________________
તીર્થકર ચરિત્ર–ભમતિ-કથા
૧૭3.
૦-ભમતિ દ્વારા કુંભરાજાની ચિંતાનો હેતુ જાણીને – નિવારણ કરવું :
આ તરફ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ સ્નાન કર્યું. પૂજા આદિ કર્યા, કૌતુક-મંગલ પ્રાયશ્ચિત આદિ કર્યા સર્વાલંકાર વડે વિભૂષિત થઈને ઘણી કુન્જા-દાસીઓથી સંપરિવૃત્ત થઈને કુંભ રાજા પાસે આવીને રાજાના ચરણસ્પર્શ કર્યા, પરંતુ ત્યારે કુંભ રાજાએ તેણીનો આદર ન કર્યો, તેણીની સામે ધ્યાન ન આપ્યું. પણ ચુપચાપ શાંતિથી બેસી રહ્યો.
ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિને આ પ્રકારે કહ્યું, હે તાત ! પહેલા જ્યારે તમે મને આવતી જોતા હતા, ત્યારે તમે મારો આદર કરતા હતા, મારી તરફ ધ્યાન આપતા હતા, ખોળામાં બેસાડતા હતા. પરંતુ આજ શું કારણ છે કે, તમે મારો આદર ન કર્યો, મારા આગમન તરફ ધ્યાન ન આપ્યું, ગોદમાં ન બેસાડી. પણ આજ આપ નિરાશ વદને, મોઢા પર હાથ ટેકવી આર્તધ્યાન કરતા બેઠા છો ?
ત્યારે કુંભે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિને આ પ્રમાણે કહ્યું, હે પુત્રી તારી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી જિતશત્રુ આદિ છ એ રાજાઓએ દૂત મોકલેલ. તેઓને મેં અસત્કાર, અસન્માન કરી પાછલા દ્વારેથી કાઢી મૂક્યા. પોતપોતાના દૂતો પાસેથી આ વૃત્તાંત સાંભળીને તે જિતશત્ર આદિ છ એ રાજા કોપાયમાન થયા અને (હાલ તેઓએ) મિથિલા રાજધાનીને આવાગમન રહિત અને નિઃશબ્દ કરી દીધી છે તેમજ ચારે તરફથી ઘેરો ઘાલીને રહ્યા છે. હે પુત્રી ! હું તે જિતશત્રુ આદિ છ એ રાજાઓના અંતર, છિદ્ર, વિવર અને મર્મસ્થાનોને જાણી શક્યો નથી – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબેલો છું.
ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ કુંભરાજાને આ પ્રમાણે કહ્યું, હે તાત! આપ નિરાશ વદનવાળા થઈ, મુખને હથેલી પર ટેકવીને, આર્તધ્યાનયુક્ત થઈને બેઠા છો તે (ચિંતાને) છોડી દો. આપ તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને પ્રત્યેકની પાસે ગુપ્તરૂપે દૂત મોકલીને એવું કહેવડાવી દો કે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિ હું તમને આપી. (તમારી સાથે વિવાહ કરાવીશ) આવો સંદેશો મોકલીને જ્યારે સંધ્યાકાળે મનુષ્યોનું આવાગમન લગભગ બંધ થઈ જાય, તેમનો કોલાહલ પૂરી રીતે શાંત થઈ ગયો હોય ત્યારે તે રાજાઓને એક-એક કરીને મિથિલા રાજધાનીમાં બોલાવો, બોલાવીને ગર્ભગૃહમાં લઈ જઈને બેસાડો. પછી મિથિલાના દ્વાર બંધ કરાવી યુદ્ધની તૈયારી કરો.
ત્યારે કુંભરાજાએ પણ તે જિતશત્રુ આદિ છ એ રાજાઓની પાસે પ્રત્યેક રાજાને અલગ અલગ એક દૂત એકાંતમાં મોકલ્યો – યાવત્ – યુદ્ધની તૈયારી કરી. ૦-ભ૦મલિનો જિતશત્રરાજા આદિને પ્રતિબોધ :
- ત્યાર પછી જિતશત્રુ આદિ છ એ રાજા બીજે દિવસે અર્થાત્ રાત્રિ વીતવાના અનંતર દિવસે – કાવત્ – જ્યારે સહસ્રરશ્મિ દિનકર સૂર્ય પોતાના જાજ્વલ્યમાન તેજથી યુક્ત થઈ ઉદય પામ્યો. ત્યારે (તે રાજાઓ) ઝરૂખા (જાળી)માંથી સચ્છિદ્ર મસ્તકવાળી અને જે છિદ્ર પદ્મ-ઉત્પલોથી ઢાંકેલ હતું એવી સુવર્ણમયી પ્રતિમાને જુએ છે. આ જ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિ છે એવું સમજીને વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિના રૂપ, યૌવન, લાવણ્ય પર મૂર્શિત, ગૃહ, મુગ્ધ અને અધ્યાપન્ન થઈને અનિમેષ દૃષ્ટિથી વારંવાર જોતા એવા ઊભા રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org