________________
તીર્થકર ચરિત્ર–ભમલિ–કથા
૧૬૩
આવીને તે વિપુલ ભેટ તથા દિવ્ય કુંડલ યુગલ રાજાની પાસે મૂકયા.
ત્યારે તે અંગરાજ ચંદ્રચ્છાયે તે મહાન ભેટ અને દિવ્યકુંડલ યુગલનો સ્વીકાર કર્યો. સ્વીકારીને તે અત્રક આદિને આ પ્રમાણે કહ્યું, તમે લોકો ઘણાં ગામ, નગર – થાવત્ – સંનિવેશ આદિમાં પરિભ્રમણ કરો છો. વારંવાર વહાણ લઈને લવણ સમુદ્રમાં પણ જાઓ છો. તો તમે કોઈ સ્થાને કંઈ આશ્ચર્ય જોયું-જાણ્યું હોય તો કહો. ૦-ભમતિની રૂપ પ્રશંસા – ચંદ્રચ્છાય રાજાની મલ્લિ માટે માંગણી :
ત્યારે અન્નક આદિએ અંગરાજ ચંદ્રચ્છાયને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે અન્નક આદિ ઘણાં સાંયાત્રિક નાવવણિક આ ચંપાનગરીમાં વસીએ છીએ. અમે લોકો કોઈ વખતે ગણિમ આદિ પદાર્થો લઈને પૂર્વવતુ અહીનાધિક – યાવતુ - કુંભરાજા પાસે પહોંચ્યા, ત્યારે તે કુંભ રાજાએ વિદેહવર રાજકન્યાને તે દિવ્યકુંડલ યુગલ પહેરાવી, વિદાય કરેલ. હે સ્વામી! અમે કુંભરાજાના ભવનમાં વિદેહવર રાજકન્યા મલ્લિને આશ્ચર્યરૂપે જોઈ. તેની પહેલાં ક્યારેય એવી બીજી કન્યા, અસુર કન્યા, નાગ કન્યા, યક્ષ કન્યા, ગંધર્વ કન્યા કે રાજ કન્યા જોઈ નથી, જેવી તે વિદેહવર રાજકન્યા મલ્લિ હતી.
ત્યારે ચંદ્રચ્છાય રાજાએ અન્નક આદિના સત્કાર સન્માન કર્યા. તેમની જકાત માફ કરીને વિદાય કર્યા. ત્યારે વણિકોના કથનથી આનંદિત થયેલ ચંદ્રગ્ઝાય રાજાએ દૂતને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ – યાવત્ – વિદેહવર રાજકન્યા મલિની મારી પત્નીના રૂપે માંગણી કરો તમારી સાથે લગ્ન કરે તેમ કહો) તે માટે આખું રાજ્ય આપવું પડે તો પણ કબૂલ કરજો. ત્યારે તે દૂત ચંદ્રચ્છાય રાજાની આ વાત સાંભળી હર્ષિત, સંતુષ્ટ થઈ – યાવત્ – જવા માટે તૈયાર થયો. ૦-૩ કુણાલાધિપતિ રક્રિમ રાજાનો અધિકાર :
તે કાળે તે સમયે કુણાલ નામક જનપદ હતું. તેમાં શ્રાવતિ નામની નગરી હતી. ત્યાં કુણાલાધિપતિ રુકિમ નામનો રાજા હતો. તે રુકિમ રાજા અને ધારિણી રાણીની પુત્રી એવી સુબાહુ નામની કન્યા હતી. જેના હાથ-પગ આદિ સર્વાગ સુકોમળ હતા તથા તે રૂપ-લાવણ્ય અને યૌવનમાં ઉત્કૃષ્ટ હતી. તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી હતી. ૦ સુબાહુ કન્યાનો સ્નાન મહોત્સવ :
કોઈ વખતે તે સુબાહુકન્યાનો ચાતુર્માસિક સ્નાન ઉત્સવ આવ્યો. ત્યારે તે કુણાલાધિપતિ રુકિમએ સુબાહુકન્યાનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ આવ્યો જાણી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! કાલે સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ થશે. તેથી તમે કાલે રાજમાર્ગના મધ્યચોકમાં જળ અને સ્થળમાં ઉત્પન્ન પંચવર્ણા પુષ્પોને લાવી – યાવત્ – એક વિશાળ અને સુગંધ પ્રચૂર શ્રી દામકાંડને લટકાવો. તેઓએ પણ તે કાર્ય કર્યું.
પછી તે કુણાલાધિપતિ રકિમએ સોનીઓના સમૂહને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી રાજમાર્ગ મધ્યે પુષ્પમંડપમાં અનેક પ્રકારના પંચરંગી ચોખાથી નગરનું આલેખન કરો. તેની બરાબર મધ્યમાં એક પાટ રાખો અને મારી આ આજ્ઞાનું
પાલન કરીને મને જણાવો. તેઓએ પણ રાજાની આજ્ઞા મુજબ કાર્ય સંપન્ન કર્યું. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org