SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૬૭ ગયાની જાણ કરી. ત્યારે તે મલ્લદિન્નકુમારે ચિત્રકાર શ્રેણીનો સત્કાર અને સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપી, વિદાય કર્યા. પછી મલદિન્ન કુમારે સ્નાન કર્યું. પછી અન્તઃપુર અને પરિવાર સહિત ધાયમાતાને સાથે લઈને ચિત્રસભા પાસે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરી હાવ ભાવ, વિલાસ, બિબ્લોક યુક્ત ચિત્રોને જોતો જોતો જ્યાં વિદેહવર રાજકન્યા મલિનું તદનુરૂપ ચિત્ર બનેલું હતું, તે તરફ જવા ઉદ્યત થયો. ત્યારે તે મલ્લદિનકુમાર વિદેહવર રાજકન્યા મલ્લિનું આબેહુબ ચિત્ર જુએ છે. ચિત્રને જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે આ તો વિદેહવર રાજકન્યા મલ્લિ પોતે જ છે. એવું વિચારી (-સમજી)ને તે લજ્જા પામ્યો, વિલખો પડી ગયો, વ્યગ્ર થઈને ધીમે ધીમે ત્યાંથી સરકી ગયો. તે વખતે મલ્લદિત્ર કુમારને એ રીતે ધીમે ધીમે સરકતો જોઈને ધાયમાતાએ આ પ્રમાણે કહ્યું, હે પુત્ર શા કારણે તું લજ્જિત, પીડિત અને વ્યથિત થઈને ધીરે-ધીરે પાછો જઈ રહ્યો છે? ત્યારે મલ્લદિનકુમારે ધાયમાતાને કહ્યું કે, હે માતા ! શું મારે માટે એ યોગ્ય છે કે જ્યાં ગુરુ અને દેવતા સમાન અને જેની સામે જવાથી મારે લજ્જિત થવું પડે એ રીતે મારી મોટી બહેન જ્યાં બેઠી હોય તેવી ચિત્રસભામાં હું જઉ ? ત્યારે ધાયમાતાએ મલ્લદિન્નકુમારને એ પ્રમાણે કહ્યું કે, હે પુત્ર ! નિશ્ચયથી આ સાક્ષાતુ વિદેહવર રાજકન્યા મલ્લિ નથી. આ તો ચિત્રકાર દ્વારા વિદેહવર રાજકન્યા મલ્લિનું બનાવેલ તદનુરૂપ (-આબેહુબ) એવું તેનું ચિત્ર છે. ત્યારે ધાયમાતાની આ વાતને સાંભળી અને વિચાર કરીને માલદિન્નકુમાર ક્રોધિત થઈ આ પ્રમાણે બોલ્યા, કોણ છે આ અપ્રાર્થિત (મોત)ની પ્રાર્થના કરનાર એવો દુરંતપંત લક્ષણ, પુન્યહીન, ચઉસિયો અને શ્રીહી–ધૃતિકીર્તિ વગરનો ચિત્રકાર ? જેણે ગુરુદેવ સ્વરૂપ અને જેની સામે જતા પણ મને લજ્જા અનુભવવી પડે એવી મારી મોટી બહેનનું આ ચિત્રસભામાં તદનુરૂપ ચિત્ર બનાવ્યું છે ? એટલું બોલીને તેણે ચિત્રકારનો વધ કરવાની આજ્ઞા કરી. ૦-ચિત્રકારને દેશનિકાલની આજ્ઞા : ત્યારે ચિત્રકારોના સમૂહને આ કથનના સમાચાર જાણવામાં આવ્યા, ત્યારે જ્યાં મલ્લદિન્નકુમાર હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી, નતમસ્તકે, અંજલિ કરવા પૂર્વક (યુવરાજને) જય વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! ખરેખર આ ચિત્રકારને એવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ પ્રાપ્ત થઈ છે યાવત્ અધિગત થઈ છે કે તે જે કોઈપણ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એકાદ અંશ પણ જોઈ લે, તેના તે એક અંશ પરથી આખું ચિત્ર આબેહુબ-તદનુરૂપ ચિત્રિત કરી દે છે. તેથી હે સ્વામી! આપ તે ચિત્રકારના વધની આજ્ઞા ન આપો. પણ હે સ્વામી! આપ તે ચિત્રકારને બીજો કોઈ પણ દંડ આપો. ત્યારે મલ્લદિન્નકુમારે તે ચિત્રકારના સાંધા (બીજા મતે – જમણા હાથનો અંગુઠો અને પહેલી આંગળી) છેદાવી નાંખ્યા. છેદન કરાવીને તે ચિત્રકારને દેશનિકાલની આજ્ઞા કરી. ૦ ચિત્રકારનું હસ્તિનાપુરે આગમન : ત્યાર પછી મલ્લદિનકુમાર દ્વારા દેશનિકાલની આજ્ઞા પામેલ તે ચિત્રકાર પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy