SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આગમ કથાનુયોગ-૧ ૦-અર્ડત્રક દ્વારા સાગારી પ્રત્યાખ્યાન : ત્યાર પછી અત્રક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને પોતાની તરફ આવતા જોયો, જોઈને તે ડર્યો નહીં, ઉદ્વિગ્ન ન થયો, તેના મુખ અને આંખનો રંગ પીળો (ફીક્કો) ન પડ્યો. તેના મનમાં દીનતા અને ઉદાસીનતા ન આવી. પરંતુ પોતવાહન (નાવ)ના એક યોગ્ય સ્થાન પર વસ્ત્રના છેડા વડે ભૂમિનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરી ત્યાં બેઠો, બેસીને બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું અરહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારને (નમસ્કાર થાઓ) હું આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં ત્યાં સુધી હું ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) સ્વીકાર કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને આ પચ્ચક્ખાણ પારવું કલ્પ અને જ્યાં સુધી મુક્ત થાઉં ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ થાઓ. એમ પ્રતિજ્ઞા કરી તેણે સાગારીભક્ત પ્રત્યાખ્યાન કર્યું. ૦–અત્રકને પિશાચ દ્વારા ઉપસર્ગ અને અર્વત્રકની ધર્મદઢતા : ત્યારે તે પિશાચરૂપ જ્યાં અત્રક શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. આવીને તેણે આ પ્રમાણે કહ્યું, ઓ અર્પત્રક ! અપ્રાર્થિત (મોતની) પ્રાર્થના કરનારા ! તુરંત પંત લક્ષણવાળા ! હીન પુન્ય ચૌદશીયા ! શ્રી હ્રીધૃતિ–કીર્તિ વગરના ! જો તું શીલવત, ગુણ વ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થા, ભિત નહીં થા; તું તેનું ખંડન નહીં કરે, ભંગ નહીં કરે, તું તેને છોડીશ નહીં, તેનો પરિત્યાગ નહીં કર, તો આ વહાણને બે આંગળી વડે પકડીને સાતઆઠ તાલ પ્રમાણ ઊંચે આકાશમાં લઈ જઈશ અને પછી ઊંડા પાણીમાં ડૂબાડી દઈશ. જેનાથી તું આર્ત, રૌદ્ર ધ્યાનને વશ થઈ, અસમાધિ પામી અકાળે જીવનરહિત થઈ જઈશ ત્યારે તે અત્રક શ્રમણોપાસકે પોતાના મનમાં જ તે દેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણતો (શ્રદ્ધા કરતો) એવો હું અન્નક શ્રમણોપાસક છું. કોઈ દેવ, દાનવ, ચલ, રાક્ષસ, કિનર, ઝિંપુરુષ, મહોરગ કે ગંધર્વ મને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવા, યુભિત કરવા કે વિપરિત પરિણામવાળો કરવા માટે શક્તિમાન નથી. તને જેમ ઠીક લાગે તેમ કર. આ પ્રમાણે કહીને નિર્ભય – યાવત્ – મુખ અને નેત્રની કાંતિમાં કિંચિત્ પણ પરિવર્તન કર્યા વિના, અદીન અને નિરપેક્ષ મનવાળો થઈને નિશ્ચલ, નિષ્કપ અને નિઃશબ્દ થઈ શાંતિપૂર્વક ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપે અન્નક શ્રમણોપાસકને બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રકારે પૂર્વવત્ કહ્યું. (તો પણ તે અન્નક) ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. તે વખતે તે દિવ્ય પિશાચરૂપે જ્યારે અન્નકને ધર્મધ્યાનમાં સ્થિર રહેલો જોયો ત્યારે તે અત્યંત ક્રોધિત થયો. તેણે પોતાની બે આંગળી વડે તે વહાણને પકડીને સાત-આઠ તાલ પ્રમાણ આકાશમાં ઉઠાવ્યું. ઉઠાવીને અન્નકને કહ્યું, હે અપ્રાર્થિતને પ્રાર્થનાર ! એ મારા માટે યોગ્ય નહીં થાય કે હું તને તપ, શીલ, વ્રત, ગુણ, વિરતિ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત કરું, શોભિત કરું, ખંડિત કરું, ભંજિત કરું અથવા પરિત્યાગ કરવા. -- તેથી સારું એ છે કે, તું તારી જાતે જ શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy