________________
૧૮૨
આગમ કથાનુયોગ–૧
આવશ્યક નિર્યુક્તિનો મત પણ તેમણે નોંધ્યો છે અને એક અહોરાત્રના છદ્મસ્થ પણાની વાત પણ નોંધી છે.
છેલ્લે પૂજ્ય વૃત્તિકાર લખે છે કે, “તવત્રામિત્રાયં વહુશ્રુતા વિવન્તીતિ’' અર્થાત્ આ અભિપ્રાયને બહુશ્રુતો જ જાણે છે (−જણાવી શકે છે.)
-
તે કાળે, તે સમયે (પ્રભુને કેવળજ્ઞાન • કેવળ દર્શન ઉત્પન્ન થયું ત્યારે) બધાં દેવોનું આસન ચલાયમાન થયું. ધર્મ શ્રવણ કરવાને માટે સમવરિત થયા. પરમાત્મા મલ્લિએ પણ ૩૦૦ ધનુષુ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને દેવો રચિત સમવસરણમાં ધર્મદેશના આપી. દેવો ધર્મદેશના શ્રવણ કરીને નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. કરીને જે દિશામાં આવ્યા હતા તે જ દિશામાં પાછા ગયા. કુંભ રાજા પણ નીકળ્યા. જિતશત્રુ આદિ છ રાજાની પ્રવ્રજ્યા :
.
ત્યારબાદ તે જિતશત્રુ આદિ છ એ રાજા પોત-પોતાના મોટા પુત્રોને રાજ્ય પર સ્થાપિત કરી હજાર પુરુષ વડે વહન કરાતી શિબિકાઓમાં આરૂઢ થઈને સર્વઋદ્ધિ સાથે જ્યાં મહ્નિ અર્હન્ત હતા, ત્યાં આવ્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. ત્યાર પછી ભ૰મલ્લિ અર્જુન્તે તે મોટી પર્ષદાન, કુંભરાજાને તથા જિતશત્રુ આદિ છ એ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. તેમણે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણ ધર્મની પ્રરૂપણા કરેલી. ભમલ્લિના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) ધર્મદેશના બાદ પર્ષદા જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
ભ૰મલ્લિએ કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપે તીર્થ પ્રવર્તન કરેલ. કુંભ શ્રમણોપાસક થયા – યાવત્ – પાછા ગયા. પ્રભાવતી શ્રમણોપાસિકા થયા, તે પણ પાછા ગયા. ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાએ ધર્મનું શ્રવણ કરી અને સમજીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! આ લોક આલિપ્ત છે, પ્રલિપ્ત છે, આલિસ પ્રલિપ્ત છે. જરામરણથી વ્યાપ્ત છે - યાવત્ – તેઓ દીક્ષિત થયા. (કાળક્રમે) ચૌદ પૂર્વના જ્ઞાતા પણ થયા. શ્રેષ્ઠ એવા અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને પછી તેઓ સિદ્ધ પણ થયા. ભ૰મલ્લિના શાસનના સાધુ-સાધ્વીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો સુગમ હતો.
ત્યાર પછી ભમલ્લિ અર્હન્ત સહસ્રામવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરવા લાગ્યા. ભમલ્લિને અટ્ઠાવીશ ગણ અને અટ્ઠાવીશ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ (નાયાધમ્મકહા પ્રમાણે) ભિષક હતું. (સમવાયાંગના મતે) ઇન્દ્ર હતું. (પ્રવચન સારોદ્ધાર અને ત્રિષષ્ઠી શલાકામાં તેનું ભિષક નામ જ છે). ભ૰મલ્લિના પ્રથમ શિષ્યાનું નામ બંધુમતી હતું.
તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૪,૦૦૦, શ્રમણીઓની ૫૫,૦૦૦, શ્રાવકોની ૧,૮૪,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૬૫,૦૦૦ની હતી. (બીજા મતે – ત્રિષષ્ઠી શલાકા, પ્રવચન સારોદ્ધાર, સપ્તતિ શત સ્થાનક આદિમાં ભ૰મલિના શ્રાવકની સંખ્યા ૧,૮૩,૦૦૦ અને શ્રાવિકાની સંખ્યા ૩,૭૦,૦૦૦ બતાવેલ છે.)
ભમલ્લિ અર્જુન્તના શિષ્યોમાં ૨,૦૦૦ અવધિજ્ઞાની, ૮૦૦ મન:પર્યવજ્ઞાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org