________________
૧૯૬
આગમ કથાનુયોગ-૧
૦ ભ, અરિષ્ટનેમિનું નિર્વાણ :
તે કાળ, તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ૩૦૦ વર્ષ સુધી કુમાર અવસ્થામાં, ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ચોપન રાત્રિ-દિવસ તેમનો છઘસ્થ પર્યાય રહ્યો. ચોપન દિવસ સિવાયનો ૭૦૦ વર્ષનો કાળ પ્રભુ કેવલિરૂપે વિચર્યા. એ રીતે ૭૦૦ વર્ષ પર્યત પ્રભુ શ્રમણ અવસ્થામાં રહ્યા. પ્રભુએ ૧,૦૦૦ વર્ષ પૂર્ણાયુ ભોગવ્યું. ત્યારે વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા. આ અવસર્પિણીમાં દુઃષમ-સુષમા આરો ઘણો બધો વ્યતીત થયો ત્યારે જે આ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ-આઠમો પક્ષ અર્થાત્ અષાઢ માસના શુક્લ પક્ષ આવ્યો. અષાઢ સુદ આઠમે ઉત્યંત પર્વતના શિખર પર, બીજા પ૩૬ સાધુઓ સાથે જેમણે છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા હતા. તેવા અરિષ્ટનેમિ પ્રભુ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે, મધ્યરાત્રિએ નિષદ્યામાં રહેલા અર્થાતુ પર્યકાસને બેઠા બેઠા નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
- અર્હત્ અરિષ્ટનેમિના નિર્વાણ બાદ ૮૩,૭૫૦ વર્ષ વીત્યા પછી તેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયા. –૦- ભ૦અરિષ્ટનેમિ સાથે સંકળાયેલ વિશિષ્ટ શ્રમણકથા :
અત્ અરિષ્ટનેમિના કેવલી પર્યાયમાં અનેક શ્રમણોના કથાનકો તેમની સાથે જોડાયેલા આગમોમાં નજરે પડે છે. જેમાં ગજસુકુમાલ અને થાવસ્ત્રાપુત્રની દીક્ષા એ બે ચરિત્રો તથા ઢઢણ મુનિનું તપસ્વીપણું એ વિસ્તારથી અને જગપ્રસિદ્ધ છે. તે સિવાય ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કાંડિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત, વિષ્ણુકુમાર, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, અનિયસ, અનંતસેન, અનિહત, વિહંતુ, દેવયશ, શત્રુસેન, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુર્મુખ, ફૂપક, દારૂક, અનાદૃષ્ટિ, સુલસા દ્વારા ઉછેરાયેલ એવા દેવકીના છ પુત્રો, જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ ઇત્યાદિ કુમાર અહંતુ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા. રથનેમિ કથાનક પણ પૂર્વે નોંધેલ છે.
નિષધ, અનિયસ, વહ, વેહલ, પ્રગતિ, જુત્તિ, દશરથ, મહાધન, સપ્તધન, દશધનું અને શતધનું ભોઅરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. પાંચ પાંડવો પણ તેમના શાસનમાં સમર્પિત થઈ. તેમનું જ ધ્યાન ધરતા મોક્ષને પામ્યા. –૦- ભઅરિષ્ટનેમિ સાથે સંકળાયેલ વિશિષ્ટ શ્રમણી–કથા :
રાજીમતિનો પ્રસંગ તો સુવિદિત છે જ. તે સિવાય પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમાં, જાંબવતી, સત્યભામા, રૂક્ષ્મણી (એ આઠ કૃષ્ણ વાસુદેવના પટ્ટરાણી) તથા મૂલશ્રી અને મૂલદત્તા ભોઅરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈને અંતકૃત્ કેવલી થઈ મોક્ષ ગયા. દ્રૌપદીનું પાત્ર પણ શ્રમણીરૂપે અરિષ્ટનેમિના શાસનમાં પ્રસિદ્ધ છે. –૦- ભઅરિષ્ટનેમિના વિશિષ્ટ શ્રાવક-શ્રાવિકા કથાનક :
કૃષ્ણ વાસુદેવ અને રામ-બળદેવ બે તો પ્રસિદ્ધ જ છે. તે સિવાય સમુદ્રદત્ત, વસુદેવ, સાગરચંદ્ર ઇત્યાદિ શ્રાવકો તથા મુખ્યતયા દેવકી-તી રોહિણી આદિ શ્રાવિકાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org