________________
તીર્થકર ચરિત્ર–ભ-અરિષ્ટનેમિ-કથા
૧૯૧
ધરાયું, બંને બાજુ ચામર વિંઝાવા લાગ્યા. રાજકુમારો અશ્વારૂઢ થઈ પ્રભુની આગળ ચાલ્યા. બંને બાજુ હાથી પર બેસીને રાજા ચાલવા લાગ્યા. પાછળ સમુદ્રવિજયાદિ દશા, કૃષ્ણ-બળભદ્ર આદિ પરિવાર ચાલ્યો. ત્યારે કૃષ્ણ પણ મસ્તક પર ચૂડામણી જેવા શોભતા હતા. પછી મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસીને શિવાદેવી માતા સહિત અંતઃપુરની અન્ય રાણીઓ ચાલી. વાજિંત્રો વાગવા લાગ્યા, મંગલ ગીતો ગવાવા લાગ્યા. ચતુરંગિણી સેના સહિત સમૃદ્ધિપૂર્વક જતા અરિષ્ટનેમિએ ઉગ્રસેન રાજાનો ભવ્ય મહેલ જોયો. ત્યાં રાજીમતિ પોતાની સખી સાથે વાર્તાલાપ કરી રહી હતી. ૦ અરિષ્ટનેમિનો કરુણાભાવ :
રાજા ઉગ્રસેને જાનૈયાઓના ભોજનને માટે સેંકડો પશુ-પક્ષીઓને એકઠાં કર્યા હતા. અરિષ્ટનેમિ જ્યારે વિવાહ અર્થે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એક વાડામાં બંધ કરેલા પશુઓના કરુણ રુદન સાંભળવામાં આવ્યા. તેમનું હૃદય કરુણાથી દ્રવી ઉઠ્યું. ભગવંતે સારથીને પછયું, “હે મહાભાગ! આ બધાં સુખાર્થી જીવોને પાંજરામાં શા માટે પૂરવામાં આવ્યા છે? સારથીએ કહ્યું કે, આ બધાં ભદ્ર અને મૂક પ્રાણીઓ આપના વિવાહ કાર્યમાં આવેલ વ્યક્તિઓના ભોજનને માટે છે. કરુણામૂર્તિ અરિષ્ટનેમિએ વિચાર્યું કે મારા કારણે આ ઘણાં જીવોનો સંહાર થાય તે મારા માટે કલ્યાણપ્રદ નહીં બને. અરે ! આ વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે. તેમ કહીને પોતાનાં કુંડલ, કંદોરો વગેરે આભુષણો ઉતારીને સારથીને આપી દીધા. ૦ લગ્નની અનિચ્છા–રાજીમતી આદિનો વિલાપ :
અરિષ્ટનેમિ પ્રભુએ સારથીને રથ પાછો વાળવા કહી દીધું. હે સારથી ! મારે આ હિંસાકારી વિવાહ નથી કરવા. તે વખતે રાજીમતિ પણ અપશુકનના ભયથી અને મનમાં સંતાપ થવાથી અશ્રુ વહાવવા લાગી. તેની સખીઓએ તેને શાંત પાડવા ઘણાં પ્રયત્નો કર્યા. પરંતુ રાજીમતિના ચહેરા પર છવાયેલ ખુશી પ્રભુના પાછા ફરવાથી વિલીન થઈ ગઈ. અરિષ્ટનેમિકુમારને પાછા ફરતા જોઈ સમુદ્રવિજય શિવાદેવી પ્રમુખ સ્વજનોએ તુરત રથને અટકાવ્યો. શિવાદેવી માતા અથુપૂર્ણ નયને બોલ્યા કે, હે વત્સ ! તું વિવાહ કરી મને પુત્રવધૂનું મુખ દેખાડ. ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું કે, મને મનુષ્ય સ્ત્રીમાં કોઈ રાગ નથી હવે હું મુક્તિરૂપી સ્ત્રીના સંગમ માટે ઉત્સુક છું. હે માતા ! તમે આ આગ્રહ છોડી દો. તેઓ વિવાહ કર્યા વિના જ ચાલી નીકળ્યા.
રાજીમતિ પણ આ સાંભળી મૂછિત થઈ ગયા. સખીઓએ મહામુશ્કેલીથી તેણીને શુદ્ધિમાં લાવ્યા. રાજીમતિ ચોધાર આંસુએ વિલાપ કરવા લાગ્યા. ભઅરિષ્ટનેમિને ઉપાલંભ દેવા લાગ્યા. સખીઓ પણ અરિષ્ટનેમિ વિશે નિંદિત વચનો બોલવા લાગી. માતા-પિતા, સખીએ તેણીને ઘણું સમજાવ્યું, “અરિષ્ટનેમિ ચાલ્યા ગયા તો શું થયું – ઘણાંએ સારા વર પ્રાપ્ત થઈ જશે.
રાજીમતિ પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યા. તેણી ઘણી વ્યથિત થઈ, અરિષ્ટનેમિ જ તેણીના હૃદયમાં વસેલ હતા. તેણીએ દઢતાથી બીજા કોઈ પણ સાથેના વિવાહની વાતનો વિરોધ કર્યો. સખીઓને કહ્યું કે, હું મન અને વચનથી અરિષ્ટનેમિને વરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org