SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર-ભ૦મલિ–કથા ૧૭૯ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભૂષિત કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રકારે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી મનોરમા શિબિકા લાવો. તેઓ પણ લાવ્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી અનેક સેંકડો સ્તંભોની બનેલી – યાવત્ – મનોરમા શિબિકા લાવો. તેઓ પણ – યાવત્ – લાવ્યા. એ (દેવ) શિબિકા પણ પેલી (કુંભરાજાની) શિબિકામાં સમાઈ ગઈ. - ત્યાર પછી ભમલિ અન્ત સિંહાસનથી ઊભા થયા. ઉઠીને જ્યાં મનોરમા શિબિકા હતી ત્યાં આવ્યા. આવીને મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરી. કરીને મનોરમા શિબિકા પર આરૂઢ થયા, પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થયા. (જેણે ગ્રામ્યચાર ધર્મનું પાલન નથી કર્યું અર્થાત્ જેઓએ લગ્ન નથી કર્યા તેમજ રાજ્ય પણ ભોગવ્યું નથી તેવા ભગવતી માિ પૂર્વાભકાળે (-પ્રાતઃકાળે) પોતાની પ્રથમ વયમાં અર્થાત્ યૌવનના આરંભે જ મિથિલા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા – પ્રસ્થાન માટે પ્રવૃત્ત થયા) ત્યારે કુંભ રાજાએ અઢાર શ્રેણિ-પ્રશ્રેણિયોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે સ્નાન કરીને – યાવત્ - સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લિકુંવરીની શિબિકા વહન કરો. તેઓ પણ – યાવત્ – વહન કરે છે. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રને મનોરમા શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહા ગ્રહણ કરી, ઇશાનેન્દ્રએ ઉત્તર તરફની ઉપરની બાહા ગ્રહણ કરી, અમરેન્દ્રએ દક્ષિણ તરફની નીચલી વલી અને ઉત્તર તરફની નિચલી બાહા ગ્રહણ કરી. શેષ દેવોએ યથાયોગ્ય શિબિકા વહન કરી. (હર્ષને કારણે જેના રોમ કૂપ વિકસ્વર થઈ રહ્યા છે. તેવા મનુષ્યોએ સર્વપ્રથમ શિબિકા ઉપાડી, ત્યાર પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્રોએ શિબિકાનું વહન કર્યું. ચલાયમાન ચપળ કુંડલોને ધારણ કરવાવાળા, સ્વેચ્છાનુસાર વિકુર્વિત આભુષણોને ધારણ કરવાવાળા દેવેન્દ્ર અને દાનવેન્દ્રો જિનેન્દ્ર ભગવાનની શિબિકા વહન કરે છે. પૂર્વમાં દેવો (સુરેન્દ્રો) – દક્ષિણમાં નાગેન્દ્ર, પશ્ચિમમાં અસુરેન્દ્રો અને ઉત્તરમાં ગરુડેન્દ્રો શિબિકાને વહન કરે છે – જિનેશ્વરોની શિબિકાને વહન કરવાના સંદર્ભમાં સર્વસાધારણ વ્યાખ્યા સૂચવતી આ ત્રણ ગાથાઓ સમવાય ૨૮૧ થી ૨૮૩માં જણાવેલ છે. પ્રથમ બે ગાથા નાયાધમ્મકહા ૧૦૪-૧૦પમાં પણ જણાવેલી જ છે.) ત્યાર પછી ભગવતી મલિ અર્વન્ત મનોરમા શિબિકામાં આરૂઢ થઈ ગયા. ત્યારે તેમની સામે અનુક્રમે આઠ-આઠ મંગલ દ્રવ્ય ચાલવા લાગ્યા. જમાલિના નિર્ગમનની માફક અહીં પણ વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી જ્યારે ભમલિ અર્પત્તનું નિષ્ક્રમણ થઈ રહ્યું હતું ત્યારે કેટલાંયે દેવોએ મિથિલા નગરીને અંદર અને બહાર જળ વડે સિંચિત કરી, સાફ કરી, ચૂના. આદિથી ઘોળી – યાવત્ – તેઓ અહીંતહીં ભાગદોડ અને ઉછળકૂદ કરવા લાગ્યા. ત્યાર પછી ભમલિ અર્વન્ત જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યા, આવીને શિબિકાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy