SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ તીર્થ પ્રવર્તન અવસરે કૃષ્ણે મસ્તકે અંજલિ કરીને પૂછયું કે, હે સ્વામી ! આપના ઉપર રાજીમતિના આટલા બધાં સ્નેહનું કારણ શું છે ? ત્યારે પ્રભુએ પોતાના પૂર્વભવોનો તેણી સાથેનો સંબંધ કહી સંભળાવ્યો. તે આ પ્રમાણે ૧૯૪ પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો. તે વખતે રાજીમતીનો જીવ ધનવતી નામે મારી પત્ની હતી. બીજા ભવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવ અને દેવી હતા. ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર હતો, એ રત્નવતી નામે મારી પત્ની હતી. ચોથા ભવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ હતા. પાંચમાં ભવમાં હું અપરાજિત નામે રાજા હતો અને એ પ્રિયતમા નામે મારી રાણી હતી. છટ્ઠા ભવમાં અમે બંને અગિયારમાં દેવલોકમાં દેવ થયા. સાતમા ભવમાં હું શંખ નામે રાજા હતો અને એ યશોમતી નામે મારી રાણી હતી. આઠમા ભવે અમે બંને અપરાજિત દેવલોકમાં દેવ થયા. આ ભવમાં હું અરિષ્ટનેમિ નામે તીર્થંકર છું અને એ રાજીમતિ છે. હે કૃષ્ણ ! આ કારણે તેણીનો મારી સાથે ચિર સ્નેહ છે. ૦ રાજીમતિની દીક્ષા – રથનેમિને પ્રતિબોધ : - (શ્રમણ/શ્રમણી વિભાગની આ અવાંતર કથા છે.) અતુ અરિષ્ટનેમિ ત્યાંથી વિહાર કર્યો. ભિન્ન ભિન્ન સ્થળે વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે ફરી રૈવતગિરિએ પધાર્યા. સમવસરણની રચના થઈ. રાજીમતિ વિચારે છે કે ભગવંતને ધન્ય છે કે, જેમણે મોહને જીતી લીધો છે. ધિક્કાર છે મને કે, જે હું મોહના કાદવમાં ફસાયેલી છું મારે માટે એ જ શ્રેયસ્કર છે કે હવે હું દીક્ષા લઈ લઉં. દૃઢ સંકલ્પ કરીને રાજીમતિએ કાંસકી વગેરેથી સજાવેલા ભમરા જેવા કાળા કેશને ઉખેડી નાંખ્યા. સર્વ ઇન્દ્રિયોને જીતીને દીક્ષાને માટે તૈયાર થઈ. શ્રીકૃષ્ણે પણ તે કેશવિહિન અને જિતેન્દ્રિયા રાજીમતિને કહ્યું, હે કન્યા ! તુ આ ઘોર સંસારસાગરને જલ્દીથી તરી જા. શીલવતી તેમજ બહુશ્રુતા રાજીમતિએ પ્રવ્રુજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનપરિજનોને પણ દીક્ષાના માર્ગે વાળ્યા. દીક્ષા લીધા પછી એક વખત રાજીમતિ સાધ્વી રૈવતકગિરિ તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ વચ્ચે મુશળધાર વરસાદ પડ્યો. તેણી આખા પલળી ગયા. વરસાદને લીધે અંધકાર પથરાઈ ગયો. સહવર્તી સાધ્વીઓ વિખરાઈ ગયા. આ સ્થિતિમાં તેણી એક ગુફામાં પહોંચ્યા. એકાંત સ્થાન જાણીને બધાં ભીના વસ્ત્રો ઉતારીને પહોળાં કર્યા. ત્યાં રથનેમિ પણ દીક્ષિત થઈને એકાંત સ્થાનમાં ધ્યાનમગ્ર હતા. (જે તેણીને ખબર નહીં) વિજળીના ચમકારામાં રાજીમતિને એકલા અને નિર્વસ્ત્ર જોઈને રથનેમિ મુનિનું મન વિચલિત થઈ ગયું. એકાએક રાજીમતિની દૃષ્ટિ પણ તેનાં ઉપર પડી. ત્યાં એકાંતમાં તે રથનેમિ સંયતને જોઈને ભયભીત થઈ ગયા. ભયથી ધ્રુજતા તે પોતાના બંને હાથો વડે શરીરને ઢાંકીને બેસી ગયા. ત્યારે સમુદ્રવિજયના રાજપુત્ર રથનેમિએ રાજીમતિને ભયભીત જોઈને આમ કહ્યું– હે ભદ્રે ! હે સુરૂપા ! હે મધુરભાષિણી ! હું રથનેમિ છું. તું મારો સ્વીકાર કર. હે સુતનુ ! તું જરા પણ સંકોચ ન કર. મારા તરફથી તને કોઈ દુઃખ નહીં થાય. મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy