________________
૧૮૪
આગમ કથાનુયોગ-૧
(૧૬) ભ૰મુનિસુવ્રત કથાનક :
(બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વીસમાં તીર્થંકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સિંહગિરિ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કયું. તે ભવે જ તીર્થંકર નામ કર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને અપરાજિત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચ્યવીને તેઓ રાજગૃહી નગરીમાં સુમિત્રરાજાની પત્ની પદ્માવતી રાણીની કુક્ષિમાં શ્રાવણ સુદ-૧૫ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ત્યારે પદ્માવતી માતા ગજવૃષભ આદિ ચૌદ સ્વપ્નો જોઈને
જાગ્યા.
જેઠ વદ–આઠમ (ગુજરાતી વૈશાખ વદ–૮)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રાજગૃહી નગરીમાં ભ૰મુનિસુવ્રતનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પદ્માવતી માતા અતીવ સુવ્રતા થયા. તેથી પ્રભુનું નામ મુનિસુવ્રત રખાયું. બીજો અર્થ એ કે, જગત્ ત્રિકાલ અવસ્થામાં માને છે તેથી તે મુનિ છે અને જેના વ્રતો શોભન હોય છે તેથી સુવ્રત. સુવ્રતવાળા એવા મુનિ હોવાથી મુનિસુવ્રત કહેવાયા અથવા સર્વભાવોને સારી રીતે જાણતા અને સમ્યક્ વ્રતવાળા હોવાથી તે મુનિસુવ્રત કહેવાયા. ગૌતમ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ કૃષ્ણ હતો. લંછન કાચબો હતું.
ભ૰મુનિસુવ્રત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ ૭,૫૦૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૧૫,૦૦૦ વર્ષ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૨૨,૫૦૦ વર્ષ સુધી પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વીશ ધનુની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી. ફાગણ સુદ બારસના દિવસે મનોહરા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં, મુનિસુવ્રત સ્વામી રાજગૃહી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. પ્રભુએ છટ્ઠનો તપ કર્યો હતો. તે જ દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે નિલગુહા નામક ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. રાજગૃહી નગરીમાં જ આવશ્યકમતે બ્રહ્મદત્ત અને સમવાયાંગ મતે ઋષભસેન ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. મુનિસુવ્રતસ્વામી અગિયાર માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે મુનિસુવ્રત સ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ–બારસ (ગુજરાતી મહાવદ–૧૨)ના પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રાજગૃહી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિસુવ્રતસ્વામીના સમવસરણમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International