SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૬૧ પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થાય, યુભિત નહીં થાય, તેને ખંડિત નહીં કરે, તેનો ભંગ નહીં કરે, તેને છોડીશ નહીં, તેનાથી વિચલિત નહીં થાય તો હું આ વહાણને અગાધ જળમાં ડૂબાડી દઈશ. જેનાથી તને અસમાધિ થશે, તું આર્તરૌદ્રધ્યાનને વશ થઈ અકાળે મરણ પામીશ. ત્યારે તે અત્રક શ્રમણોપાસકે મનમાં જ તે દેવને એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું જીવાજીવ તત્ત્વોના જ્ઞાતા અત્રક શ્રમણોપાસક છું. કોઈ દેવ – યાવતું – ગંધર્વ મને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં કે વિપરિણમિત કરવામાં સમર્થ નથી. તમારી ઈચ્છા હોય તેમ કરો. એમ કહીને નિર્ભય – યાવત્ - શાંત થઈને ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. પિશાચ રૂપનું સંહરણ અને દેવનું સ્વવૃત્તાંત : ત્યાર પછી જ્યારે તે પિશાચરૂપ દેવ, તે અર્વત્રકને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત કરવામાં, સુભિત કરવામાં કે વિપરિણામિત કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, શાંત, પ્રશાંત એવું મનોમન ખેદિત થઈ ગયો, તે વહાણને ધીમે ધીમે નીચે ઉતારી ફરી પાણી ઉપર મૂકી દીધું. પછી પોતાનું દૈવિક પિશાચરૂપ સંહરી લીધું, પછી દિવ્ય દેવરૂપની વિકુર્વણા કરી. આકાશમાં ઊંચે રહીને ઘુંઘરુની છમછમ ધ્વનિથી યુક્ત અને રંગબેરંગી શ્રેષ્ઠ શુદ્ધ વસ્ત્રાભૂષણોને ધારણ કરીને અન્નક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – હે અત્રક ! હે દેવાનુપ્રિય! તું ધન્ય છે, હે દેવાનુપ્રિયતું પુણ્યશાળી છે તું કૃતાર્થ છે – કૃતલક્ષણ છે. તે મનુષ્યભવનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. કેમકે તે નિર્ગસ્થ પ્રવચનમાં આવી પ્રતિપત્તિ, દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી છે – ઉપાર્જિત કરી છે – સંપૂર્ણરૂપે આરાધના કરી છે. હે દેવાનુપ્રિય ! દેવેન્દ્ર દેવરાજ શક્રએ સૌધર્મકલ્પ, સૌધમવતંસક વિમાનમાં, સુધર્માસભામાં ઘણાં દેવોની મધ્યે ઉચ્ચસ્વરમાં આ પ્રમાણે કહ્યું, પ્રજ્ઞાપના કરી, પ્રરૂપણા કરી કે, ખરેખર હે દેવાનુપ્રિયો ! જંબૂલીપના ભારત વર્ષમાં ચંપાનગરીમાં જીવઅજીવનો જ્ઞાતા (શ્રદ્ધાવાનું) અન્નક શ્રમણોપાસક છે. તેને કોઈ પણ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ કે ગંધર્વ નિર્ગ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં કે વિપરિણામિત કરવામાં સમર્થ નથી. ત્યારે તે દેવાનુપ્રિય! દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત પર મને શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. ત્યારે મને એવા પ્રકારનો વિચારમનોગત સંકલ્પ, ચિંતન ઉત્પન્ન થયા કે – હું અર્વત્રકની પાસે જાઉં અને જાણે કે અત્રક ધર્મપ્રિય છે અથવા ધર્મપ્રિય નથી. શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી ચલિત થાય છે કે ચલિત થતો નથી. સુભિત થાય છે કે મુભિત થતો નથી. શીલ-વ્રતાદિને ખંડિત કરે છે કે નથી કરતો, ભંગ કરે છે કે નથી કરતો, (થોડો પણ) ત્યાગ કરે છે કે નથી કરતો, (પૂર્ણ) પરિત્યાગ કરે છે કે નથી કરતો ? આવો વિચાર કર્યો. કરીને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પછી આપ દેવાનુપ્રિયને જોયા. જોઈને ઇશાન ખૂણામાં આવી ઉત્તર વૈક્રિય શરીરની વિદુર્વણા કરી, પછી જ્યાં લવણ સમુદ્ર હતો, જ્યાં આપ હતા ત્યાં આવીને આપને ઉપસર્ગ કર્યો, પરંતુ આપ તે ઉપસર્ગથી ડર્યા નહીં, ત્રસ્ત, ચલિત, સંભ્રાંત, વ્યગ્ર, ઉદ્વિગ્ન ન થયા. ભિન્ન Jain ternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy