________________
તીર્થંકર ચરિત્ર–ભઅરિષ્ટનેમિ કથા
ભ૰અરિષ્ટનેમિની પ્રવ્રજ્યા (નો વૃત્તાંત) સાંભળીને રાજકન્યા રાજીમતિનો આનંદ, હાસ્ય નષ્ટ થઈ ગયા. તે શોકથી મૂર્છિત થઈ ગઈ. રાજીમતિએ વિચાર્યું કે, ધિક્કાર છે મારા જીવનને ! મને અરિષ્ટનેમિએ ત્યજી દીધી એટલે મારે પ્રવ્રજ્યા લેવી જ શ્રેયસ્કર છે. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે અર્હત્ અરિષ્ટનેમિને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. દ્વારાવતી નગરીના વરદત્તે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ ત્યારપછી આર્ય અને અનાર્ય બંને પ્રકારની ભૂમિમાં વિચરણ કરેલું. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરેલો. અર્હત્ અરિષ્ટનેમિ ચોપન રાત્રિદિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યાં. કાયાને વોસિરાવી દીધેલી, દેહના મમત્ત્વભાવને છોડી દીધેલ ઇત્યાદિ વર્ણન (પૂર્વે પણ કરાયું છે અને ભગવંત મહાવીરમાં પણ કરાશે, તે રીતે) સમજી લેવું. ૦ ભ૰ અરિષ્ટનેમિનું કેવળજ્ઞાન અને તિર્થપ્રવર્તન :
એ રીતે જ્યારે પંચાવનમો દિવસ આવ્યો ત્યારે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ અર્થાત્ આસોવદ અમાસ (ગુજરાતી ભાદરવા વદ–અમાસ)ના દિવસે (અપરાણ કાળે) દિવસના પાછલા ભાગે (આ પ્રમાણે ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્ર–૧૭૪માં લખ્યું છે. આવશ્યક નિયુક્તિ ૨૫૩ અને સમવાયાંગ સૂત્ર–૫૩ મુજબ “સૂર્યોદય વેળાએ અર્થાત્ દિવસના પૂર્વાણ કાળે' એમ જણાવે છે. આવશ્યક ચૂર્ણિમાં પૃષ્ઠ—૧૫૮ ઉપર તો ત્યાં સુધી લખ્યું છે કે, “એકરાત્રિકી પ્રતિમા વહન કરેલા એવા પ્રભુને—સૂર્યોદય વેળાએ”) ઉજ્જયંત પર્વતના શિખર પર (* આવશ્યક નિયુક્તિ-૨૫૪ મુજબ સહસ્રાપ્રવનમાં) વેંતસ વૃક્ષની નીચે, નિર્જલ એવા અઠ્ઠમ તપને કરેલા પ્રભુને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ધ્યાનાંતરિકામાં વર્તતા પ્રભુને અનંત અનુત્તર એવા કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયા યાવત્ – સમસ્ત લોક અને સર્વ જીવોના ભાવોને જોતા અને જાણતા એવા વિચરવા લાગ્યા.
-
૧૯૩
(* આવશ્યક સૂત્ર—મૂળ—પ૬—અરિષ્ટનેમિના દીક્ષા, નાણ, નિર્વાણ ત્રણ કલ્યાણકો ઉજ્જયંત પર્વતના શિખર પર થયાનું જણાવે છે.)
અર્હત્ અરિષ્ટનેમિએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૧૨૦ ધનુની હતી. કેવળજ્ઞાન પામ્યાના દિવસે પ્રથમ સમવસરણમાં જ પ્રભુએ તિર્થ પ્રવર્તન કરેલ. તેમના શાસનમાં છેોપસ્થાપના ન હતી. કેવળ સામાયિક ચારિત્ર જ હતું. તેમના સાધુ–સાધ્વીઓમાં સુઆભ્યેયતા આદિ ગુણોને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો.
ઉયંત (ગિરનાર) પર્વત પર સહસ્રામવનમાં અરિષ્ટનેમિ અર્જુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણ વાસુદેવને આપ્યા. આ વૃત્તાંત સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણે તેને સાડાબાર કરોડ દ્રવ્ય આપ્યું. તત્કાળ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા ગયા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવ્યા. એ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત આદિ ૨,૦૦૦ રાજાઓએ દીક્ષા લીધી. અરિષ્ટનેમિ પ્રભુના પ્રથમ શિષ્ય વરદત્ત થયા, પ્રથમ શિષ્યા યક્ષિણી થયા. નંદ પ્રથમ શ્રાવક અને મહાસુવ્રતા પ્રથમ શ્રાવિકા થયા. એ રીતે ચાતુર્વર્ણ સંઘ થયો. ૦ રાજીમતિ સાથેના પૂર્વભવોના સંબંધનું કથન :
Jain ૧/૧૩ |nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org