________________
૧૬૮
આગમ કથાનુયોગ-૧
ભાંડ-ઉપકરણ (સરસામાન) આદિ લઈને મિથિલા નગરીથી નીકળ્યો, નીકળીને વિદેહ જનપદની બરાબર મધ્યમાંથી થઈને જ્યાં કુરુ જનપદ હતું. જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યો. આવીને પોતાના ભાંડ-ઉપકરણ આદિ રાખ્યા. પછી ચિત્રફલકને સજાવ્યું. સજાવીને વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું ચિત્ર બનાવ્યું. પછી તે ચિત્રને પોતાની કાંખમાં દબાવી મહાર્થક – યાવત્ – ભેટ–ઉપહાર લીધા. લઈને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને અદીનશત્રુ રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી, મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવી રાજા સમક્ષ ભેટ ધરી આ પ્રમાણે કહ્યું –
હે સ્વામી ! કુંભ રાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મલદિનકુમાર દ્વારા મને દેશનિકાલની આજ્ઞા થઈ, માટે મિથિલા નગરીથી હું અહીં આવેલ છું. હવે તે સ્વામી ! આપના બાહુની છાયામાં (આપના શાસનમાં) આશ્રય લઈને નિર્ભય અને ઉદ્વેગ રહિતપણે સુખશાંતિપૂર્વક હું અહીં રહેવા ઈચ્છું છું. ત્યારે તે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! મલ્લદિન્નકુમારે તને કયા કારણથી દેશનિકાલ કર્યો ?
ત્યારે તે ચિત્રકારે અદીનશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું (ઉત્તર આપ્યો) કે, હે સ્વામી ! કોઈ એક દિવસે મલ્લદિત્રકુમારે બધાં ચિત્રકારોને બોલાવ્યા. પછી કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી ચિત્રસભાને – યાવત્ – ચિત્રિત કરો. (પછી સ્વવૃત્તાંત કહી તે ચિત્રકારે જણાવ્યું કે) – યાવત્ – મારા સાંધા છેદાવી નાંખીને મને દેશનિકાલની આજ્ઞા આપી. આ પ્રમાણે મને મલ્લદિન્ન કુમારે દેશનિકાલ કર્યો. ૦-અદીનશત્રુ દ્વારા મલિના ચિત્રનું દર્શન-મલ્લિકુંવરીની માંગણી :- ત્યારે અદીનશત્રુ રાજાએ ચિત્રકારને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિનું આબેહુબ ચિત્ર કેવું બનાવેલ છે ? ત્યારે ચિત્રકારે પોતાની કાંખમાંથી ચિત્રફલક કાર્યું, તે ચિત્ર અદીનશત્રની સામે રાખીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મેં તો વિદેહવર રાજકન્યા મલિનું તેણીના જેવું જ અનુરૂપ ચિત્ર, કિંચિત્ માત્ર આકાર ભાવથી ચિત્રિત કર્યું છે. પણ તે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિનું તદનુરૂપ સર્વાગીણ ચિત્ર બનાવવા માટે તો કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંગુરુષ, મહોરશ કે ગંધર્વ પણ સમર્થ થઈ શકતો નથી.
ત્યારે તે પ્રતિરૂપ ચિત્રજનિત અનુરાગથી હર્ષિત થયેલા અદીનશત્રએ દૂતને બોલાવ્યો. બોલાવીને એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા – યાવત્ – વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિની મારી પત્નીરૂપે માંગણી કરો. જો તેના શુલ્ક રૂપે રાજ્ય માંગે તો પણ તે વાત સ્વીકારી લેવી. ત્યારે અદીનશત્રુ રાજાની આ વાત સાંભળીને તે દૂત હર્ષિત અને સંતુષ્ટ થઈને – વાવ – મિથિલા નગરી જવાને માટે પ્રવૃત્ત થયો. ૦-૬ પંચાલાધિપતિ – જિતશત્રુ રાજાનો અધિકાર :
તે કાળે – તે સમયે પાંચાલ નામક જનપદ હતું. તેમાં કંપિલપુર નગર હતું. તેમાં પંચાલાધિપતિ જિતશત્રુ નામે રાજા હતો. તે જિતશત્રુના અંતઃપુરમાં ધારિણી આદિ ૧,૦૦૦ રાણીઓ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org