________________
૧૭૨
આગમ કથાનુયોગ-૧
આ પ્રકારે એકબીજાના વિચારને સાંભળીને નિશ્ચય કર્યો. પછી સ્નાન કર્યું. શસ્ત્ર સજ્જ થઈ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ પુષ્પની માળાવાળું છત્ર ધારણ કર્યું. શ્રેષ્ઠ શ્વેત ચામર તેઓની બંને બાજુ વિંઝાતા હતા. મોટા મોટા હાથી, ઘોડા, રથ અને પ્રવર યોદ્ધાઓથી શોભિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિ સહિત – યાવત્ ઇંદુભિનાદના ધ્વનિ સહિત પોત-પોતાના નગરોથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકઠા થયા. પછી જ્યાં મિથિલા નગરી હતી. ત્યાં જવાને માટે તત્પર થયા.
તે વખતે કુંભરાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે પોતાના સેનાનાયકને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલદીથી ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરો. પછી મને સૂચના આપો. તેઓએ પણ રાજાજ્ઞાનું પાલન કરીને સૂચના આપી. પછી કુંભરાજાએ સ્નાન કર્યું, શસ્ત્ર સજ્જ થઈ હાથીના સ્કંધ પર બેઠા. કોટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કર્યું. તેની બંને બાજુ શ્રેષ્ઠ શ્વેત ચામર વિંઝાવા લાગ્યા. ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી શોભિત વિશાળ ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સર્વઋદ્ધિ સાથે – યાવત્ – દૂભિનાદના ધ્વનિપૂર્વક મિથિલાની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાંથી થઈને જ્યાં રાજ્યની સીમા હતી, ત્યાં આવ્યા. આવીને રૂંધાવાર નિવેશ કર્યો (છાવણી બનાવી). પછી જિતશત્રુ આદિ છ એ રાજાની પ્રતિક્ષા કરતા, યુદ્ધને માટે સજ્જ થઈ ત્યાં રોકાયા.
ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજા જ્યાં કુંભરાજા હતા ત્યાં આવ્યા, આવીને કુંભરાજા સાથે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થયા. ત્યાર પછી જિતશત્રુ વગેરે છ એ રાજાઓએ કુંભરાજાના કેટલાંયે વીરોને મારી નાંખ્યા, કેટલાંયને ઘાયલ કરી દીધા, વિડંબિત કર્યા, ચિન્હરૂપ ધ્વજા-પતાકાઓને છિન્નભિન્ન કરી દીધી. પ્રાણોને સંકટમાં પડેલા જોઈને કુંભ રાજાની સેના ચારે દિશાઓમાં ભાગવા લાગી.
ત્યારે જિતશત્રુ વગેરે છ એ રાજાઓ દ્વારા પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓને હણાયેલા, માનમર્દિત અને ઘાયલ થયેલા, તેમજ ચિન્હરૂપ ધજા-પતાકાઓને છિન્ન ભિન્ન થયેલ તથા સેનાઓની ચારે દિશાઓમાં નાશભાગ જોઈને કુંભ રાજા સામર્થ્યહીન, બલહીન, નિર્વીર્ય, પરાક્રમહીન થઈને અને શત્રુઓને અજેય માની જલદીથી ત્વરિત, ચપળ અને ચંડગતિથી
જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યો. આવીને મિથિલામાં પ્રવેશ કર્યો. પછી મિથિલાના દ્વાર બંધ કરી દીધા. બંધ કરીને સ્વરક્ષણ કરતો ત્યાં રહ્યો.
ત્યાર પછી જિતશત્રુ આદિ છ રાજા જ્યાં મિથિલા હતી, ત્યાં આવ્યા. આવીને મિથિલા રાજધાનીને મનુષ્યોના આવાગમનથી રહિત અને શબ્દવિહીન કરી દીધી. નગરીને ચારે તરફથી ઘેરીને તેઓ ત્યાં રહ્યા. ત્યાર પછી જ્યારે કુંભ રાજાએ મિથિલા રાજધાનીને ઘેરાયેલી જોઈ ત્યારે કિલ્લાની અંદર બનેલા સભામંડપમાં સ્થિત સિંહાસન પર બેસીને વિચાર કરવા છતાં તે છ એ રાજાઓના અંતરોને, છિદ્રોને, વિવરોને કે મર્મસ્થાનોને જ્યારે જાણી ન શક્યા ત્યારે અનેક યુક્તિઓથી, ઉપાયોથી ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિ વડે વિચાર કરતા પણ કોઈ ઉપાય ન દેખાયો, તેથી નિરાશ વદને, માથે હથેળી ટેકવીને આર્તધ્યાનમાં ડૂબી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org