્વ પણ રાજકુમાર અવસ્થામાં જ રહ્યાં. તેમણે રાજ્યભાર ગ્રહણ કર્યો નહીં (વાસુપૂજ્ય, મતિ, નમિ, પાર્શ્વ મહાવીર એ પાંચે તીર્થકરોએ રાજ્ય ભોગવ્યું ન હતું તે સર્વ સંમત છે.) ૦ ભ૦પાર્શ્વની દીક્ષા :- (પ્રથમ ભિક્ષાદિ)
પુરુષાદાનીય પાર્થ અર્હત્ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા. સુંદર રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રાજકુમાર
સ્વરૂપે જ રહ્યા. ત્યાર પછી ગ્રામ્યધર્મ અર્થાત્ ઇન્દ્રિયના વિષયોનો પરિત્યાગ કરીને, (જો લગ્ન નથી કર્યા તેવો આવશ્યકનો મત સ્વીકારીએ તો ગ્રામ્યધર્મ ભોગવ્યા વિના જ) રાજ્ય ગ્રહણ કર્યા વિના જ દીક્ષા લેવાને તત્પર થયેલા. તેમાં છેલ્લે એક વર્ષ બાકી હતું ત્યારે, પોતાનો શાશ્વત આચાર જાણી, પરંપરાગત કલ્પ સમજીને લોકાંતિક દેવોએ આવીને ઇષ્ટ વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું, હે સમૃદ્ધિશાળી આપ જય પામો, જય પામો. હે ભદ્ર! આપનું કલ્યાણ થાઓ – યાવત્ – આ પ્રકારે જય જય શબ્દ બોલે છે.
પુરુષાદાનીય અર્પતુ પાર્શ્વને મનુષ્ય સંબંધિ ગૃહસ્થ ધર્મની પહેલાં પણ અનુત્તર એવું અવધિજ્ઞાન હતું. ઇત્યાદિ સર્વ વર્ણન (ભ,મહાવીર–કથાનકમાં કહેવાશે તે પ્રમાણે) જાણી લેવું – યાવત્ – વાર્ષિક દાન દઈને, પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા.
જે આ હેમંતઋતુનો બીજો માસ અને ત્રીજો પક્ષ અર્થાતુ પોષવદ–અગિયારસ (ગુજરાતી માગસર વદ-૧૧)ના દિવસે પૂર્વાભકાળે – પહેલા પ્રહરે વિશાલા નામની શિબિકામાં બેસીને, પોતાની યૌવન વયમાં દેવ–મનુષ્ય અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભ,મહાવીર–કથાનકમાં કહેવાશે તે રીતે) વારાણસી નગરીની મધ્યમાંથી થઈને નીકળ્યા. નીકળીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોકવૃક્ષની નીચે આવ્યા. ત્યાં પોતાની શિબિકા સ્થાપન કરાવી. શિબિકામાંથી નીચે ઉતર્યા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org