SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ૦મદ્ધિ-કથા ૧૭૧ ૦-ભમલ્લિના રૂપની પ્રશંસા – જિતશત્ર દ્વારા તેણી માટે માંગણી : ખરેખર હે જિતશત્રુ ! મિથિલા નગરીના કુંભ રાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિ રૂપ–લાવણ્ય કે યૌવનમાં અને શરીરથી (દેખાવથી) જેવી ઉત્કૃષ્ટ છે, તેવી ઉત્કૃષ્ટ કોઈ દેવ કે અસુર કે નાગ કે યક્ષ કે ગંધર્વ કે રાજાની કન્યાની પણ નથી. તે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યાના પગના અંગુઠાના લાખમે ભાગે પણ તારું આ અંતઃપુર નથી. આટલું કહી ચોખા જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. ત્યાર પછી તે પરિવ્રાજિકાની વાતથી ઉત્પન્ન થયેલ હર્ષવાળા જિતશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો, બોલાવી તેને આ પ્રમાણે કહ્યું – યાવત્ – વિદેહરાજ શ્રેષ્ઠ કન્યાની મારી પત્નીના રૂપમાં માંગણી કરો, તેના બદલામાં શુલ્ક રૂપે રાજ્ય પણ આપવું પડે તો પણ તે વાતને સ્વીકારી લેવી. ત્યારે તે દૂત જિતશત્રુની આ વાતને સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયો – યાવત્ – મિથિલા નગરી તરફ જવા માટે પ્રવૃત્ત થયો. દૂતો દ્વારા સંદેશ નિવેદન – કુંભરાજા દ્વારા તેનો તિરસ્કાર : ત્યારબાદ જિતશત્રુ આદિ છ એ રાજાના દૂત, જ્યાં મિથિલા નગરી હતી. ત્યાં જવા રવાના થયેલા, તે છ એ દૂતો મિથિલા નગરી આવ્યા. આવીને મિથિલા નગરીના અગ્ર ઉદ્યાનમાં દરેકે પોત-પોતાની (રહેવા માટેની) છાવણી બનાવી બનાવીને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુંભરાજા હતો ત્યાં આવ્યા. પછી બધાંએ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નમસ્કાર કરવા પૂર્વક પોતપોતાના રાજાના સંદેશાનું નિવેદન કર્યું. ત્યારે કુંભ રાજા તે દૂતોનો સંદેશો સાંભળી ક્રોધિત, રોષિત, કુપિત અને ચંડિકા સ્વરૂપ થઈ ગયો. ક્રોધથી ધમધમતા એવા તેના કપાળમાં ત્રણ સળ પડી અને તે ભૂકુટિને ખેંચીને આ પ્રમાણે બોલ્યો – હું તમારામાંથી કોઈને પણ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિને આપીશ નહીં. એમ કહીને તે છ એ દૂતોનો અસત્કાર કરી, અસન્માન કરી પાછળના દ્વારેથી કાઢી મૂક્યા. કુંભરાજા દ્વારા એ રીતે અસત્કારિત કાવત્ કાઢી મુકાયેલા છ એ દૂતો જ્યાં જ્યાં પોતાનું જનપદ હતું – પોતપોતાનું નગર હતું, પોતપોતાના રાજા હતા ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી, અંજલિ કરી, નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા, હે સ્વામી! અમે જિતશત્રુ આદિ છ એ રાજાઓના દૂત એક જ સમયે મિથિલા નગરી પહોંચ્યા – યાવત્ – પાછલા દ્વારેથી (તિરસ્કાર પૂર્વક) કાઢી મૂકાયા. તો હે સ્વામી ! રાજા કુંભ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિને આપશે નહીં. પોતપોતાના રાજાને આ વૃત્તાંત નિવેદન કર્યું. ૦–જિતશત્રુ આદિ રાજાનું કુંભરાજા પર આક્રમણ : ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજા તે દૂતોના વૃત્તાંતને સાંભળીને અને વિચારીને અતિ ક્રોધિત, રણ, કુપિત અને ચંડિકારૂપ થઈ ગયા. ક્રોધાભિભૂત થઈ ધમધમતા એવા તેઓએ એકબીજાની પાસે પોતાના દૂતને મોકલ્યા અને સંદેશો મોકલ્યો કે, હે દેવાનુપ્રિય ! આપણા છ એ રાજાઓના દૂત એક સાથે જ્યાં મિથિલા નગરી હતી, ત્યાં પહોંચ્યા – યાવત્ – પાછલા દ્વારેથી કાઢી મૂકાયા. તેથી હે દેવાનુપ્રિય ! હવે આપણે કુંભરાજા સાથે યુદ્ધ કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy