________________
આગમ કથાનુયોગ-૧
અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ અરિષ્ટનેમિને જળક્રીડા કરવા રૈવતાચલ ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી હાથ ઝાલીને પ્રભુને સરોવરમાં લઈ ગયા. સુવર્ણની પીચકારીમાં કેસર મિશ્રિત જળ ભરી પ્રભુને સિંચવા લાગ્યા. કૃષ્ણ ઈચ્છતા હતા કે અરિષ્ટનેમિ વિવાહિત થઈ જાય તેનું અતુલબલ ક્ષીણ થાય તો તેમના તરફથી ભય કે આશંકા રહે નહીં.
૧૯૦
કૃષ્ણ રુક્મિણી આદિ રાણીઓને પણ કહી રાખ્યું કે, તમારે અરિષ્ટનેમિ સાથે નિઃશંકપણે ક્રીડા કરવી, તેમને કોઈપણ રીતે વિવાહની ઈચ્છાવાળા કરવા. પતિની આજ્ઞાથી તે રાણીઓ પણ અરિષ્ટનેમિ સાથે ક્રીડા કરવા લાગી. કોઈ સુગંધી જળ છાંટતી, કોઈ પુષ્પોના દડા મારતી, કોઈ હૃદયભેદી તીક્ષ્ણ કટાક્ષ ફેંકતી, કામકળા ચતુર સ્ત્રી મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. એ રીતે બધી રમતમાં તન્મય બની ગઈ. ત્યારે આકાશમાં દેવવાણી થઈ, આ પ્રભુને જન્મ સમયે ચોસઠ ઇન્દ્રોએ યોજન પ્રમાણ મુખવાળા કળશોથી મેરૂપર્વત અભિષેક કર્યો, તો પણ પ્રભુ વ્યાકુળ થયા નહીં. તમે શું કરશો ? પછી અરિષ્ટનેમિ પણ કૃષ્ણ તથા સર્વ રાણીને જળ છાંટવા લાગ્યા. એ રીતે વિસ્તારપૂર્વક જળક્રીડા કરી, સરોવરને કાંઠે આવી અરિષ્ટનેમિ કુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી રાણીઓ ચારે તરફ વિંટળાઈને ઊભી રહી. વિવિધ શબ્દો અને સંવાદોથી અરિષ્ટનેમિને વિવાહ માટે સમજાવા લાગી. સત્યભામાએ પણ કહ્યું કે, “પૂર્વે ઋષભ આદિ તીર્થંકરોએ પણ વિવાહ કર્યો હતો, રાજ્ય પણ ભોગવેલું, અંતે મોક્ષે ગયા, તમે કોઈ નવા મોક્ષગામી થવાના છો. તમે પણ લગ્ન કરી સૌના મનને સ્વસ્થ કરો. જાંબવતીએ પણ કહ્યું, પહેલા તમારા જ વંશના વિભુષણ સમાન એવા મુનિસુવ્રત તીર્થંકર થયા. તેઓ પણ ગૃહસ્થાવાસ ભોગવી પછી મોક્ષે ગયેલા. તો તમે પણ વિવાહ કરો. આ રીતે રુક્મિણી, સત્યભામા, જાંબવતી, પદ્માવતી, ગાંધારી, લક્ષ્મણા આદિ અનેક રાણીઓએ વિવિધ યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા. તે વખતે મૌન રહેલા પ્રભુને સહેજ હસતાં મુખવાળા જોઈને, રાણીઓએ હર્ષિત થઈ ઊંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે અરિષ્ટનેમિકુમારે લગ્ન કરવાની અનુમતિ આપી છે. દ્વારિકામાં બધે આ વાત ફેલાઈ ગઈ. બધાં નગરજનો કહેવા લાગ્યા કે, “નેમિકુમાર વિવાહ માટે તૈયાર થયા છે.' ૦ રાજીમતિ કન્યા સાથે વિવાહની વાત :
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ અરિષ્ટનેમિકુમાર માટે ઉગ્રસેન રાજાની રૂપવતી કન્યા રાજીમતિની માંગણી કરી. રાજીમતિ સર્વ લક્ષણોથી સંપન્ન, વિદ્યુત્ સમાન પ્રભાવાળી રાજકન્યા હતી. ઉગ્રસેને વિવાહની વાત સહર્ષ સ્વીકારી. કૃષ્ણ મહારાજે તુરંત સમુદ્રવિજય રાજાને આ સમાચાર આપ્યા. સમુદ્રવિજય પણ તે સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી જ્યોતિષીને બોલાવીને લગ્નનો શુભ દિવસ પૂછયો. જ્યોતિષીએ કહ્યું, “હે રાજન ! વર્ષાકાળમાં આવું શુભ કાર્ય કરવું યોગ્ય નથી. સમુદ્રવિજયના અતિ આગ્રહથી શ્રાવણ સુદ–છટ્ઠનો દિવસ કહ્યો. એ વાતની ઉગ્રસેન રાજાને પણ જાણ કરી. બંને બાજુ વિવાહની તૈયારી થવા લાગી. કૃષ્ણે સમગ્ર નગરીને સુશોભિત કરાવી. વિવાહના દિવસે પ્રભુને સૌષધિ વડે સ્નાન કરાવ્યું, કૌતુક મંગલ કરાયા, દિવ્ય વસ્ત્રાભૂષણોથી શ્રૃંગાર યુક્ત કર્યાં. શ્વેત અશ્વવાળા રથ પર પ્રભુ આરૂઢ થયા. મસ્તકે છત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org