________________
તીર્થંકર ચરિત્ર–ભ મલિ–કથા
૧૭૭
ત્યાર પછી કુંભરાજાએ મિથિલા રાજધાનીમાં જ્યાં ત્યાં (અનેક સ્થાને) ભોજનશાળાઓ ખોલાવી. તે ભોજન શાળાઓમાં જેમને ભોજન અને વેતન મળતું હતું તેવા ઘણાં મનુષ્યો ત્યાં રોજેરોજ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન બનાવતા હતા. એ ભોજન ત્યાં આવનાર પથિક, પથિક, કરોટિક, કાર્યાટિક, પાખંડી અથવા ગૃહસ્થ (જે આવે તેને) આશ્વાસન આપી, વિશ્રામ આપી, સુખદ્ આસને બેસાડીને તે વિપુલ અશન આદિ ભોજન પીરસવામાં આવતું હતું.
ત્યારે મિથિલા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, રસ્તા આદિ સ્થાનો પર જ્યાં અનેક લોકો એકબીજાને કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિય ! કુંભરાજાના ભવનમાં સર્વકામગુણિત એવા વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન ઘણાં શ્રમણો, માહણો, સનાથો, અનાથો, પથિકો, પથિકો, કરોટિકો, કાર્યાટિકોને પીરસાય છે – અપાયા છે.
સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્ર દ્વારા પૂજિત તીર્થકરોના નિષ્ક્રમણ અવસરે વારંવાર આ ઘોષણા કરાય છે કે માંગો, જેની જે ઈચ્છા હોય તે માંગો એ પ્રમાણે ઈચ્છાનુસાર દાન દેવાય છે. તે વખતે ભ, મલ્લિ અન્ત પણ વર્ષીદાન (એક સંવત્સર અર્થાત્ વર્ષમાં) ૩૮૮ કરોડ અને ૮૦ લાખની અર્થ સંપત્તિ (સુવર્ણમુદ્રા)નું દાન દઈને હું દીક્ષા માટે નીકળે એવો મનમાં નિશ્ચય કર્યો.
તે કાળે, તે સમયે બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રતરમાં નિવાસ કરતા લોકાંતિક દેવ પોતપોતાના વિમાનમાં, પોતપોતાના પ્રાસાદાવતંસકોમાં પ્રત્યેક પોતપોતાના ૪,૦૦૦ સામાનિક દેવો, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ અનેક લોકાંતિક દેવોથી પરિવૃત્ત થઈને મહાન્ એવા (મોટામોટા અવાજોથી) નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પહ, નગારા આદિના ધ્વનિ પૂર્વક દિવ્ય ભોગોને અનુભવતા વિચરતા હતા.
તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે. ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહિ, ૪. વરુણ, ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. આગ્નેય. એ આઠે લોકાંતિક રિષ્ટ નામના પ્રતરમાં રહેતા હતા.
(* લોકાંતિક દેવ – આચારાંગ સૂત્ર ૫૧૮-૫૧૯ તથા વૃત્તિમાં સ્થાનાંગ સૂત્ર ૭૩૪-૭૩૫ તથા તેની વૃત્તિમાં, ભગવતી સૂત્ર ર૯૫–૧૯માં, નાયાધમ્મકા સૂત્ર ૧૦૨ તથા તેની વૃત્તિમાં, કલ્પસૂત્ર (મૂળ)ના સૂત્ર ૧૧૦માં, તત્વાર્થ સૂત્ર સ્વપજ્ઞ ભાગમાં અધ્યાય-૪ના સૂત્ર ૨૪ અને ૨૫નું ભાષ્ય, આદિ સ્થાનોમાં આઠ લોકાંતિકનો પાઠ જ જોવા મળેલ છે. જ્યારે સ્થાનાંગ સૂત્ર ૮૪૧-૮૪ર તથા તેની વૃત્તિ, ભગવતી સૂત્ર ૨૯૭, આવશ્યક નિર્યુક્તિ ૨૧૪ તથા તેની વૃત્તિ, કલ્પસૂત્ર મૂ૧૧૦ની વિનયવિજયજીની ટીકા આદિમાં નવા લોકાંતિકનો પાઠ છે. તદુપરાંત નાયાધમ્મકહાની અભયદેવસૂરિ કૃત વૃત્તિ (સૂત્ર ૧૦૨) તથા તત્ત્વાર્થ ભાષ્ય ટીપ્પણકમાં “અન્યત્ર-દશ લોકાંતિક કહ્યા છે” તેવો સાક્ષી પાઠ પણ મળે છે. આ વિષયમાં અને વિસ્તૃત ચર્ચા મારા તત્ત્વાર્થસૂત્ર અભિનવ ટીકા ભાગ–૪–અધ્યાય–૪–૧૦૨, ૧૦૩ ઉપર પણ કરેલી જ છે. અહીં કથાનુયોગ હોવાથી તે ચર્ચાની નોંધ રજૂ કરેલ નથી. પણ જ્યાં નવનો ઉલ્લેખ છે ત્યાં રિષ્ટ (કે અરિષ્ટ)ને નવમાં લોકાંતિક કહ્યા છે. અમે તો ઉપરોક્ત અનુવાદ નાયાધમકહાના ભમલિ અધ્યયનને આધારે જ કરેલ છે.)
ત્યાર પછી તે લોકાંતિક દેવોના પ્રત્યેકના આસન ચલાયમાન થયા ઇત્યાદિ પૂર્વવતુ
air
n international
For Private & Personal Use Only
www.jainelibrary.org