________________
તીર્થકર ચરિત્ર–ભમદ્ધિ-કથા
૧૫૭
સાંભળીને શ્રીદામકાંડ જનિત શોભાથી હર્ષિત થયેલ પ્રતિબુદ્ધિ રાજાએ દૂતને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મિથિલા રાજધાની જા અને જેને માટે રાજ્ય પણ, ચૌછાવર કરી શકાય, એવી કુંભરાજા અને પ્રભાવતી રાણીની પુત્રી “રાજકન્યા મલ્લિની મારી પત્ની રૂપે માંગણી કરો. ત્યારે દૂતે પ્રતિબુદ્ધિ રાજાની એ વાત હર્ષિત અને સંતુષ્ટ થઈને સાંભળી. પછી પોતાના ઘેર આવ્યો. જ્યાં ચાતુર્ઘટવાળો રથ હતો ત્યાં આવીને તે રથને સુસજ્જિત કરાવ્યો. સુસજ્જિત કરાવ્યા બાદ હાથી, ઘોડા, રથ આદિથી યુક્ત સેનાને સાથે લઈને, ઘણાં જ ભાંડ, વિદુષક આદિ સાથે નીકળ્યો. નીકળીને જ્યાં વિદેહ રાજ્ય હતું – મિથિલા રાજધાની હતી તે તરફ ચાલ્યો. ૦-૨ અંગરાજચંદ્રચ્છાય અધિકાર :
તે કાળે તે સમયે અંગ નામક જનપદ હતું. તેમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રગ્ઝાય નામનો અંગરાજ હતો. તે નગરીમાં અન્નક આદિ સમુદ્રયાત્રા કરનાર પોતવણિક રહેતા હતા. તેઓ ઋદ્ધિમાનું – યાવત્ – બીજા અનેક લોકોથી પરાભવ ન પામે તેવા હતા. તેમાં અન્નક શ્રમણોપાસક હતો. જે જીવાજીવ સ્વરૂપનો જ્ઞાતા હતો. ૦-અન્નકની સમુદયાત્રા :
તે કાળે (કોઈ વખતે) એકઠા થયેલા અત્રક આદિ પોત વણિકોને પરસ્પર વાત કરતા એવો વિચાર ઉત્પન્ન થયો કે, (અમારા માટે એ) શ્રેયકારી છે કે અમે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આદિ વસ્તુઓ લઈને પોતવાહનોથી લવણ સમુદ્રનું અવગાહન કરીએ. એ વાત બધાએ સાંભળી અને સ્વીકાર કર્યો. સ્વીકાર કરી ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય વસ્તુઓને લીધી. લઈને ગાડાં ગાડી સજાવ્યા. સજાવીને ગણિમ આદિ વસ્તુઓથી ગાડાં-ગાડી ભર્યા
ત્યાર પછી શુભ તિથી, કરણ, નક્ષત્ર, મુહુર્ત આદિ જોઈને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજી–સંબંધિ, પરિજન આદિને આમંત્રિત કરી ભોજન કરાવ્યું. પછી મિત્રો, જ્ઞાતિજન, નિજી–સંબંધિ, પરિજન આદિને પૂછે છે. પછી ગાડાગાડી જોડ્યા. જોડીને ચંપાનગરીની બરાબર મધ્યમાંથી નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીરક પોતપટ્ટન (બંદર) છે ત્યાં આવ્યા. આવીને ગાડાં ગાડી છોડ્યા, પોતવહન સજાવ્યા. સજાવીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય પદાર્થો ભર્યા. સાથે સાથે ચોખા, ઘઉં, તેલ, ઘી, ગોળ, ગોરસ, પાણી, વાસણ, ઔષધિ, દવા, ઘાસ, કાષ્ઠ, આવરણ, પહેરવાના વસ્ત્ર આદિ બીજા અનેક ઉપયોગી પદાર્થો તથા પોતવાહનને યોગ્ય પદાર્થોથી પોતવાહન ભર્યું.
શુભ તિથી, કરણ, નક્ષત્ર, મુહૂર્તને જોઈને, વિપુલ અશન, પાન, ખાદિમ-સ્વાદિમને બનાવ્યા. બનાવીને મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધિ, પરિજન આદિને ભોજન કરાવ્યું. ત્યાર પછી તે મિત્ર-જ્ઞાતિજન આદિની વિદાય લઈ જ્યાં પોતસ્થાન (બંદર) હતું. ત્યાં આવ્યા. તે વખતે અન્નક આદિ પોતવણિકોના મિત્રો-જ્ઞાતિજન આદિએ પણ તેઓનું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર શબ્દોથી અભિનંદન અને અભિવાદન કરતા શુભ કામના વ્યક્ત કરતા કહ્યું, હે આર્ય !, તાત !, ભાઈ !, મામા !, ભાણેજ ! તમે આ સમુદ્ર
'Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org