SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ મલિ–કથા ૧૬૫ સાધનો, અનેક ઉપાયો ને ઔત્પાતિકી, વૈનયિકી, કર્મચા તથા પારિણામિકી બુદ્ધિ વડે તે દિવ્ય કુંડલની જોડને સાંધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ તે સંધિને જોડી શક્યા નહીં ત્યારે તે સોનીઓ કુંભરાજા પાસે આવ્યા. આવીને બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નતમસ્તકે રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું કે, આજે આપે અમને બોલાવ્યા – યાવત્ – આજ્ઞા કરી કે કુંડલ યુગલની સંધિ જોડીને આપની આજ્ઞાનું પાલન કરવું. ત્યારે અમે તે દિવ્ય યુગલ લઈ ગયા. સોનીઓને બેસવાને સ્થાને પણ ગયા – યાવત્ – સંધિને જોડવામાં અમે સફળ થઈ શક્યા નથી. હે સ્વામી! જો આપ આજ્ઞા આપો તો અમે આ દિવ્યકુંડલ યુગલ સમાન બીજા કુંડલ બનાવીએ. ૦-સોનીઓનો દેશ નિકાલ – તેઓનું વાણારસીમાં ગમન : ત્યારે સોનીઓની આ વાત સાંભળીને અને વિચારીને કુંભ રાજા તુરંત જ ક્રોધિત, રષ્ટ, કોપિતા અને ચંડિકાવત્ થઈ ગયા. ક્રોધથી ધમધમતા એવા તેમના લલાટમાં ત્રણ સળ પડી અને ભૂકુટિ ચઢાવીને આ પ્રમાણે બોલ્યા, તમે કેવા સુવર્ણકાર છો, જે તમે આ દિવ્ય કુંડલ યુગલની સંધિ જોડી શક્યા નહીં? એમ કહીને તે સોનીઓને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે કુંભરાજા દ્વારા અપાયેલી દેશનિકાલની આજ્ઞા સાંભળીને તે સોનીઓ જ્યાં પોતપોતાના ઘર હતા ત્યાં આવ્યા, આવીને પોત-પોતાના ભાંડ-ઉપકરણ આદિ લઈને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને વિદેહ–જનપદની મધ્યમાંથી થઈ જ્યાં કાશી જનપદ હતું, જ્યાં વાણારસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને અગ્રઉદ્યાનમાં પોતપોતાના ગાડાં-ગાડીને રોક્યા. રોકીને મહાર્થક – યાવત્ – ઉપહારને લીધાં. લઈને વાણારસી નગરીની ઠીક મધ્યમાં થઈને કાશીરાજ શંખ પાસે આવ્યા. ત્યાં આવીને બંને હાથ જોડી, નતમસ્તક થઈ અંજલિ કરવા પૂર્વક રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. વધાઈ દઈ ઉપહાર આદિ ભેટ કર્યા, ભેટ આપીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! કુંભ રાજા દ્વારા કરાયેલ દેશનિકાલની આજ્ઞાને લીધે અમે મિથિલા છોડીને અહીં આવ્યા છીએ. તેથી હે સ્વામી! અમે આપની ભુજાની છાયામાં આશ્રય લઈને નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખપૂર્વક અહીં રહેવા ઇચ્છિએ છીએ. ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને એમ પૂછયું કે, હે દેવાનુપ્રિયો ! કુંભ રાજાએ શા માટે તમને દેશનિકાલની આજ્ઞા આપી ? ત્યારે તે સોનીઓએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! કુંભ રાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહવર રાજકન્યા મલિના કુંડલ યુગલની સંધિ ખુલી ગયેલી. ત્યારે કુંભરાજાએ સુવર્ણકારોના સમૂહને બોલાવ્યા – થાવત્ – દેશનિકાલની આજ્ઞા કરી. બસ આ જ કારણે કુંભરાજાએ આજ્ઞા કરી અમને દેશનિકાલ કર્યા. ત્યારે કાશીરાજ શંખે સુવર્ણકારોને આ પ્રમાણે કહ્યું (પૂછયું) – હે દેવાનુપ્રિયો ! કુંભરાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લિ કેવી છે ? ૦-ભ૦મલ્લિના રૂપની પ્રશંસા – શંખરાજા દ્વારા તેની માંગણી : ત્યારે સોનીઓએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! જેવી વિદેહવર રાજકન્યા મલ્લિ છે તેવી ન તો કોઈ દેવકન્યા છે કે અસુરકન્યા, નથી કોઈ નાગ કન્યા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy