________________
૧૯૨
આગમ કથાનુયોગ-૧
ચૂકી છું. મારો હસ્તમેળાપ ન થયો તો શું? તેઓ જે માર્ગે જશે, તેને હું અનુસરીશ.
સમુદ્રવિજયે પણ સંત હૃદયે અરિષ્ટનેમિને લગ્ન માટે સમજાવ્યા. શ્રી કૃષ્ણ આદિએ પણ ઘણી વિનવણી કરી પણ અનંતા પ્રાણીઓના સંહારક અને સંસારમાં દુઃખરૂપ એવા સ્ત્રી સંગ્રહવાળા વિવાહ અરિષ્ટનેમિને મંજુર ન હતા. અરિષ્ટનેમિએ કહ્યું, હે માતા! પિતા ! બંધુજનો ! જે રીતે મેં આ પ્રાણીઓને બંધનથી મુક્ત કર્યા તે રીતે હું પણ કર્મના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાની મારી ઈચ્છા છે. કર્મનો ઉચ્છેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને જ ગ્રહણ કરીશ. ૦ ભ, અરિષ્ટનેમિની દીક્ષા :- (અને છઘસ્થ કાળ)
એ રીતે ભઅરિષ્ટનેમિએ લગ્ન કર્યા નહીં. રાજ્ય પણ ભોગવ્યું નહીં. કુમાર અવસ્થામાં જ રહ્યા. ગ્રામ્યાચાર અને રાજ્યના પરિત્યાગનો તેમને પ્રશ્ન જ ન હતો. એવા ભઅરિષ્ટનેમિ દક્ષ હતા -- યાવત્ – ૩૦૦ વર્ષ સુધી કુમારાવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહ્યા. ત્યાર પછી જેમનો જિતાચાર છે, એવા લોકાંતિક દેવોએ આવીને પ્રભુને પ્રાર્થના કરી. ઇત્યાદિ કથન (ભ,મહાવીરના કથાનકમાં કહેવાશે તે પ્રમાણે અહીં પણ) સમજી લેવું. -- યાવત્ – અભિનિષ્ક્રમણ પૂર્વે એક વર્ષ સુધી દાન આપ્યું. | (વ્યવહારમાં એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે વિવાહ કર્યા વિના ભઅરિષ્ટનેમિ પાછા ફર્યા અને સીધી જ દીક્ષા ગ્રહણ કરી. આ વાત અયોગ્ય છે. કલ્પસૂત્ર મૂળમાં શ્રી ભદ્રબાહુસ્વામી સૂત્ર–૧૭૨માં પ્રભુએ વર્ષિદાન આપ્યાનું જણાવે જ છે. લોકાંતિક દેવો વિનંતી કરવા પણ પ્રભુના પાછા ફર્યા પછી જ આવ્યા છે. ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવે છે કે, પછી પ્રભુ દરરોજ (વર્ષિ)દાન આપવા લાગ્યા. રાજીમતિ પણ અરિષ્ટનેમિનું ધ્યાન ધરતા કાળ નિર્ગમન કરે છે. પ્રભુએ એક વર્ષપર્યત દાન દીધું. પછી શક્રાદિએ આવીને પ્રભુનો દીક્ષા સંબંધિ અભિષેક કર્યો)
જે આ વર્ષાઋતુનો પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસનો સુદ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે પુર્વા સમયે, જેની પાછળ દેવ, માનવ અને અસુરોની પર્ષદા ચાલી રહી હતી. એવા ભઅરિષ્ટનેમિ અત્ પોતાની યૌવનવયમાં ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને – યાવત્ – દ્વારિકા નગરીના ઠીક મધ્ય ભાગમાં થઈને નીકળ્યા. નીકળીને જે તરફ રૈવત ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને અશોક વૃક્ષ નીચે શિબિકા ઊભી રાખી (અહીં કલ્પસૂત્ર તથા ઉત્તરાધ્યયન સુત્ર–૮૧૮ રૈવત ઉદ્યાન લખે છે. આવશ્યક નિયુક્તિ ૨૩૧માં “સહસ્ત્રાપ્રવન”નો ઉલ્લેખ છે.)
શિબિકા ઊભી રાખીને નીચે ઉતર્યા. ઉતરીને પોતાના જ હાથે આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા. પછી પોતાની જ મેળે પંચમુષ્ટિ લોચ કર્યો. લોચ કર્યા પછી નિર્જળ એવો છઠનો તપ કરેલા પ્રભુએ ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે એક દેવદુષ્ય વસ્ત્ર લઈને ૧,૦૦૦ પુરુષ સાથે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વને સ્વીકાર્યું અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી, જિતેન્દ્રિય અને લોચ કરેલા ભઅરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને કહ્યું. હે દમીશ્વર ! તમે તમારા અભિષ્ટ મનોરથોને જલદી પામો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નિલભતામાં ખૂબ ખૂબ આગળ વધો. ત્યાર પછી તે બલરામ, કેશવ (વાસુદેવ), દશાર્ડ આદિ અનેક લોકો અરિષ્ટનેમિને વંદન કરીને દ્વારિકાપુરી પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org