________________
૧૭૪
આગમ કથાનુયોગ-૧
ત્યાર પછી વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ સ્નાન કર્યું. પૂજા, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા, સર્વાલંકારથી વિભૂષિત થઈ, અનેક કુન્જા-દાસીઓ સાથે – યાવત્ – પરિવૃત્ત થઈને જ્યાં જાગૃહ હતું, જ્યાં સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી, પદ્મ કમળોથી આચ્છાદિત મસ્તકવાળી પ્રતિમા હતી. ત્યાં આવી, આવીને તે સુવર્ણમયી સચ્છિદ્ર મસ્તકવાળી – યાવત્ – પ્રતિમાના મસ્તક ઉપરથી પu–કમળનું આવરણ ખોલી નાંખ્યું. આવરણ ખોલતાની સાથે જ તેમાંથી દુર્ગધ નીકળી. તે દુર્ગધ એવી હતી જેવી મરેલા સાપની દુર્ગધ હોય – યાવત્ – તેનાથી પણ અશુભતર દુર્ગધ હતી.
ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોતપોતાના ઉત્તરીય વસ્ત્ર વડે મુખ અને નાક ઢાંકી દીધા. ઢાંકીને પોતાનું મુખ ફેરવીને ઊભા રહ્યા. ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ જિતશત્રુ આદિ રાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના ઉત્તરીય વસ્ત્ર વડે તમારા મોઢાને ઢાંકીને મુખ ફેરવીને કેમ ઊભા રહી ગયા છો? ( બેઠા છો ?) ત્યારે તે જિતશત્રુ આદિ રાજાએ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મહિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આ અશુભ ગંધથી અભિભૂત થઈને ગભરાઈને અમે અમારા ઉત્તરીય-વસ્ત્ર વડે મુખ ઢાંકીને વિમુખ થઈને રહ્યા છીએ.
તેઓની આ વાત સાંભળીને વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ તે જિતશત્ર આદિ રાજાને આ પ્રમાણે કહ્યું, જો એમ જ છે, તો હે દેવાનુપ્રિયો ! જ્યારે સચ્છિદ્ર મસ્તકવાળી અને પદ્મ–ઉત્પલથી ઢંકાયેલી સુવર્ણમયી પ્રતિમામાં પ્રતિદિન મનોજ્ઞ અશન, પાન, ખાદિમ,
સ્વાદિમ આહારનો માત્ર એક એક કવલ નાંખવામાં આવ્યો તો પણ આવા પ્રકારનું અશુભ પુલ પરિણામ સ્વરૂપ થઈ ગયો. તો પછી કફ, વમન, પિત્ત, શુક્ર, શોણિત, પરૂના આશ્રયભૂત અને જેના શ્વાસ-ઉચ્છવાસ કુરૂપ અનિષ્ટતર ગંધવાળા છે તથા જે હંમેશા ધૃણાજનક મૂત્ર, પરૂ, વિષ્ઠા, મળ આદિથી ભરેલું રહે છે. સદન, ગલણ, છેદન અને વિધ્વંસ ધર્મવાળા આ ઔદારિક શરીરનું પરિણમન કેવું થશે ?
હે દેવાનુપ્રિયો! તમે આ મનુષ્ય સંબંધિ કામભોગોમાં ફસાઓ નહીં, તેમાં રાગ ન કરો, ગૃદ્ધિ ન કરો, મોહિત ન થાઓ, તેનો વિચાર પણ ન કરો. હે દેવાનુપ્રિયો ! તમે સૌ અને હું આની પૂર્વેના ત્રીજા ભવમાં પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સલિલાવતી નામક વિજયમાં વીતશોકા નામની રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલવયસ્ક મિત્ર રાજાઓ હતા, જે સમાન કાળે જન્મ્યા હતા – યાવતું – દીક્ષા લીધી હતી.
ત્યાર પછી હૈ દેવાનુપ્રિયાં! તે ભવમાં મેં સ્ત્રી ગોત્ર નામ કર્મ ઉપાર્જન કરેલું. કેમકે જ્યારે તમે ઉપવાસ કરતા હતા તો હું છઠ તપની આરાધના કરતો વિચરતો હતો. ઇત્યાદિ પૂર્વભવ અનુસાર જાણવું, ત્યારબાદ હે દેવાનુપ્રિયો ! આપ સૌ કાળધર્મ પામીને જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી સ્થિતિ (આયુષ્ય) બત્રીશ સાગરોપમથી કંઈક ઓછી હતી. ત્યાર પછી તમે સૌ તે દેવલોકથી ઍવીને આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં – થાવત્ – પોતપોતાના રાજ્યનું શાસન કરતાં વિચરી રહ્યા છો.
હે દેવાનુપ્રિયો ! ત્યાર પછી હું પણ તે દેવલોકથી આયુનો ક્ષય પામી – યાવતુ – અહીં કન્યારૂપે ઉત્પન્ન થઈ. શું તમે તે પૂર્વભવને ભૂલી ગયા છો ? જ્યારે આપણે સૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org