________________
૧૬૬
આગમ કથાનુયોગ–૧
યક્ષ કન્યા, કોઈ ગંધર્વ કન્યા કે રાજકન્યા પણ તેવી નથી. ત્યારે કંડલની વાતથી હર્ષિત થયેલ કાશીરામ શંખે દૂતને બોલાવ્યો. તેને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જાઓ - યાવત્ – વિદેહવર રાજકન્યા મલ્લિની મારી પત્નીના રૂપે માંગણી કરો. જો તેના બદલામાં શુલ્ક રૂપે રાજ્ય પણ આપવું પડે તો આપી દેવું. ત્યારે શંખરાજાની એ વાત સાંભળી તે દૂત હર્ષિત, સંતુષ્ટ થતો – યાવત્ – મિથિલા નગરી તરફ જવા નીકળ્યો. ૦-૫ કુરુરાજ અદીનશત્રુનો અધિકાર :
તે કાળે, તે સમયે કુરુ નામક જનપદ હતું. ત્યાં હસ્તિનાપુર નામક નગર હતું. ત્યાં અદીનશત્રુ નામક રાજા હતો – યાવત્ – રાજ્યનું પ્રશાસન કરતો હતો. ૦મલ્લદિનકુમાર દ્વારા ચિત્રસભા નિર્માણ :
તે મિથિલા નગરીમાં કુંભ રાજા અને પ્રભાવતી દેવીનો પુત્ર મલિનો અનુજ સુકુમાલ હાથ–પગવાળો મલ્લદિન્ન નામક કુમાર – યાવત્ – યુવરાજ હતો. તે વખતે કોઈ એક દિવસે મલ્લદિન્ન કુમારે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રકારે કહ્યું, તમે લોકો જાઓ અને મારા પ્રમાદવનમાં અનેક સ્તંભોથી યુક્ત એક વિશાળ ચિત્રસભાનું નિર્માણ કરો. મારી આ આજ્ઞાનું પાલન થયાની સૂચના આપો. તેઓએ પણ યુવરાજની આજ્ઞા પ્રમાણે કાર્ય કરી સૂચના આપી.
ત્યાર પછી તે મલ્લદિન્નકુમારે ચિત્રકારોના સમૂહને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ, બિબ્લોકથી યુક્ત રૂપોથી ચિત્રિત કરો, ચિત્રિત કરીને મારી આજ્ઞાનું પાલન કરીને મને જણાવો. ત્યારે તે ચિત્રકારોએ તથાસ્તુ (સારુ) એમ કહીને યુવરાજની આજ્ઞા સ્વીકારી. પછી પોતાને ઘેર આવ્યા. ત્યાં આવીને રંગ–પીંછી વગેરે લીધા. લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને ચિત્ર રચના સ્થાનને રેખાઓ વગેરેથી અંકિત કર્યા પછી તે સ્થાનને સજ્જ કર્યું. ચિત્રસભાને સજાવીને હાવ, ભાવ, વિલાસ, બિબ્લોકથી યુક્ત ચિત્રો બનાવવામાં પ્રવૃત્ત થયા. ૦-એક ચિત્રકાર દ્વારા ભ૦મહિના સદશ રૂપનું ચિત્રણ :
તે ચિત્રકારોમાં એક ચિત્રકારને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત હતી, લબ્ધ હતી, સમ્યક્ પ્રકારે સન્મુખ આવેલી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ કે અપદના કોઈ એક માત્ર અંશને જોઈ લે, તો તે એક અંશ માત્રને આધારે તેનું પૂરા રૂપને-ચિત્રને તે બનાવી શકતો હતો. તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલ મલિકુંવરીના પગના અંગૂઠાને જાળના છિદ્રમાંથી જોયો. ત્યારે તે ચિત્રકારના મનમાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મારા માટે એ શ્રેયસ્કર છે કે હું વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું સદ, સમાન, સદશવય, સદશ લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોપેત ચિત્ર બનાવું. એ પ્રમાણે સંકલ્પ કરી, ભૂમિભાગને સજ્જ કર્યો, સજ્જ કરીને વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું સદશ – યાવત્ – ગુણોપેત ચિત્ર બનાવ્યું. ૦–મધ્યદિનકુમારનું ચિત્રસમાગમન :
ત્યાર પછી તે ચિત્રકારોએ ચિત્રસભાના હાવ, ભાવ, વિલાસ, બિબ્લોક યુક્ત રૂપો ચિત્રિત કર્યા, ચિત્રિત કરીને જ્યાં મલ્લદિનકુમાર હતા ત્યાં આવ્યા. આજ્ઞાનુસાર કાર્ય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org