________________
૧૬૪
આગમ કથાનુયોગ-૧
પછી તે કુણાલાધિપતિ રુકિમ શ્રેષ્ઠ હાથી પર બેસી, ચતુરંગિણી સેના, મહાનું યોદ્ધા અને રથના સમૂહથી ઘેરાયેલો, સુબાહુ બાલિકાને આગળ રાખીને રાજમાર્ગ અને
જ્યાં પુષ્પમંડપ હતો ત્યાં આવ્યો. ત્યાં આવી હસ્તિ પરથી નીચે ઉતર્યો. પછી પુષ્પમંડપમાં પ્રવેશ્યો. પ્રવેશીને પૂર્વ દિશા તરફ મોઢું રાખી ઉત્તમ સિંહાસન પર બેઠો. પછી અંતઃપુરની સ્ત્રીઓએ સુબાહુકુમારીને પાટ પર બેસાડી. બેસાડીને શ્વેત અને પીત (ચાંદી અને સોનાના) કળશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી સર્વ અલંકારો વડે વિભૂષિત કરી. પછી પિતાને પગે લાગવા માટે લાવ્યા. ત્યારે તે સુબાહુકુમારી જ્યાં રુકિમ રાજા હતા ત્યાં આવી. આવીને પિતાના ચરણસ્પર્શ કર્યા. ૦-ભ૦મલિનો સ્નાન મહોત્સવ અને રુકિમ રાજા દ્વારા વિવાહ માટે માંગણી :
ત્યાર પછી તે ક્રિમ રાજા સુબાહુ બાલિકાને પોતાના ખોળામાં બેસાડે છે. પછી સુબાહુ બાલિકાના રૂપ, યૌવન અને લાવણ્યને જોઈને વિસ્મિત થઈને અંતઃપુર રક્ષકને બોલાવે છે. બોલાવી આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મારા દૂત રૂપે અનેક ગામ, આકર, નગર – યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરે છે. ઘણાં રાજા, ઈશ્વર – યાવતું – સાર્થવાહ વગેરેના ઘરોમાં પણ જાય છે. તે ક્યારેય કોઈ રાજા કે ઈશ્વરને ત્યાં પૂર્વે આવો સ્નાન મહોત્સવ જોયો છે, જેવો આ સુબાહુ બાલિકાનો ખાન મહોત્સવ થયો ?
ત્યારે તે અંતઃપુર રક્ષકે બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી નતમસ્તકે આ પ્રમાણે કહ્યું, કે હે સ્વામી ! હું ક્યારેક તમારા દૂતરૂપે મિથિલાનગરી ગયેલ. ત્યાં મેં કુંભ રાજા અને પ્રભાવતીની પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લિનો નાન–મહોત્સવ જોયેલો. તે સ્નાન મહોત્સવના લાખમાં ભાગે પણ આ સુબાહુકુમારીનો ખાન મહોત્સવ નથી.
ત્યારે તે અંતઃપુર રાકની આ વાત સાંભળીને, વિચાર કરીને તથા આ સ્નાન મહોત્સવના વૃત્તાંતથી હર્ષિત થયેલા કિમ રાજાએ દૂતને બોલાવી આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ – યાવત્ – વિદેહવર રાજકન્યા મલિની મારી પત્નીના રૂપે માંગણી કરો તમારી સાથેના લગ્નનું કહેણ જણાવો) તેના માટે જો આ રાજ્ય પણ આપવું પડે તો પણ તે વાતનો સ્વીકાર કરજો. ત્યારે તે દૂત રુકિમ રાજાની એ વાત સાંભળીને હર્ષિત થયો – સંતુષ્ટ થયો – યાવત્ – જ્યાં મિથિલા નગરી છે તે દિશામાં ચાલ્યો. ૦-૪ કાશીરાજ-શંખનો અધિકાર :
તે કાળે અને તે સમયે કાશી નામક જનપદ હતું. તેમાં વારાણસી નામક એક નગરી હતી. ત્યાં શંખ નામનો કાશીરાજા હતો. ૦-ભમલિનું કુંડલ યુગલ ખૂલી જવું – સોનીની નિષ્ફળતા :
ત્યાર પછી કોઈ એક સમયે વિદેહવર રાજકન્યા મલ્લિના તે (અત્રકે ભેટ આપેલ) દિવ્ય કુંડલ યુગલની સંધિ ખુલી ગઈ. ત્યારે કુંભ રાજાએ સોનીઓના સમૂહને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આ દિવ્ય કુંડલ યુગલના સાંધાને તમે ફરી જોડી દો. ત્યારે તે સોનીઓના સમૂહે તથાસ્તુ (સારુ) એમ કહીને કુંડલ યુગલના સાંધાને જોડવાની રાજાજ્ઞા સ્વીકારી. તે કુંડલ યુગલને ગ્રહણ કર્યા. લઈને જ્યાં સોનીઓની બેસવાની (–કામ કરવાની) જગ્યા હતી ત્યાં આવ્યા. પોતાના સ્થાને બેઠા. પછી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org