________________
તીર્થંકર ચરિત્ર–ભમલ્લિ–કથા
જયંત વિમાનમાં (દેવરૂપે) હતા. સમય આવ્યે આપણે એકબીજાને પ્રતિબોધિત કરીશું એવા પ્રકારની પરસ્પર પ્રતિજ્ઞા કરેલી હતી ? તો હવે તમે તે દેવભવનું સ્મરણ કરો. જિતશત્રુ આદિ રાજાને જાતિસ્મરણ – તે બધાંનો પ્રવ્રજ્યા સંકલ્પ :
.
ત્યાર પછી વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મહ્લિ પાસેથી પોતાનો પૂર્વભવના વૃત્તાંતને સાંભળી અને સમજીને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વિશુદ્ધ લેશ્યાઓથી તથા તદાવરક કર્મોના ક્ષયોપશમથી ઇહા–અપોહ-માર્ગણા અને ગવેષણા કરવાથી તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને સંજ્ઞી જીવોને ઉત્પન્ન થતું એવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેથી તેઓને (ભ૰મલ્લિની)એ વાત સમ્યક્ પ્રકારે સમજમાં આવી.
ત્યાર પછી જ્યારે ભ૰મલ્લિ અર્હન્તુ એ જાણ્યું કે જિતશત્રુ આદિ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે ત્યારે તેણીએ ગર્ભગૃહના દ્વાર ખોલાવી દીધા. ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલ છું – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. તો તમે શું કરશો ? કઈ રીતે રહેશો ? શું તમે તમારું હિત સાધવા સમર્થ છો ? ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ ભ૰મલ્લિ અર્જુન્તને આ પ્રમાણે કહ્યું –
૧૭૫
હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છતા હો તો, હે દેવાનુપ્રિય ! તો અમારે માટે બીજું કયું આલંબન કે આધાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપ્રિય ! જેમ આજથી પૂર્વના ત્રીજા ભવમાં અનેક કાર્યોમાં આપ મેઢીભૂત, પ્રમાણભૂત – યાવત્ – ધર્મધુરા રૂપ હતા, તે જ રીતે હે દેવાનુપ્રિય ! આ ભવમાં પણ આપ – યાવત્ – અમારા ધર્મધુરા થાઓ. હે દેવાનુપ્રિય ! સંસારના ભયથી ઉદ્વિગ્ન – યાવત્ – જન્મ મરણથી ભયભીત એવા અમે પણ આપ દેવાનુપ્રિયની સાથે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગીને અનગારિક પ્રવ્રજ્યા (દીક્ષા) ગ્રહણ કરીશું.
-
ત્યાર પછી ભમલ્લિ અન્તને જિતશત્રુ આદિ છ એ રાજાને આ પ્રમાણે કહ્યું, જો તમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન હો – યાવત્ – મારી સાથે દીક્ષા લેવા ઇચ્છતા હો, તો હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના રાજ્યોમાં જઈ, તમારા મોટા પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. પછી હજાર પુરુષ દ્વારા વહન કરાતી શિબિકાઓમાં આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ ભ૰મલ્લિ અર્હન્તની આ વાતનો સ્વીકાર કર્યો. પછી ભ૰મલ્લિ અર્હન્ત તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને સાથે લઈને, જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા. આવીને કુંભરાજાને પગે પડ્યા.
ત્યારે કુંભ રાજાએ તે જિતશત્રુ આદિનો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે ભોજનથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારો આદિથી સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી વિદાય આપી. ત્યાર પછી કુંભરાજા દ્વારા વિદાય અપાયેલ તે જિતશત્રુ આદિ છ એ રાજા પોતપોતાના રાજ્યમાં, પોતપોતાના નગરમાં આવ્યા. ત્યાં આવી પોતપોતાના રાજ્યોનું શાસન કરતા વિચરવા લાગ્યા. ૦ભમલ્લિનો દીક્ષા સંકલ્પ અને કલ્યાણક મહોત્સવ :
મલ્લિ ભગવતી આ પ્રમાણે અપરિણિત જ રહ્યા. (તેમણે લગ્ન કર્યા ન હતા) તેઓ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org